Thursday, May 16, 2024

#બેઠા છો ને?

 






#બેઠા છો ને?

મથીને ટકોરા મારીને મેળવી છે જિંદગી 

હતું શું ને તમે શુંયે ધારી બેઠા છો,

ટેકનોના ઝાળા માં અટવાય છે પેઢી 

પ્રકૃતિને તમે કચકડે મઢી બેઠા છો, 

રોંઢે તાળી પડતી ને ભેળાં થતા ઝૂમખાં 

હાલ ટેરવે ભૂતાવળની જમાત લઈ બેઠા છો, 

શીળી શાતા રોટલો માખણ ને છાશમાં

પીઝા બર્ગર હોટડેણ લઈને બેઠા છો,

ધુળમાં માથું મારી હું છિકોટા નાખું છું

તમે તો ઑકિસજન ગીરવે લઈને બેઠા છો,

ને ક્યાં હવે કોઈને કઈ કહેવું છે પૂર્વી

અહિં કોઇ કોઇને કઈ ના કહે એ રાહે બેઠા છો.

                                   - પૂર્વી લુહાર

Friday, May 10, 2024

ફ્રી-શિપ કાર્ડ વિશે અગત્ય ની માહિતી.*





 *ગુજરાતના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓ માટે ફ્રી શિપ કાર્ડ યોજના ખુબ જ અગત્ય અને મહત્વપૂર્ણ માહિતી અને કઈ રીતે અને ક્યાંથી ફ્રી શિપ કાર્ડ કઢાવી શકાય તેની માહિતી આપેલ છે..*




*ફ્રી-શિપ કાર્ડ વિશે અગત્ય ની માહિતી.* 👍😊



ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 21/08/2013ના ઠરાવ થી અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ માં ફ્રી શિપ કાર્ડ આપવાની યોજના અમલ હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કચેરીઓ પાસે મેળવેલ ફ્રી શિપ કાર્ડ સ્વનિર્ભર સંસ્થાઓ માં રજુ થયેલી સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ ફી લીધા શિવાય પ્રવેશ આપવામાં આવતો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓ જયારે શિષ્યવૃત્તિ નું ફોર્મ ભરે ત્યારે સંબધિત સંસ્થાને સરકાર દ્વારા શિક્ષણ ફી ચુકવવામાં આવતી હતી. જયારે નિભાવ ખર્ચ તથા અન્ય ફી વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવતી હતી.



આપ શ્રી જાણો છો કે ગુજરાતના દલિત અને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ અત્યંત દારુણ, ગરીબ પરિવારો માંથી આવતા હોય છે. આવા વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક ( ધોરણ 12 પછી નો અભ્યાસ ) કોર્સ માટે સરકારી સંસ્થાઓ માં ખુબજ અલ્પ પ્રમાણ માં બેઠકો ઉપલબ્ધ હોય છે અને આથી શિક્ષણ પ્રાપ્ત કરવા ખાનગી કોલેજ માં પ્રવેશ મેળવ્યા વગર શિક્ષણ પ્રાપ્ત કરી શકે તેમ નથી. પરંતુ ખાનગી કોલેજ / યુનિવર્સિટીઓ માં ખુબ જ ઊંચી ફી હોવાના કારણે તેઓ આવી સંસ્થાઓ માં પ્રવેશ મેળવી શકતા ન હતા. પરંતુ સરકારશ્રી ની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજનાના કારણે આવા ગરીબ અને કંચડાયેલા વર્ગના વિદ્યાર્થીઓ માટે ખાનગી કોલેજ/યુનિવર્સિટીઓ માં પ્રવેશ મેળવવાનું શકય બન્યું હતું.



*ભારત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ( S C. ) અને અનુસૂચિત જનજાતિ( ST ) વર્ગના વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓ માટે ભારત સરકાર પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના અમલમાં મુકવામાં આવેલી છે. જેમાં વિદ્યાર્થીઓ ફ્રી શીપ કાર્ડ નો ઉપયોગ કરી ને કોઈ પણ પ્રાઇવેટ કોલેજ માં મફત માં શિક્ષણ મેળવી શકે છે.*


તો ચાલો આ લેખ માં જાણીએ ફ્રી શીપ કાર્ડ શું છે ?, ફ્રી શીપ કાર્ડ કઢાવવા માટેના જરૂરી દસ્તાવેજો શું છે ? ફ્રી શીપ કાર્ડ ફોર્મ ક્યાંથી મેળવવું ? ફ્રી શીપ કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી ?


*ફ્રી - શીપ કાર્ડ શું છે ?*

 (Freeship Card Gujarat)


આ યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાં ( પ્રાઇવેટ કોલેજ કે યુનિવર્સિટીમાં ) પ્રવેશ મેળવવામાંગતા હોય અને જેમને પ્રવેશ મેળવેલ છે તેવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના વિદ્યાર્થીઓ “ફ્રી શીપ કાર્ડ” દ્વારા જે તે સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાં ફી ભર્યા વગર એડમિશન મેળવી શકે છે . આમ તેમા વિદ્યાર્થીઓએ પોતાના જિલ્લાના સમાજ કલ્યાણ

ખાતામાં જઈ ને  ફ્રી શીપ કાર્ડ માટે અરજી કરવાની રહેશે . 


ત્યારબાદ તે ફ્રી શીપ કાર્ડ મેળવી જે તે પ્રાઇવેટ કોલેજ કે યુનિવર્સિટીમાં એડમીશન મેળવી શકે છે . આમ તે વિદ્યાર્થીઓ ફ્રી શીપ કાર્ડ (Freeship Card) રજૂ કરી પોતાની જેટલી ફી ભરવાની હોઈ તે માફ કરાવી શકે છે.


*ફ્રી - શિપ કાર્ડ યોજના.*


પ્રાઇવેટ કોલેજો માં ફી વધારે હોવાથી આર્થિક રીતે ગરીબ વર્ગ ના વિદ્યાર્થીઓ એડમિશન મેળવી શકતા નથી. કારણકે આર્થિક પરિસ્થિથી એટલી સારી હોતી નથી કે તે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો માં એટલી વધારે ફી ભરી અભ્યાસ કરાવી શકે નહિ. પણ હવે તે સરકાર દ્વારા શક્ય બનાવામાં આવ્યું છે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના " અંતર્ગત " Freeship card ” ની યોજના અમલમાં મુકવામાં આવી છે. 


તેમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજો માં ભણવા માટે અનુસૂચિત જતી અને જનજાતિ ના બાળકો આસાની થી ફી ભર્યા વગર જ ફ્રી શિપ કાર્ડ યોજના નો લાભ લઇ ને એડમિશન મેળવી શકે છે અને સારી રીતે અભ્યાસ કરી શકે છે. ભારત સરકાર ની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના મુજબ ના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ફ્રી શીપ કાર્ડ નો લાભ લઇ શકે છે.ફ્રી શીપ કાર્ડ મેળવવા માટે વિદ્યાર્થીના પરીવારની વાર્ષિક આવક મર્યાદા રૂ.૨.૫૦ લાખ સુધીની હોવી જરૂરી છે.


*ફ્રી - શિપ કાર્ડ  માટે જરૂરી ડોક્યુમેન્ટ. આ પ્રમાણે.*



*નીચે પ્રમાણે જે ડોક્યુમેન્ટ આપેલ છે તે વિદ્યાર્થીએ જે જિલ્લા માં રહેતા હોય અને જે જિલ્લા ડોક્યુમેન્ટ હોય ત્યાંથી ફ્રી શિપ કાર્ડ નીકળશે..* 👍



*1.. ફ્રી શિપ કાર્ડ માટે એડમિશન લેટર ખુબ જ જરૂરિ છે તેની સાથે નીચે આપેલ વિદ્યાર્થીના ડોક્યુમેન્ટ આપવા જિલ્લા સમાજ કલ્યાણ માં..* 👍🙏


( 1 ) રેશનકાર્ડ / ચુંટણી કાર્ડ / આધાર કાર્ડ ની પ્રમાણિત નકલ 


( 2 ) બેંક ખાતાનંબર માટે પાસબુકના પ્રથમ પાનાની પ્રમાણિત નકલ 


( ૩ ) સ્કુલ લિવિંગ સર્ટીફિકેટની પ્રમાણિત નકલ } 


( 4 ) જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ 


( 5 ) એસ.એસ.સી. પાસ થયાની તથા પછીના શૈક્ષણિક વર્ષની માર્કશીટની પ્રપાણિત નકલ 


( 6 ) ગતવર્ષની વાર્ષિક આવકનો સક્ષમ અધિકારીશ્રીના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ 


( 7 ) વિદ્યાર્થીના માતા પિતા નોકરી કરતાં હોય તો કચેરી / સંસ્થાનો ગત વર્ષના વાર્ષિક આવકના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ 


( 8 ) SSC અને તે પછીના અભ્યાસક્રમોમાં તૂટ પડેલ હોય તો તે અંગેના કારણ અને શું પ્રવૃતિ કરેલી છે તે અંગેનો તથા તૂટનો સમય ૧ વર્ષ કરતાં વધુ હોય તો તે સમય દરમિયાન કોઇ પણ પ્રકારની અભ્યાસક્રમાં કરી શિષ્યવૃત્તિ મેળવેલ નથી તે કોઇપણ પ્રકારની નોકરી કરી નથી તે અંગેનું એકસર નામુ રજુ કરવાનું રહેશે . આમ સ્વનિર્ભર સંસ્થાઓમાં જેની ફી બહુ જ વધુ હોવાના કારણે SC - ST વર્ગના જે વિદ્યાર્થીઓ ફી ભરવા માટે સક્ષમ હોતા નથી અને એડમિશન મેળવી શકતા નથી પણ Freeship card રજુ કરી વિદ્યાર્થીઓ પોતાની ભરવા પાત્ર શિક્ષણ ફી માફ કરાવી એડમિશન મેળવી શકે છે

Thursday, March 7, 2024

ખુદા ઓનલાઈન છે એ ન ભૂલવું.-પૂર્વી લુહાર

 



છળે જે તમને એનાથી દુર રહેવું

એમ કરી સંબંધની દોરને સાચવવું


માલિક હોય ભલે એને બુરો ન કહેવું

તેલ જોવુ ને તેલધાર પણ જોવું


કુટુંબમાં કલહ હોય મનમાં ન લેવુ

જાજા વાસણ ખખડે યાદ રાખવુ


હોય વધારે તો દેવું દઈને ફોટોપ્રુફ ન લેવું

પ્રથમતો ખુદના આતમને રાજી કરવું


કરચલીઓ જોવતો મુહ ન મોડવું

એ અરીસો ભવિષ્યનો એમ સમજવું


પૂર્વી, ભૈરવી, કાનડા કે રુચે એ છેડવું

પણ ખુદા હંમેશા ઓનલાઈન ન ભુલવું

Saturday, February 3, 2024

માતૃભાષા દિન ઉજવણી ક્યારથી કરવામાં આવી????

 





આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એ ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતાની જાગૃતિ અને બહુભાષાવાદને પ્રોત્સાહન આપવા માટે 21 ફેબ્રુઆરીના રોજ આયોજિત વિશ્વવ્યાપી વાર્ષિક ઉજવણી છે.  યુનેસ્કો દ્વારા સૌપ્રથમ 17 નવેમ્બર 1999ના રોજ જાહેરાત કરવામાં આવી હતી,તેને 2002માં યુએન ઠરાવ 56/262 અપનાવવા સાથે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા ઔપચારિક રીતે માન્યતા આપવામાં આવી હતી. માતૃભાષા દિવસ એ વ્યાપક પહેલનો એક ભાગ છે "  વિશ્વના લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી તમામ ભાષાઓની જાળવણી અને સંરક્ષણ" 16 મે 2007 ના રોજ યુએન ઠરાવ 61/266 માં યુએન જનરલ એસેમ્બલી દ્વારા અપનાવવામાં આવ્યું હતું,] જેણે 2008 ને આંતરરાષ્ટ્રીય ભાષા વર્ષ તરીકે પણ સ્થાપિત કર્યું હતું.  આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવાનો વિચાર બાંગ્લાદેશની પહેલ હતો.  બાંગ્લાદેશમાં, 21 ફેબ્રુઆરી (1952) એ દિવસની વર્ષગાંઠ છે જ્યારે પૂર્વ બંગાળના પાકિસ્તાની પ્રાંત (હવે બાંગ્લાદેશનું સ્વતંત્ર રાજ્ય)ના બંગાળીઓ એટલે કે પાકિસ્તાની બંગાળી મુસ્લિમો (હવે બાંગ્લાદેશી બંગાળી મુસ્લિમો)એ તેમની બંગાળી ભાષાની માન્યતા માટે લડત ચલાવી હતી. ]  તે પશ્ચિમ બંગાળ, આસામ, ઝારખંડ અને ત્રિપુરાના ભારતીય રાજ્યોના ભારતીય બંગાળીઓ દ્વારા પણ જોવામાં આવે છે.


International Mother Language Day is a worldwide annual observance held on 21 February to promote awareness of linguistic and cultural diversity and to promote multilingualism. First announced by UNESCO on 17 November 1999,[1] it was formally recognized by the United Nations General Assembly with the adoption of UN resolution 56/262[2] in 2002. Mother Language Day is part of a broader initiative "to promote the preservation and protection of all languages used by peoples of the world" as adopted by the UN General Assembly on 16 May 2007 in UN resolution 61/266,[3] which also established 2008 as the International Year of Languages.[4][5][6][7] The idea to celebrate International Mother Language Day was the initiative of Bangladesh. In Bangladesh, 21 February (1952) is the anniversary of the day when the Bengalis i.e. Pakistani Bengali Muslims (now Bangladeshi Bengali Muslims) of the Pakistani province of East Bengal (now independent state of Bangladesh) fought for recognition of their Bengali language.[8] It is also observed by the Indian Bengalis of the Indian states of West Bengal, Assam, Jharkhand and Tripura.


2026 sem. 2 time table

 2026 sem. 2 time table