Sunday, May 31, 2020

પિતાને નતમસ્તકે શ્રદ્ધાંજલિ


વર્ષો વીતી ગયા પણ હજુયે હયાત અમારી આસપાસ ઘણી વેળા અમોએ આપને અમારી સાથે લગોલગ અભેદ છત્રછાયા સમ અનુભવ્યા છે. સમય ભલે સરકતો રહે પણ આપની  મીઠી શીતળ વાત્સલ્યની છાવ અમને મળતી રહી છે મળશે જ આપની કિર્તીના કાંગરા આજેય ગગનચુંબી રહ્યા છે.આપના અજોડ દિવ્ય આત્માને ઐશ્વરીયતત્વ શાંતિ અર્પે એવી મનવાંછના,,,,,સહ....

- પૂર્વી અનિલ પરમાર

Wednesday, May 27, 2020

"ઈંટ" -- સ્નેહી પરમાર (યદા તદા ગઝલ 2015)






                ઈંટ

ઈંટ ઉપર ઈંટ ચડતી જાય છે
ઈંટ જાણે ઈંટ મટતી જાય છે

ઈંટમાંથી ભીંત બનતી જાય છે
ઈંટમાંથી ઈંટ ખરતી જાય છે

બે તરફ જળથી પલળતી જાય છે
ઈંટ ફૂલોમાં બદલતી જાય છે

ભીંત કંકુથાપ ધરતી જાય છે
ઈંટ અંદરથી ઊઘલતી જાય છે

ઈંટમાંથી ઈંટ ખસતી જાય છે
ઈંટ પણ માટીમાં મળતી જાય છે

    - સ્નેહી પરમાર
  (યદા તદા ગઝલ 2015)

Tuesday, May 19, 2020

અમરેલી જિલ્લામાં લોકડાઉન ૪.૦ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ના હુકમની નકલ

અમરેલી જિલ્લામાં લોકડાઉન ૪.૦ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ના હુકમની નકલ



Tuesday, May 12, 2020

ચોટદાર વાત....



લોકડાઉનના આ સમયમાં એક ચોટદાર વાત........


એક વીજળી ના થાભલા ઉપર એક કાગળ ની ચિઠી લગાવેલી હતી હું નજીક ગયો અને તેં વાંચવા લાગ્યો..!
એની ઉપર લખ્યું હતું ..
મહેરબાની કરી વાંચવું...
આ રસ્તા ઉપર કાલે મારા 50 રૂપિયા પડી ગયા છે મને બરાબર દેખાતું નથી એટલે મહેરબાની કરી જેને મળે તે નીચેના સરનામે પહોંચાડી દે...!
સરનામું..!
.............
.............

આ વાંચીને મને ઘડીક તો અચરજ થયું કે 50 રૂપિયા જેના માટે આટલા બધા કિંમતી હોય તો તે વ્યક્તિ ને મળવુંજ જોઈએ...!
હું એ બતાવેલ એડ્રેસ પર ગયો જઈને દરવાજો ખટ ખટાવ્યો તો એક અતિ વૃદ્ધ માજી એ દરવાજો ખોલ્યો માજી સાથે ની વાતમાં એટલો ખ્યાલ આવ્યો કે માજી એકલાજ છે તેની આગળ પાછળ કોઈ નથી મેં માજી ને કહ્યું કે તમારી ખોવાયેલ 50 રૂપિયા ની નોટ મને મળી છે તે દેવા આવ્યો છું...!

આ સાંભળીને માજી રડવા લાગ્યા અને રડતા રડતા કહ્યું કે બેટા અત્યાર સુધી માં 200 માણસો મને 50 રૂપિયા દઈ ગયા છે..!

હું અભણ છું એકલી રહું છું નજર પણ કમજોર છે કોણ જાણે કોણ એ ચિઠી લગાવી ગયું છે..!

બહુ જીદ કરી ત્યારે માજી એ 50 રૂપિયા તો લઈ લીધા પણ એક વિનંતી કરી કે બેટા જાતિ વખતે એ ચિઠી ફાડી ને ફેંકી દેજે...!

મેં હા તો પાડી દીધી પણ મારા જમીરે મને વિચારવા મજબૂર કરી દીધો કે મારા પહેલા જેટલા લોકો આવ્યા હશે તેને પણ માજી એ ચિઠી ફાડવા નું કીધુ હશે તો તે કોઈ એ ચિઠી નો ફાડી તો હું શામાટે ફાડું...!!

પછી હું એ માણસ નો વિચાર કરવા લાગ્યો કે એ કેટલો દિલદાર હશે જેને એક મજબૂર માજી ની મદદ કરવા માટે આવો વિચાર આવ્યો હું એને આશીર્વાદ દેવા મજબુર થઈ ગયો...!

કોઈને મદદ કરવા માટે રસ્તા તો ઘણા છે પણ નિયત સારી હોવી જોઈએ!કોપી

Monday, May 11, 2020

આરોગ્ય સંભાળ


@@ ચટણી@@


(1)લીલું લસણ, આંદુ, મરચાં, ધાણા,ને ખૂબ લસોટી બનાવવી
ગુણ-વિષમ જ્વર(મેલેરિયા)ને મટાડનાર, દિપક, પાચક.

 (2)પાકાં બીલા કે કોઠાના ગર્ભને આદુ સાથે ખાંડી તેમાં મરચાં ,મરી, ધાણા જીરું નાંખી ચટણી કરવી

 ગુણ અતિસાર (ઝાડા)માં પથ્ય

(3)-આદુ ઝીણું લસોટી તેમાં 
લીંબુ નીચોવી સિંધાલૂણ, મરી ,નાંખી ચટણી બનાવવી.
ગુણ-દિપક, પાચક રુચી ઉત્પન્ન કરનાર

(4) ફુદિનો,લીલા મરચા, કોથમીર, ખૂબ લસોટી તેમાં હળદર, જીરું, મીઠું, લસણ નાખી ચટણી બનાવવી તેમાં મીઠોલીમડો, કોપરું, શેકેલા ચણા, નાખી શકાય
 ગુણ-પાચક,રુચી કરને પથ્ય છે

(5)કરમદા,આદુ, કોથમીર, લસણ, ખાંડ, મીઠું, આખુજીરુ, લીલા મરચા, શીંગ દાણા ની ચટણી
ગુણ-વિટામિન થી ભભરપૂર,રુચી કર,દિપક ,પાચક.

(6) કાચી કેરી, લીલા મરચાં, ફુદિના, કોથમીર, જીરુંઆખુ,લીલું લસણ ની ચટણી.
-ગુણ- દિપક, પાચક, ત્રીદોષ નાશક ,લૂ ન લાગે .

(7) આમળી ,શીંગ દાણા, કોપરું,
મરચાં, કોથમીર, જીરું, ખાંડ, મીઠું ની
ચટણી-
ગુણ-વિટામિન સી થી ભરપુર, રોગપ્રતિકારક શક્તિ પેદા થાય, દિપક પાચક, ગ્રાહી.

આભાર

Mahabharat "भीष्म पितामह शरशैय्या".. Information

भीष्म पितामह शरशैय्या


जब श्रीकृष्ण शरशैय्या पर लेटे भीष्म पितामह से मिलने आये तब भीष्म ने उनसे प्रश्न पूछा.

हे केशव ! आप तो सर्वज्ञ हैं. भूत भविष्य सब जानते हैं. अतः कृपया कर बताइये, मुझे शरशैय्या का दारुण दुख किस कारण हेतु मिला ?.
हे माधव ! मुझे अपने 100 पूर्वजन्म याद हैं. मैंने कभी किसी का अहित नही किया. सदैव दुसरो की सहायता की पुण्य कर्म किये. फिर मुझे शरशैय्या की पीड़ा क्यों मिली ??.

श्रीकृष्ण:- हे वीरश्रेष्ठ पितामह ! हे कुरुश्रेष्ठ पितामह ! ये आपके 100 पूर्वजन्मों का फल नही हैं अपितु ये आपके 101 वें पूर्वजन्म के कर्मो का फल हैं. जिसमें भी आपने एक राजवंश में जन्म लिया था. तब आप एक राजकुमार थे.

एक दिन आखेट के दौरान आपके घोड़े के अग्रभाग पर वृक्ष से गिरकर एक करकेंटा आ गिरा. जिसे आपने बाण से उठाकर दूर फेंक दिया. जो पीठ के बल बेरिया(बेर) के वृक्ष पर गिर गया. पीठ के बल गिरने से बेरिया के कांटे करकेंटा की पीठ में शरीर के आरपार धँस गये.

असहनीय पीड़ा सहते हुए करकेंटा की 18 दिन पश्चात मृत्यु हो गई. किन्तु इस दौरान उसने आपको श्राप दिया:- जिसकी वजह से मुझे ये दारुण दुख प्राप्त हुआ. उसकी मृत्यु भी ऐसी ही हो. अतः उसके श्राप के फलस्वरूप आपको ये शरशैय्या मिली.

भीष्म:- हे मधुसूदन ! तो कृपया कर ये भी बताइये श्राप का फल मुझे 100 जन्मों उपरांत इसी जन्म में क्यों मिला ??..

श्रीकृष्ण:- हे श्रेष्ठ धनुर्धर पितामह ! आपने 100 पूर्वजन्म में कोई पापकर्म किया ही नही. सदैव पुण्य किया. अतः करकेंटा के श्राप का फल आप पर फलित नही हुआ. किन्तु इस जन्म में आपसे महापाप हुआ हैं.

आपके समक्ष भरे दरबार मे एक स्त्री(द्रोपदी) का चीरहरण होता रहा, किन्तु आप मौन रहे. उस पापकर्म को रोकने मे सक्षम, सामर्थ्यवान होते हुए भी आप मौन रहे पितामह ! आप मौन रहे !. इसी नारी अपमान के मौन पाप से आपके पूर्व 100 जन्मों के पुण्य क्षीण हो गए. अतः इस जन्म में वह श्राप प्रभावी हो कर फलित हो गया.

श्रीकृष्ण के वचन सुनकर भीष्म की जिज्ञासा शांत हो गई.

Note:

महाभारत के इस प्रसंग से स्पष्ट हैं सनातन में स्त्री सम्मान सदैव सर्वोच्च रहा हैं. भीष्म चीरहरण में शामिल नहीं थे, फिर भी मात्र मौन रहने से उनके समस्त पुण्य क्षीण हो गए. Copy

Tuesday, May 5, 2020

પાપા...

એવું છે થોડુ કે હોય હાથમાં હાથ પ્રિયતમનો જ
ક્યાંક રંગીન નખ બનાવવા કરચલીઓનો મેળો જામે એમ પણ બને...    






    

Goat bank, બકરી બેન્ક વિશે જાણો છો?? અહીં જાણો.

  https://www.instagram.com/reel/C4ZiEoJhXt3/?igsh=MzRlODBiNWFlZA== બકરી બેન્ક શુ છે??? જાણો છો એના વિશે...... તો અહી જાણો. /reel/C4ZiEoJhXt...