Saturday, December 14, 2019

લોકગીત

હાજી કાસમ, તારી વીજળી[૧] રે મધદરિયે વેરણ થઇ
શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ
ભુજ અંજારની જાનું રે જૂતી, જાય છે મુંબઇ શે’ર
દેશ પરદેશી માનવી આવ્યાં, જાય છે મુંબઇ શે’ર
દશ બજે તો ટિકટું લીધી, જાય છે મુંબઇ શે’ર
તેર તેર જાનું સામટી જૂતી, બેઠા કેસરિયા વર
ચૌદ વીશું[૨]માંય શેઠિયા બેઠા, છોકરાંઓનો નહીં પાર
અગિયાર બજે આગબોટ હાંકી, જાય છે મુંબઇ શે’ર
બાર બજે તો બરોબર ચડિયાં, જાયછે મુંબઇ શે’ર
ઓતર દખણના[૩] વાયરા વાયા, વાયરે ડોલ્યાં વા’ણ[૪]
મોટા સાહેબની આગબોટું મળિયું, વીજને પાછી વાળ્ય
જહાજ તું તારું પાછું વાળ્ય રે માલમ આભે ધડાકા થાય
પાછી વાળું, મારી ભોમકા લાજે, અલ્લા માથે એમાન[૫]
આગ ઓલાણી ને કોયલા ખૂટ્યા, વીજને પાછી વાળ્ય
મધદરિયામાં મામલા મચે, વીજળી વેરણ થાય
ચહમાં[૬] માંડીને માલમી જોવે, પાણીનો ના’વે પાર
કાચને કુંપે કાગદ લખે, મોકલે મુંબઇ શે’ર
હિન્દુ મુસલમીન માનતા માને પાંચમે ભાગે રાજ
પાંચ લેતાં તું પાંચસે લેજે, સારું જમાડું શે’ર
ફટ ભૂંડી તું વીજળી મારાં, તેરસો માણસ જાય
વીજળી કે મારો વાંક નૈ, વીરા,લખિયલ છઠ્ઠીના લેખ
તેરસો માણસ સામટાં બૂડ્યાં, ને બૂડ્યા કેસરિયા વર
ચૂડી એ કોઠે દીવા જલે ને, જુએ જાનું કેરી વાટ
મુંબઇ શે’રમાં માંડવા નાખેલ, ખોબલે વેં’ચાય ખાંડ
ઢોલ ત્રંબાળુ ધ્રુસકે વાગે, જુએ જાનુંની વાટ
સોળસેં કન્યા ડુંગરે ચડી, જુએ જાનુંની વાટ
દેશ,દેશથી કંઈ તાર વછૂટ્યા, વીજળી બૂડી જાય
વાણિયો વાંચે ને ભાટિયા વાંચે, ઘર ઘર રોણાં થાય
પીઠી ભરી તો લાડડી[૭] રુએ, માંડવે ઊઠી આગ
સગું રુએ એનું સાગવી રુએ, બેની રુએ બાર માસ
મોટાસાહેબે આગબોટું હાંકી, પાણીનો ના’વે પાર
મોટા સાહેબે તાગ જ લીધા, પાણીનો ના’વે પાર
સાબ, મઢ્યમ[૮] બે દરિયો ડોળે,પાણીનો ના’વે તાગ
હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ

વહેચણી- વાર્તા

📌 *વહેંચણી - એક ઉત્તમ નિર્ણય...* 

વડીલ : મગનભાભા
મોટો છોકરો : રાકેશ
વચલો : સુરેશ
નાનો : મુકેશ

*રાકેશ -*
"બાપા   ! પંચ આવ્યું છે, હવે વહેંચણી કરો. "

*સરપંચ -*
"જો ભેગા રહેવું ફાવતું ન હોય તો છોકરાઓ ને ભાગ પાડી દયો ઇ હારુ..,
હવે તમે કયો કે કયા છોકરા હારે તમે રેવાના ?"

(સરપંચે મગનભાભા ને પૂછ્યું. )

*રાકેશ  -*
"અરે એમાં હુ પૂછવાનું, ચાર મહિના મારે ન્યા, ચાર મહિના વચલા ને ન્યા ને ચાર મહિના નાનકા ને ન્યા રેશે "
*બાકી ના બે છોકરા -* હા ઠીક છે... હાલશે અમારે..

*સરપંચ*
" હાલો ત્યારે, ઇ પાકુ થઈ ગ્યુ,હવે ઘર જમીન ના ભાગ કરીએ !"

*મગનભાભા*
(અત્યાર હુધી ઉપર આકાશમાં આંખ્યું માંડીને બેઠા હતા.
અચાનક જોરથી રાડ પાડી બોલ્યા....)
"હેની વહેંચણી..?
"હેના ભાગ...?
"હેં..."
"ભાગ હુ પાડીશ, વહેંચણી હું,તમારો બાપ કરીશ,
આ ત્રણેયે પેરેલા કપડે મારા ઘરમાંથી નીકળી જાવાનું છે.."
"ચાર ચાર મહિના ની પાળીમાં, વારાફરતી મારા ઘરે આવીને રેવા આવવાનું,
અને બાકીના મહિનાની વ્યવસ્થા જેને જેમ પોહાય એમ કરી લેવી ...."

*"સંપત્તિનો માલિક હું છું "*

ત્રણેય છોકરાઓ અને પંચની બોલતી બંદ થઈ ગઈ, મગનભાભા ની વહેંચણીની નવી ભાતની  રીત હામ્ભળીને ઘણા ગલઢેરાઓની આંખ્યું પણ ખુલી .

 *આને કેવાય નિર્ણય..*

*વહેંચણી છોકરાઓએ નહિ,*
*માબાપ એ કરવી...*

🙏 🙏

Sunday, July 21, 2019

ઉમાશંકર જોશી જન્મદિન.૨૧/૭/૨૦૧૯

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.
સૂના સરવરિયાની સોનેરી પાળે,
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી.
એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો, અટૂલો ઝાંખો પડ્યો.
આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.
– ઉમાશંકર જોષી

જન્મદિને સાદર વંદના
21/7/2019

Friday, April 5, 2019

"ઢોલ"-વિશે જાણો.


.ઢોલના પ્રકાારો

  (૧)ચમવાો ઢોલ,
 (૨) નિવયો ઢોલ (સામૈયાનો ઢોલ),
 (૩) ઝોરી ઢોલ
(૪) ઢહલાનો ઢોલ (માંાનો ઢોલ) ,
(૫) ઢમસિળયો ઢોલ – હોળી, ગોર, મેંળામા          વગાડાય,
(૬) વારી ઢોલ – કોઈના મૃત્યું પ્રસંગે, ‘સરતરા’(ચઢાઈ) સમયે, સરકારી અમલદારના આગમન સમયે વગાડાય,.
ઢોલની બનાવટ:
ઢોલ બનાવવા ‘સવણ’ના થડને ગોળાકાર કોરી બન બાજ બકરાના ચામડાથી મઢે છે.
                                                -સંકલન:પૂર્વી લુહાર.

Thursday, April 4, 2019

સમતા દિન બાબુ, જગજીવન રામજી જન્મ જ્યંતી.

🙏🏻🙏🏻💐સમતા દિવસ💐🙏🏻🙏🏻*

⛳ આજે બાબુ જગજીવનરામ જી ની જન્મજયંતિ છે.
⛳ ઘણાં વર્ષો સુધી રાષ્ટ્રની સેવામાં તેમણે પોતાનું જીવન વાપરી નાંખ્યું. તેમના જન્મ દિવસને સમતા દિવસ તરીકે પણ યાદ કરવામાં આવે છે.

⛳દલિત કુટુંબમાં જન્મ લઈને રાષ્ટ્રનું ગૌરવ વધારવામાં તેમણે અથાગ પુરૂષાર્થ કર્યો, પરિશ્રમ કર્યો. તેમણે સામાજિક સ્થિતિને ક્યારેય આડે આવવા દીધી નહીં.

⛳એવા જગજીવનરામ જી ની જન્મજયંતિએ ૦૫ એપ્રિલ ૨૦૧૬ ના રોજ ભારત સરકાર *સ્ટેન્ડ-અપ-કાર્યક્રમ* લોન્ચ કર્યો હતો.


⛳⛳બાબુ જગજીવનરામ જીની એક વિશેષતા એ પણ રહી છે કે તેઓ હંમેશા મેરિટના આગ્રહી રહ્યા. સ્કોલરશીપ પણ તેઓ મેરિટ પર લેવાનો આગ્રહ રાખતા હતાં. મેરિટ પર જે ના મળે, તેને લેવાનો ઈન્કાર કરતા હતા અને

💎 ઘણાં ઓછા લોકોને ખબર હશે કે ભારતે જે પ્રથમ કૃષિ ક્રાંતિ agriculture revolution કરી હતી ત્યારે આપણા દેશના *કૃષિ પ્રધાન* બાબુ જગજીવનરામ જી હતાં.

🚩ઘણાં ઓછા લોકોને ખબર હશે કે 1971ના યુદ્ધમાં ભારતે જે વિજય પ્રાપ્ત કર્યો હતો, તે સમયે *ભારતના સંરક્ષણ પ્રધાન* બાબુ જગજીવનરામ જી હતાં.

5.april.આજનો ઈતિહાસ

આજનો ઇતિહાસ
5/4/2019

*🌊🌊• રાષ્ટ્રીય મેરીટાઇમ દિન🌊🌊*

– ૫ એપ્રિલ ઈ.સ. ૧૯૧૯ના રોજ ‘ધ સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપની લી.નું પ્રથમ સમુદ્રી જહાજ ‘એસ એસ લોયલટી’એ યુનાઇટેડ કિંગડમની મુસાફરી કરી.
– તે સમયે સામુદ્રિક રસ્તાનું નિયંત્રણ બ્રિટિશ રાજ હેઠળ હતું.

*🔑🗝🚪ગાંધીજી ૫ એપ્રિલ ૧૯૧૫ હરદ્વારના કુંભમેળામાં ગયા.*

*🤺🤸‍♂🏋‍♂🏋‍♀૫ એપ્રિલ ૧૮૯૬ – પ્રથમ મોર્ડન ઓલમ્પિક રમતની શરૂઆત એથેન્સમાં થઇ .*

*⛳️⛳️⛳️૫ એપ્રિલ ૧૯૩૦ – ગાંધીજી મીઠાના સત્યાગ્રહ કરવા દાંડી પહોંચ્યા .*

*🌊🌊❄️❄️૫ એપ્રિલ ૧૯૬૧ – વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ નર્મદા યોજનાનો શિલાન્યાસ કર્યો .*

*🚗🚗🚗૫ એપ્રિલ ૧૯૬૪ – સૌ પ્રથમ ડ્રાયવર વગરની ટ્રેન લંડનમાં અંડર ગ્રાઉન્ડમાં શરુ કરાઈ .*

*🏮🏮🏮૫ એપ્રિલ ૧૯૬૫ – યુ એસમાં નેવાડામાં ન્યૂક્લિયર ટેસ્ટ કરવામાં આવ્યો .*

💐💐૫ એપ્રિલ ૧૯૯૩ – બોલીવુડ હિરોઈન દિવ્યા ભારતીનું અવસાન થયું .

*🎯👉૧૭૨૨ - ડચ અન્વેષક 'જેકબ રોગ્ગવીને'(Jacob Roggeveen) ઇસ્ટર ટાપુ (Easter Island) શોધી કાઢ્યો.*


*૧૯૫૭ 🔰💠ભારતમાં, સામ્યવાદીઓ, કેરળમાં પ્રથમ વખત ચુંટાઇ આવ્યા અને🔰💠'ઇ.એમ.એસ.નામ્બૂદ્રિપાદ' તેમનાં પ્રથમ મુખ્યમંત્રી બન્યા.*

🔰🔰🔰જન્મ🔰🔰🔰

*🎯👉૧૮૫૬ - બુકર ટી.વોશિંગ્ટન, અમેરીકન કેળવણીકાર, લેખક, વક્તા, અમેરિકન-આફ્રિકન સમુદાય (હબસી) ના પ્રભાવશાળી નેતા. (અ. ૧૯૧૫)*

*🎯🔰💠૧૯૦૮ - જગજીવન રામ, ભારતીય રાજનેતા (અ. ૧૯૮૬)*

*🎯👉૧૯૦૯ - 'આલ્બર્ટ આર.બ્રોકોલિ'(Albert R. Broccoli), અમેરિકન ચલચિત્ર (અ. ૧૯૯૬).(જેમ્સ બોન્ડ શ્રેણી).*

*🙏🎯૧૯૧૬ - ગ્રેગરી પેક (Gregory Peck), અમેરિકનચલચિત્ર અભિનેતા (અ. ૨૦૦૩)*

*🔰💠૧૯૨૦ - રફિક ઝકરિયા (Rafique Zakaria), ભારતીય લેખક (અ. ૨૦૦૫)*

*🎯👉૧૯૭૭ - તેજસ્ શિશાગિયા પત્રકાર્ રાજ્કોત્ નો જન્મ દિવસ્*

🔰🔰અવસાન🔰🔰🔰🔰

*🎯💠👉૨૦૦૭ - લીલા મજમુદાર, બંગાળી સાહિત્યકાર, બંગાળી બાળસાહિત્યકાર. (જ.૧૯૦૮
*🙏🏻🙏🏻💐સમતા દિવસ💐🙏🏻🙏🏻*

⛳ આજે બાબુ જગજીવનરામ જી ની જન્મજયંતિ છે.
⛳ ઘણાં વર્ષો સુધી રાષ્ટ્રની સેવામાં તેમણે પોતાનું જીવન વાપરી નાંખ્યું. તેમના જન્મ દિવસને સમતા દિવસ તરીકે પણ યાદ કરવામાં આવે છે.

⛳દલિત કુટુંબમાં જન્મ લઈને રાષ્ટ્રનું ગૌરવ વધારવામાં તેમણે અથાગ પુરૂષાર્થ કર્યો, પરિશ્રમ કર્યો. તેમણે સામાજિક સ્થિતિને ક્યારેય આડે આવવા દીધી નહીં.

⛳એવા જગજીવનરામ જી ની જન્મજયંતિએ ૦૫ એપ્રિલ ૨૦૧૬ ના રોજ ભારત સરકાર *સ્ટેન્ડ-અપ-કાર્યક્રમ* લોન્ચ કર્યો હતો.


⛳⛳બાબુ જગજીવનરામ જીની એક વિશેષતા એ પણ રહી છે કે તેઓ હંમેશા મેરિટના આગ્રહી રહ્યા. સ્કોલરશીપ પણ તેઓ મેરિટ પર લેવાનો આગ્રહ રાખતા હતાં. મેરિટ પર જે ના મળે, તેને લેવાનો ઈન્કાર કરતા હતા અને

💎 ઘણાં ઓછા લોકોને ખબર હશે કે ભારતે જે પ્રથમ કૃષિ ક્રાંતિ agriculture revolution કરી હતી ત્યારે આપણા દેશના *કૃષિ પ્રધાન* બાબુ જગજીવનરામ જી હતાં.

🚩ઘણાં ઓછા લોકોને ખબર હશે કે 1971ના યુદ્ધમાં ભારતે જે વિજય પ્રાપ્ત કર્યો હતો, તે સમયે *ભારતના સંરક્ષણ પ્રધાન* બાબુ જગજીવનરામ જી હતાં.

 ગુજરાતી મેળો માંથી સાભાર

Thursday, March 28, 2019

ઉનાળામાં સ્વાસ્થ્ય રક્ષા કરો.

ઉનાળામાં સ્વાસ્થ્યની રક્ષા માટે કુદરતી ગરમ પદાર્થોનો નિષેધ કરવો અને કુદરતી ઠંડા પદાર્થોનું સેવન કરવું*

તો ઓળખી લો:-
કલિંગર              - ઠંડું
સફરજન            - ઠંડું
ચીકુ                   - ઠંડું
લિંબુ                  - ઠંડું
કાંદા                  - ઠંડા
કાકડી                - ઠંડી
પાલક                - ઠંડી
કાચા ટમેટાં         - ઠંડા
ગાજર               - ઠંડા
મૂળા                  -ઠંડા
કોબીજ             - ઠંડી
કોથમીર             - ઠંડી
ફુદીનો               - ઠંડો
ભીંડો                - ઠંડો
સરગવો બાફેલો  - ઠંડો
બીટ                 - ઠંડુ
એલચી             - ઠંડી
વરિયાળી          - ઠંડી
આદુ                - ઠંડું
દાડમ               - ઠંડું
શેરડી રસ       - ઠંડો(વિના બરફ)
સંતરા              - ગરમ
કેરી ખાકટી        - ગરમ
બટાકા             - ગરમ
કારેલા             - ગરમ
મરચું               - ગરમ
મકાઈ              - ગરમ
મેથી                - ગરમ
રિંગણા            - ગરમ
ગુવાર              - ગરમ
પપૈયુ               - ગરમ
અનાનસ          - ગરમ
મધ                 - ગરમ
લીલું નારિયેળ   - ઠંડું
પાકી કેરી (દુધ સાથે) - ઠંડી
પંચામૃત           - ઠંડું
મીઠું                - ઠંડું
મગનીદાળ       - ઠંડી
તુવેરદાળ         - ગરમ
ચણાદાળ        - ગરમ
ગોળ              - ગરમ
તલ                - ગરમ
બાજરી          - ગરમ
નાચણી          - ગરમ
હળદર           - ગરમ
ચહા              - ગરમ
કૉફી              - ઠંડી
જુવાર           - ઠંડી
પનીર             - ગરમ
સૉફ્ટડ્રીંક        - ગરમ
કાજુ બદામ     - ગરમ
અખરોટ ખજૂર - ગરમ
શીંગદાણા       - ગરમ
આઇસક્રીમ    - ગરમ
શિખંડ           - ગરમ
ફ્રીજનું પાણી   - ગરમ
માટલાનું પાણી  - ઠંડું
ભાંગ              - ઠંડી
તુલસી            - ઠંડી
નીરો               - ઠંડો (ઊત્તમ)
તુલસીનાં બીજ - ઠંડા (ઊત્તમ)
તકમરિયા        - ઠંડા (ઊત્તમ)
એરંડા તેલ      - અતિ ઠંડું
દહીંછાશ       - ઠંડા(વિના બરફ)
ઘી દુધ          - ઠંડા(વિના બરફ)
પાઉં બિસ્કૂટ -ગરમ

*નૈસર્ગિક રીતે ઠંડા પદાર્થ ઉનાળામાં આરોગવાથી ગરમીથી થનાર ત્રાસથી શરીરનો બચાવ થાય છે*
*કાકડી,* - તબિયત કરે ફાંકડી

*બીટ* - શરીરને રાખે ફિટ

*ગાજર* - તંદુરસ્તી હાજર

*મગ* - સારા ચાલે પગ

*મેગી* - ખરાબ કરે લેંગી

*ઘઉં* - વજન વધારે બહુ

*ભાત* - બુદ્ધિને આપે સાથ

*સૂકા મરચા* - કરાવે વધારે ખર્ચા

 *દહીં* - જ્યાદા ઘુમાકે ખાઓ તો સહી

*ખજૂર* - શક્તિ હાજરાહજૂર

*દાડમ* - કરે મડદાંને બેઠું તેવી શક્તિ

*જાંબુ* - જીવન કરે નિરોગીને લાબું

*જામફળ* - એટલે મજાનું ફળ

*નારીયેળ* - એટલે ધરતીમાતાનું ધાવણ

*દૂધી* - કરે લોહીની શુદ્ધિ

*કારેલા* - ના ઉતરવાદે ડાયાબિટીસના રેલા

*તલ ને દેશી ગોળ* - આરોગ્યને મળે બળ

 *કાચું* - એટલું સાચુને રંધાયેલું એટલું ગંધાયેલું*

*લાલ ટમેટા* - જેવા થવું હોય તો લાલ ટમેટા ખાજો

*આદુ* - નો જાદુ

*ડબલફિલ્ટર તેલ* - કરાવે બીમારીના ખેલ

*મધ* - દુઃખોનો કરે વધ

*ગુટખા* - બીમારીના ઝટકા

*શરાબ* - જીવન કરે ખરાબ

*ઈંડુ* - તબિયતનું મીંડું

*દેશી ગોળ ને ચણા* - શક્તિ વધારે ઘણા

*બપોરે ખાધા પછી છાસ* -  પછી થાય હાશ

*હરડે* - બધા રોગને મરડે

*ત્રિફળાી ફાકી* - રોગ જાય થાકી

 *સંચળ* - શરીર રાખે ચંચળ

*મકાઈના રોટલા* - શક્તિના પોટલા

*ભજીયા* - કરે પેટના કજિયા

*રોજ ખાય પકોડી* - હાલત થાય કફોડી

*પાઉને પીઝા* - બીમારીના વિઝા

 *દેશી ગોળનો શીરો* - આરોગ્યનો હીરો


Wednesday, March 27, 2019

સરકારી શાળા ઉત્તમ શાળા

આપના બાળકને સરકારી શાળામાં પ્રવેશ અપાવો બિનજરૂરી ખર્ચાથી બચો.

સરકારી શાળા ઉત્તમ શાળા

*श्लोकः*
*निःशुल्कशिक्षापि च पुस्तकानि*
             *मध्याह्नभोजः खलु छात्रवृत्तिः।*
*आचार्यवर्गो       बहुशिक्षितश्च*
               *विद्यालये प्रेषय दर्शनीये ।।*

     *भावार्थ -:*
      यहां निःशुल्क शिक्षा दी जाती है ।पुस्तकें भी मुफ्त दी जाती हैं।मध्याह्न भोजन दिया जाता है ।छात्रवृत्ति भी दी जाती है ।यहां के अध्यापक सुशिक्षित है ।इसलिए यदि अपने बच्चे का भला चाहते हो तो  सरकारी स्कूलों मे ही दाखिल कराओ ।

Tuesday, March 26, 2019

"બરફ"-ઉનાળો આવી ગયો છે જાણો બરફના ફાયદા.


*બરફના ફાયદાઓ જાણો*

*1.* કડવી દવા ખાતા પહેલા, મોંમાં બરફનો ટૂકડો રાખો ! દવા કડવી નહિ લાગે !

*2.* માથું દુ:ખતું હોય તો, બરફના ટૂકડાને પ્લાસ્ટિકમાં લપેટીને માથા પર રાખવાથી દુ:ખાવામાં રાહત થશે!

*3.* શરીર પર કોઈપણ જગ્યાએ લાગ્યું હોય અને લોહી નીકળતું હોય તો, ત્યાં બરફનો ટૂકડો ઘસવાથી લોહી બંધ થઈ જશે !

*4.* હાથ-પગમાં કાંટો કે ફાંસ હોય અને સોયથી કાઢવાની હોય તો, ત્યાં પહેલા બરફ ઘસો જેથી તે ભાગ સુન્ન થઈ જાયને પછી કાંટો કાઢો.કાંટો સહેલાઈથી નીકળી જશે અને દર્દ પણ નહિ થાય !

*5.* શરીરમાં મૂંઢમાર લાગ્યો હોય (લોહી ન નીકળ્યું હોય) તો, ત્યાં બરફ ઘસવાથી અંદર લોહી નહિ જામે અને દર્દ ઓછું થશે !

*6.* નસકોરી ફૂટી હોય, નાકમાંથી લોહી નીકળતું હોય તો, બરફને કપડામાં લપેટીને, નાક અને તેની આજુબાજુ રાખવાથી થોડીવારમાં લોહી નીકળતું બંધ થઈ જશે !

*7.* ઉલટી થતી હોય તો, બરફનો ટૂકડો ધીમે ધીમે ચૂંસવાથી ઉલટી બંધ થઈ જશે !

*8.* પગની એડીમાં અસહ્ય દુ:ખાવો થતો હોય તો, બરફનો ક્યુબ ઘસવાથી આરામ થશે !

*9.* વધારે સમય મોબાઈલ કે કમ્પ્યુટર વપરાશને કારણે આંખ દુ:ખતી હોય તો, બરફનો ટૂકડો આંખ પર રાખવાથી રાહત થશે !

*10.* આંખ આજુબાજુ કાળા ડાધ હોય તો, કાકડીનો રસ અને ગુલાબજળ મિક્સ કરી, તેનો બરફ બનાવી, તે ઘસવાથી, એક જ અઠવાડિયામાં કાળા ડાઘ દૂર થઈ જશે !

*11.* ગળાની અંદર ખારાશ આવી કે આવતી હોય તો, ગળાના બહાર ધીમે ધીમે બરફનો ટૂકડો ઘસવાથી ખારાશ દૂર થશે !


*12.* દાઝી ગયા હોય તો, દાઝેલા ભાગ ઉપર તુરત બરફ લગાડવાથી બળતરા બંધ થશે. ફોલ્લાં કે દાઝના નિશાન ઉંડા નહિ થાય !

*13.* ઈન્જેક્શન લગાવ્યું હોય ત્યાં કે હાથ-પગમાં મોચ આવી હોય ત્યાં બરફ ઘસવાથી ખંજવાળ અને સોજો ઓછો થશે !

Saturday, March 23, 2019

વિશ્વ ક્ષય દિન.24.march

24.march.ક્ષય દિન

ટ્યુબરક્યુલોસિસ
 (ક્ષય રોગ) અથવા TB (TUBERCAL BESILAS ટૂંકું લખાણ) એ દંડ આકારના માયકોબેક્ટેરિયા  (mycobacteria), સામાન્ય રીતે માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ (Mycobacterium tuberculosis) દ્વારા માનવીમાં થતો સામાન્ય અને ઘણીવાર ઘાતક ચેપી રોગ  છે.[૧] ટ્યુબરક્યુલોસિસ સામાન્ય રીતે ફેફસા પર હુમલો કરતા હોય છે પરંતુ ઘણીવાર શરીરના અન્ય ભાગને પણ નુક્શાન પહોંચાડતા હોય છે. તે હવા દ્વારા ફેલાતો રોગ છે. જ્યારે રોગી વ્યક્તિને ખાંસી ખાય છે, છીંક ખાય છે કે થૂકે છે ત્યારે આ રોગના બેક્ટેરિયા ફેલાતા હોય છે. માનવીમાં મોટા ભાગના ચેપ બિમારીના ચિહ્નો ના હોય તેવા એસિમ્પટમેટિક  અને સુપ્ત હોય છે. સુપ્ત ચેપના દસમાંથી એક કિસ્સો સક્રિય બિમારીમાં પરિણમે છે અને તેની જો સમયસર સારવાર ન કરવામાં આવે તો પચાસ ટકા દર્દીઓની તેમાં મોત થાય છે.

આ રોગના ચિહ્નોમાં લાંબા સમય સુધી ખાંસી, ગળફામાં લોહી પડવું, તાવ, રાત્રે પસીનો વળવો અને વજનમાં ઘટાડો થવા જેવા ચિહ્નોનો સમાવેશ થાય છે. અન્ય અવયવોનો ચેપ ચિહ્નોમાં વધારો કરે છે. રેડિયોલોજી (સામાન્ય રીતે છાતીનો એક્સ-રે), ટ્યુબરક્યુલિન ચામડી પરિક્ષણ, લોહીનું પરિક્ષણ તેમજ માઇક્રોસ્કોપિક તપાસ અને શરીરના સ્ત્રાવોનું માઇક્રોબાયોલોજીકલ કલ્ચરને આધારે આ રોગનું નિદાન થાય છે. આ રોગની સારવાર ઘણી અઘરી છે અને તેમાં લાંબા સમય સુધી વિવિધ એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરવો પડે છે. દર્દીના સંપર્કમાં આવતા વ્યક્તિઓની પણ જરૂર પડે તો તપાસ કરવી પડે છે. (તીવ્ર) મલ્ટિ-ડ્રગ-ટ્યુબરક્યુલોસિસમાં  બેક્ટેરિયા દ્વારા એન્ટિબાયોટિક સામે પ્રતિકારક શક્તિ કેળવી લેવાની સમસ્યા દિવસે દિવસે વધુ ગંભીર બની રહી છે. ટીબી અટકાવવાનો આધાર સ્ક્રિનીંગ કાર્યક્રમ અને બેસિલસ કાલમેટ-ગ્યુરિન (Bacillus Calmette-Guérin) રસી સાથેના રસીકરણ પર રહેલો છે.

દુનિયાની ત્રીજા ભાગની વસતી એમ. ટ્યુબરક્યુલોસિસ થી પીડાતી હોવાનું માનવામાં આવે છે[૨] અને દર બીજી સેકન્ડે વધુ એક વ્યક્તિને તેનો ચેપ લાગે છે.[૩] ટ્યુબરક્યુલોસિસથી બીમાર પડતા દર્દીઓની સંખ્યા દર વર્ષે સ્થિર થઇ રહી છે અથવા ઘટી રહી છે પરંતુ વસતી વધારાને કારણે નવા કેસોની ચોક્કસ સંખ્યા હજુ પણ વધી રહી છે.[૩] 2007માં ક્ષયરોગના અંદાજે 1.37 કરોડ ગંભીર કેસ હતા અને 93 લાખ કેસ નવા નોંધાયા હતા તેમજ 18 લાખ દર્દીઓના મોત થયા હતા. આમાંથી મોટા ભાગના કિસ્સા વિકાસશીલ દેશોમાં  નોંધાયા હતા.[૪] વધુમાં વિકસિત દેશોમાં ક્ષય રોગના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે કારણકે ઇમ્યુનોસપ્રેસિવ ડ્રગ (immunosuppressive drug), પદાર્થોના વધુ પડતા ઉપયોગ અથવા એઇડ્સને કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ ઘટી છે. સમગ્ર વિશ્વમાં ક્ષયરોગના દર્દીઓની સંખ્યા સમાન નથી. એશિયા અને આફ્રિકાના ઘણા દેશોની 80 ટકા વસતી ટ્યુબરક્યુલિન ટેસ્ટમાં પોઝિટીવ આવે છે જ્યારે અમેરિકાની માત્ર 5-10 ટકા વસતીનો જ ટેસ્ટ પોઝિટિવ આવે છે.
[23/03 8:47 pm] Purvi Gujarati: Main symptoms of variants and stages of tuberculosis,[૫][૬] ઘણા ચિહ્નો અન્ય સાથે મળતા આવે છે જ્યારે અન્ય ચિહ્નો (બધા જ નહીં) ચોક્કસ જાત માટે ચોક્કસ છે. એક કરતા વધુ જાતો એક સાથે હાજર હોઇ શકે છે.

માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસનું ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ સ્કેનિંગ

જીનસ માયકોબેક્ટેરિયમનું ફાયલોજિનેટિક વૃક્ષ.
રોગ જ્યારે સક્રિય થાય છે ત્યારે 75 ટકા કેસ ફેફસાના  ટીબીના હોય છે. તેના લક્ષણોમાં છાતીમાં દુખાવો, ગળફામાં લોહી પડવું અને ત્રણ સપ્તાહથી વધુ સમય માટે ખાંસી અને કફનો સમાવેશ થાય છે. પદ્ધતિસરના લક્ષણોમાં તાવ, ઠંડી લાગવી, રાત્રે પસીનો વળવો, ભૂખ ના લાગવી, વજન ઘટી જવું, ફીકાશ અને ઘણી વાર નબળાઇ વગેરેનો સમાવેશ થાય છે.[૩]

અન્ય 25 ટકા સક્રિય કેસમાં ચેપ ફેફસાથી આગળ વધીને અન્ય અવયવોમાં ફેલાય છે અને અન્ય પ્રકારનો ક્ષય રોગ થાય છે જેને એક્સ્ટ્રાપલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ કહેવાય છે.[૭] નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો અને નાના બાળકોમાં તે બહુ સામાન્ય રીતે થાય છે. એક્સ્ટ્રાપલ્મોનરી ચેપના સ્થળોમાં ફેફસાની અંતઃત્વચામાં સોજામાં ફેફસાની અંતઃત્વચા, મગજના તાવમાં કેન્દ્રીય ચેતાતંત્ર, કંઠમાળમાં લસિકાવાહિની તંત્ર, યુરોજેનિટલ ટ્યુબરક્યુલોસિસમાં જેનિટોયુરિનરી સિસ્ટમ અને કરોડની પોટ્સ બિમારીમાં હાડકા અને સાંધાનો સમાવેશ થાય છે. સૌથી ગંભીર રૂપ ડિસસેમિનેટેડ ટીબી છે જે મિલિયરી ટ્યુબરક્યુલોસિસ તરીકે ઓળખાય છે. એક્સ્ટ્રાપલ્મોનરી ટીબી પલ્મોનરી ટીબીની સાથે પણ થઇ શકે છે.

Friday, March 22, 2019

શહિદ દિન 23.માર્ચ.





આજે ૨૩ માર્ચ : શહિદ દિન...જે દિવસે ભગતસિંહ, સુખદેવ અને રાજયગુરૂ દેશ માટે શહિદ થયા. લોક ચેતનાને હચમચાવવા પાર્લામેન્‍ટમાં બોમ્‍બ ફેંકીને જેમને સામે ચાલીને આવી દેશ માટે ફાંસીના ફંદાને જાતે ચુમીને ગળામાં નાખી શહીદી વ્‍હોરીને ક્રાંતિકારીઓના ઈતિહાસનું ટર્નીંગ પોઈન્‍ટ સાબિત થયા તે ભગતસિંહ,સુખદેવ અને રાજયગુરૂને શત શત વંદન .........
ભગતસિંહ, શિવરામ, રાજગુરુ અને સુખદેવ સામે અંગ્રેજ પોલીસ અધિકારી સોન્ડર્સની હત્યાનો આરોપ હતો. લાલા લજપતરાય પર લાઠીચાર્જ અને પછી તેમના દેહાંતથી સમસમી ઉઠેલા ભગતસિંહ સાથીદારોએ આ અધિકારીને ૧૭મી ડિસેમ્બર, ૧૯૨૮ના રોજ ઠાર કર્યા હતા. તે પછી ભગતસિંહે ૧૯૨૯માં ૮ એપ્રિલે ધારાસભામાં બોંબ ફેંક્યો હતો. પકડાયા પછી કેસ ચાલ્યો હતો. ૧૯૩૦માં સાતમી ઓક્ટોબરે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસીની સજા ફરમાવાઈ હતી. ૧૯૩૧માં નક્કી થયા મુજબ ૨૪મી માર્ચે ફાંસી આપવાની જાહેરાત થયેલી. સમગ્ર દેશમાં એની ચર્ચા અને વિરોધ વ્યાપક બનેલાં. સરકારે વિરોધના ડરથી એક દિવસ પહેલા, ૨૩મી માર્ચે, સાંજે ત્રણેયને અચાનક ફાંસીએ લટકાવી દીધા હતા. ફાંસી પછી, ચૂપચાપ, ઉતાવળે, સતલજ નદીના કિનારે, હુસૈનીવાલા ફિરોજપુરમાં અંતિમ સંસ્કાર કરી દીધેલા.


Wednesday, March 20, 2019

ચકલીનું સ્મારક


20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ.
નવનિર્માણમાં શહીદ ચકલીનું ઢાળની પોળમાં સ્મારક,
         
ભૂતકાળ બની ભુલાઈ રહેલી ચકલીનું એક અનોખું સ્મારક અમદાવાદના આસ્ટોડિયા વિસ્તારમાં 'ઢાળની પોળ'માં બનાવ્યું છે. ૧૯૭૪ના નવનિર્માણ(રોટી રમખાણ) આંદોલન દરમિયાન પોલીસ ગોળીબારનો ભોગ બનેલી એક ચકલીને શ્રદ્ધાંજલિ રૂપે લોકોએ લાગણીશીલ થઈ તેનું કાયમી સ્મારક બનાવ્યું છે.

આજનું સામાન્ય જ્ઞાન

કરન્ટ અફેર્સ તા. ૨૦/૦૩/૨૦૧૯
દિન વિશેષ
20 માર્ચને વિશ્વ ચકલી દિવસ તરીકે ઊજવવામાં આવે છે
➡ ચકલી એ દિલ્હીના રાજ્યપક્ષી તરીકેનો દરજ્જો ધરાવે છે.
➡ દિવસે દિવસે ચકલીનું પ્રમાણ ઘટતું જાય છે તે ન ઘટે તેના માર્ગદર્શન માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
➡ ચકલી ઓછી થવાનાં કારણો જેમ કે, માળા બાંધવાની જગ્યાનો અભાવ, માળો બાંધવાનાં સંસાધનોની ઉણપ, મોબાઇલ ટાવરોનું રેડીએશન, રાસાયણિક ખાતરો, વાહનોથી પ્રદૂષિત વાતાવરણ, આધુનિક બાંધકામ જેવાં કારણો જવાબદાર છે.
➡ 20 માર્ચ 2010ના દિવસથી વિશ્વ ચકલી દિવસની શરૂઆત થઈ હતી.
➡ આ 20 માર્ચને સહુ પ્રથમ વખત ‘વર્લ્ડ હાઉસ સ્પેરો ડે’ તરીકે ઊજવવામાં આવી.
➡ ચકલી બચાવવા આપણા મકાનની આસપાસ ચકલીઓ માળાઓ બનાવી શકે તેવું વાતાવરણ નિર્માણ કરીએ.
20 માર્ચ ખુશવંતસિંહનો નિર્વાણ દિવસ
➡ જન્મ:15 ઑગસ્ટ, 1915, હડલી, પંજાબ, પાકિસ્તાનમાં.
➡ 1947માં બ્રિટીશ સામ્રાજ્યથી ભારતની સ્વતંત્રતા પર ભારતીય વિદેશ સેવામાં જોડાયા હતા.
➡ તેમને 1951માં ઑલ ઇન્ડિયા રેડિયોમાં પત્રકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
➡ 1980-1986 સુધી રાજ્યસભામાં સાંસદ રહ્યા હતા.
➡ ખુશવંતસિંહને 1974માં પદ્મભૂષણનું સન્માન આપવામાં આવ્યું હતું.
➡ પરંતુ તેમણે 1984માં 'ઓપરેશન બ્લુ સ્ટારના વિરોધમાં ઍવૉર્ડ પાછો આપ્યો.
➡ 2007માં તેમને પદ્મવિભૂષણ, ભારતનો બીજો સૌથી મોટો નાગરિક ઍવૉર્ડ એનાયત કરાયો હતો.
➡ ટ્રેન ટુ પાકિસ્તાન તેમની પ્રખ્યાત નવલકથા છે જેમાં ભારત–પાકિસ્તાનના ભાગલામાં થયેલી કત્લેઆમની વાત કરવામાં આવી છે.
➡ તેમનું છેલ્લું પુસ્તક 'ધ ગુડ' ધ બેડ એન્ડ ધ રિડિક્યુલસ' ઑક્ટોબર 2013માં પ્રકાશિત થયું હતું.
➡ 20 માર્ચ, 2014ના રોજ 98 વર્ષની ઉંમરે દિલ્હીમાં અવસાન પામ્યા.

ગુજરાત
GTU અટલ ઇનોવેશન મિશન ઍવૉર્ડની પ્રાપ્ત રકમમાંથી ખાસ કાર્યક્રમ યોજશે
➡ ૨૨ માર્ચના રોજ આ ખાસ કાર્યક્રમ યોજાશે.
➡ GTUને અટલ ઇનોવેશન મિશન ઍવૉર્ડ નીતિ આયોગ દ્વારા આપવામાં આવ્યો છે.
➡ આ કાર્યક્રમમાં વિપ્રોમાં બે દાયકા સેવા આપનાર ટૅકનોલૉજી નિષ્ણાત વિજયકુમાર ઈવાતુરી કલામ મેમોરિયલ પર લેક્ચર આપશે.
➡ મિસાઇલ ગુરુ કલામની જન્મજયંતી પ્રસંગે ગત વર્ષે યોજવામાં આવેલ ઇન્ડિયા ઇન્ટરનૅશનલ સાયન્સ ફેસ્ટિવલમાં GTUને શ્રેષ્ઠ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ વિકસવા માટે બીજું ઇનામ પ્રાપ્ત થયું હતું.
➡ આ કાર્યક્રમમાં કુલ 41 સ્ટાર્ટ અપ પ્રોજેક્ટને 1 કરોડ 30 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે.

ભારત
ગોવાના નવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંત બન્યા
➡ પ્રમોદ સાવંત ભાજપ પક્ષના ઉમેદવાર છે જેમણે ગઈકાલે મુખ્યમંત્રી તરીકેના સપથ લીધા.
➡ પ્રમોદ સાવંત શ્રી મનોહર પારિકરના અવસાન બાદ નવા મુખ્યમંત્રી તરીકે ભૂમિકા ભજવશે.
➡ પ્રમોદ સાવંતને ગોવાના રાજ્યપાલ મૃદુલા સિંહે શપથ લેવડાવ્યા છે.
➡ પ્રમોદ સાવંત ગોવા વિધાનસભાના અધ્યક્ષ હતા.
➡ મુખ્યમંત્રીને શપથ રાજ્યપાલ લેવડાવે છે.
➡ મુખ્યમંત્રી પોતાનું રાજીનામું રાજ્યપાલને આપે છે.

રામનાથ કોવિંદ દ્વારા સંરક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર જવાનોને શૌર્ય પુરસ્કાર તથા વિશિષ્ટ સેવા સન્માન આપવામાં આવ્યાં.
➡ ભારતીય સેનાના સિપાહી વિજય કુમાર તથા CRPFના પ્રદીપ કુમાર પાંડાને મરણોત્તર કીર્તિચક્ર પુરસ્કારથી સન્માનિત કરાયા છે.
➡ કાશ્મીરમાં આંતકવાદી વિરોધ કાર્યવાહીમાં બંને વીર શહીદોએ અસાધારણ શૌર્ય દાખવ્યું હતું.
➡ લેફ્ટનન્ટ જનરલ અનિલકુમાર ભટ્ટને ઉત્તમ યુદ્ધસેવા ચંદ્રકથી સન્માનિત કરાયા છે.
➡ આ પ્રસંગે નરેન્દ્ર મોદી તથા ત્રણે પાંખના વડા ઉપસ્થિત રહ્યા હતા.
➡ ભૂમિદળના વડા બિપિન રાવત છે.
➡ નૌકાદળના વડા સુનીલ લાંબા છે.
➡ વાયુદળના વડા ઍર ચીફ માર્શલ બીરેન્દ્રસિંહ ધનોઆ છે.
ન્યાયમૂર્તિ પિનાકી ચંદ્ર ઘોષ દેશના લોકપાલ બન્યા છે
➡ પી.સી.ઘોષ દેશના પ્રથમ લોકપાલ બન્યા છે.
➡ લોકપાલના ગઠન માટે 8 સભ્યોની લોકપાલ શોધ સમિતિની રચના ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવી હતી.
➡ લોકપાલ અને લોકાયુક્તનું વિધાયક 2011માં રાજ્યસભા અને લોકસભામાં પસાર થયું હતું.
➡કેન્દ્ર સરકારમાં લોકપાલ અને રાજ્યસ્તરે લોકાયુક્તની નિમણૂક કરવામાં આવે છે.
➡ લોકપાલમાં એક અધ્યક્ષ અને વધુમાં વધુ આઠ સભ્ય હોય છે જેમાં 50 ટકાથી વધારે ન્યાયિક સદસ્ય હોય છે.
➡ લોકપાલની નિમણૂકને રાષ્ટ્રપતિએ બહાલી આપી છે.
➡લોકપાલના અન્ય સભ્યોમાં જસ્ટિસ દિલીપ ભોંસલે, પી.કે મોહંતી, અભિલાષા કુમારી, એ.કે. ત્રિપાઠી વગેરે જસ્ટિસનો ટીમમાં સમાવેશ થાય છે.
➡ નોન જ્યુડિશિયલ મેમ્બરમાં ડી.કે.જૈન, અર્ચના રામ સુંદરમ, આઇ.પી.ગૌતમ વગેરેનો સમાવેશ થાય છે.
➡ હાલમાં ડી.કે.જૈન BCCIના લોકપાલ બન્યા છે.
➡ આઇ.પી.ગૌતમ હાલમાં અમદાવાદ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના વડા છે.
➡ વડાપ્રધાન પણ લોકપાલના દાયરામાં લાવવામાં આવ્યા છે તેમની પણ તપાસ લોકપાલ કરી શકે.
ભારત અને શ્રીલંકા વિશે સંયુક્ત અભ્યાસ 'મિત્ર શક્તિ-6'નું આયોજન કરવામાં આવ્યું છે

Saturday, March 9, 2019

શ્રદ્ધાંજલિ-ધૂમકેતુ

           
           
           શ્રદ્ધાંજલિ
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી " ધૂમકેતુ"
જન્મ       : ૧૨-૧૨-૧૮૯૨
અવસાન  : ૧૦-૦૩-૧૯૬૫
ગુજરાતી સાહિત્યમાં ચોટદાર અને અસરકારક વાર્તાઓ આપનાર
' ધૂમકેતુ' નું સાહિત્ય આજે પણ ખૂબ લોકપ્રિય છે.
પોતાના પ્રથમ પુસ્તકથી જ શ્રેષ્ઠ વાર્તાકાર તરીકે લોકોના મનમાં ઘર કરી ગયેલા ગૌરીશંકર જોશી " ધૂમકેતુ" નો જન્મ સૌરાષ્ટ્રનાં વિરપુરમાં સૌરાષ્ટ્ર બાજ ખેદાવાળ બ્રાહ્મણનાં ખોરડે થયો હતો.તેમણે અનેક હ્દયસ્પર્શી ચોટદાર અને અસરકારક વાર્તાઓ આપી છે.તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ
 ' તણખામંડળ' નો પહેલો ભાગ પ્રસિદ્ધ થયો ત્યારથી જ સાહિત્યાકાશમાં તેઓ તેજ સૂર્યની જેમ પ્રકાશી ઉઠ્યા અને
' ધૂમકેતુ' ના ઉપનામથી પ્રસિદ્ધ થય ગયા.ધૂમકેતુ રંગદર્શી પ્રક્રુતિના સર્જક છે,પરિણામે લાગણી નિરૂપણ,વેગ,કવિતાની નિકટ બેસતી ગદ્યશૈલી એમની નવલિકાઓમાં પ્રગટ થાય છે.એમની વાર્તાકથનની નિજી લાક્ષણિક શૈલી છે.લોકબોલીનો લહેકો,કાવ્યમય અલઁકારિક અને સચોટ પ્રભાવ નિરૂપતું ગદ્ય અને સંવાદો એમની નવલિકાઓને ઓપ આપે છે.કટાક્ષ અને હાસ્યનો પણ એમાં ક્યારેક ઉપયોગ થયો છે.એમણે વિવિધ સાહિત્ય સર્જન કર્યુ,પણ વાર્તાકાર તરીકે ગૌરીશંકર જોશી ગુજરાતી સાહિત્યમાં માનભર્યુ સ્થાન પામ્યા છે.

Thursday, February 28, 2019

આજનો ઈતિહાસ


     
*_વિકલાંગતા પર વિજય :રવીન્દ્ર જૈન (1944-2015)_*
        🌹🌹🌹🌹
આજે ગીતકાર-સંગીતકાર રવીન્દ્ર જૈનનો
જન્મદિવસ અને ભારતના પહેલા
રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદની પુણ્યતિથિ
છે. ઉત્તરપ્રદેશના અલીગઢ ખાતે માતા-
પિતાનાં સાત સંતાનો પૈકી
ત્રીજા સંતાન તરીકે જન્મેલા
રવીન્દ્ર જન્મજાત નેત્રહીન
હતા, પણ શારીરિક
નબળાઈને પોતાના પર
હાવી થવા દીધી ન હતી.
નાનપણમાં જૈન સંતોના
સાંનિધ્યમાં ભજન ગાતાં
ગાતાં સંગીતનું બુનિયાદી શિક્ષણ પ્રાપ્ત
કર્યું. ફિલ્મ ક્ષેત્રે કારકિર્દી જમાવતા પહેલા
રવીન્દ્ર ભજનો ગાતા. ‘સૌદાગર’ ફિલ્મથી
ફિલ્મી સંગીત ક્ષેત્રે કારકિર્દી શરૂ કરી.
પછી તો નામ સાંભળવાથી જ આનંદ
થાય તેવા ‘ગીત ગાતાં ચલ ઓ સાથીગુનગુનાતા ચલ’, દિલ વાલે દુલ્હનિયા
લે જાયેંગે, ઠંડે ઠંડે પાની સે ન્હાના
ચાહીએ, એક રાધા એક મીરાં, અખિંયો
કે ઝરૂખે સે મૈને જો દેખા સાંવરે, શ્યામ
તેરી બંશી પુકારે રાધા નામ
અને સુન સાયબા સુન જેવાં
જેવા ગીતો માટે સંગીત
આપ્યું. રામ તેરી ગંગા
મૈલી ફિલ્મ માટે રવીન્દ્ર
જૈનને સંગીતનો ફિલ્મ ફેર
એવોર્ડ મળ્યો હતો. ફિલ્મ
ઉપરાંત રામાનંદ સાગરની
રામાયણ જેવી અનેક ધાર્મિક શ્રેણીઓ
અનેહિન્દી સિવાય તેઓએ હરિયાણવી,
ભોજપુરી, બંગાળી મલયાલમ અને તેલુગુ
ફિલ્મોમાં પણ સંગીત આપ્યું હતું. પદ્મશ્રી
રવીન્દ્ર જૈનનું 9 ઓકટોબર 2015ના રોજ
અવસાન થયું હતું

*_સૌજન્ય દિવ્ય ભાસ્કર_*

કરન્ટ અફેર્સ.28.2.2019

કરન્ટ અફેર્સ તા. ૨૮/૦૨/૨૦૧૯
દિન વિશેષ
28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
➡દર વર્ષે 28 ફેબ્રુઆરીના દિવસે ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઊજવવામાં આવે છે.
➡ 28 ફેબ્રુઆરી,1928ના રોજરામન ઇફેક્ટની શોધની જાહેરાત કરવામાં આવી હતી તેની યાદમાંદર વર્ષે ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઊજવવામાં આવે છે.
➡આ શોધ માટે તેમને વર્ષ 1930માં નોબૅલ પારિતોષિક આપવામાં આવ્યું હતું.
➡સી. વી. રામન દ્વારા રામન કિરણોની શોધ કરવામાં આવી હતી.
➡રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઊજવવાની શરૂઆત 1987માં કરવામાં આવી હતી.

ગુજરાત
અબુધાબી ખાતે દિવ્યાંગ ખેલાડીઓ માટે યોજાતી સ્પેશિયલ ઓલમ્પિક ગેઇમ્સ 2019માં ગુજરાતના 14 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી
➡આ 14 ખેલાડીઓને રમત-ગમત અને સાંસ્કૃતિકમંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે ગાંધીનગર ખાતે શુભેચ્છાઓ પાઠવી હતી.
➡આ દિવ્યાંગ રમતવીર સ્પર્ધા આગામી 14થી 22 માર્ચ દરમિયાન અબુધાબીમાં યોજાશે.
➡જેમાં 192 દેશોના 75 હજારથી વધુ એથ્લેટ્સ ભાગ લેનાર છે.
➡ 2015માં યોજાયેલ સ્પેશિયલ ઓલમ્પિક ગેઇમ્સમાં ગુજરાતે 25 મેડલ મેળવ્યા હતા.

ભારત
તાજેતરમાં એવિએશન કોન્ક્લેવ 2019નું આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું
➡ 'ફ્લાઇંગ ફોર ઓલ યોજના' અંતર્ગત એવિએશન કોન્ક્લેવ 2019ને લોન્ચ કરવામાં આવ્યું છે.
➡હાલના નાગરિક ઉડ્ડયનમંત્રી સુરેશ પ્રભુ છે.
➡ઉડ્ડયન રાજ્યમંત્રી જયંત સિંહા છે.
તાજેતરમાં સ્મૃતિ ઇરાનીએ તીતાનવાલા સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું
➡સ્મૃતિ ઇરાની કેન્દ્રીય કાપડ મંત્રી છે.
➡આ સંગ્રહાલય રાજસ્થાનના બંગરૂમાં આવેલું છે.
➡બંગરૂના 'છીપા' સમુદાયના લોકો હાથેથી છાપણી કામ કરે છે.તે લોકો માટે આ સંગ્રહાલય ખોલવામાં આવ્યું છે.
ડૉ.જીતેન્દ્ર સિંહે નવી દિલ્હી ખાતે 2019નાઇ-ગવર્નન્સ ઍવૉર્ડ એનાયત કર્યા
➡ઇ–ગવર્નન્સ માટે પ્રોત્સાહન અને યોગદાન આપનારને દર વર્ષે આ ઍવૉર્ડ આપવામાં આવે છે.
➡આ ઍવૉર્ડ દર વર્ષે જુદી-જુદી છ કૅટેગરીમાં આપવામાં આવે છે.
➡ઇ-ગવર્નન્સ ક્ષેત્રે વિશેષ પ્રયત્ન કરનાર તથા અમલીકર,ણ આયોજન, ડિઝાઇન તૈયાર કરનાર સંસ્થાઓને પણ આવરી લેવામાં આવી છે.
➡જેમાં સ્ટાર્ટ–અપ સંસ્થાઓ અને શૈક્ષણિક સંશોધન સંસ્થાઓને પણ સ્થાન મળ્યું છે.
મહેશ એલકુંચવારને META લાઇફટાઈમ એચીવમેન્ટ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે
➡જેઓ ભારતીય લેખક તરીકેની ભૂમિકા ભજવે છે.
➡તેમને આ પુરસ્કાર 12 માર્ચે મહેન્દ્રા થિયેટર ફેસ્ટિવલના દિવસે આપવામાં આવશે.
➡મહેશ એલકુંચવાર મરાઠી અને ભારતીય થિયેટરના ક્ષેત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
➡મહેશ એલકુંચવારે તેમના જીવન દરમિયાન 30 નાટકોની રચના કરી હતી.
➡આ પુરસ્કાર મહેન્દ્રા એક્સિલેન્સ ઇન થિયેટરના ક્ષેત્રમાં ઉત્તમ પ્રગતિ મેળવનારને આપવામાં આવે છે.

ખેલ જગત
સૌરભ ચૌધરી અને મનુભાકરને નિશાનબાજીમાં વિશ્વકપમાં સુવર્ણપદક મળ્યો છે
➡તેમણે દસ મીટર ઍર પિસ્તોલ સ્પર્ધામાં જીત મેળવી છે.
➡આ સ્પર્ધામાં ભારતનો ત્રીજો અને સૌરભચૌધરીનો બીજો સુવર્ણપદક છે.
➡ભારતને પહેલા દિવસે અપૂર્વ ચંદેલાએ સુવર્ણપદક અપાવ્યો હતો.
➡આ સ્પર્ધા નવી દિલ્હી ખાતે ડૉ. કરણસિંહ શૂટિંગ રેન્જમાં યોજાઈ છે.
મહેન્દ્રસિંહ ધોની 350 સિક્સર લગાવનાર પહેલો ભારતીય બન્યો
➡આ પ્રકારનો રેકૉર્ડ બનાવનાર મહેન્દ્રસિંહ ધોની પહેલો ભારતીય ખેલાડી બન્યો છે.
➡મહેન્દ્રસિંહ ધોનીએ ત્રણ ફોર્મેટમાં 526 સિક્સર લગાવી છે.
➡ભારત તરફથી રોહિત શર્માએ બીજા નંબર પર,322 મૅચમાં349 સિક્સર લગાવી છે.
➡દુનિયામાં સૌથી વધારે સિક્સર લગાવના રક્રિસ ગેલ પ્રથમ નંબરે છે જેણે 446 મૅચમાં 492 સિક્સર લગાવી છે.
➡ક્રિસ ગેલ વેસ્ટન્ડિઝનો ખેલાડી છે, જે 2019ના વર્ડકપ બાદ વનડે અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લેનાર છે.

Tuesday, February 26, 2019

આજનો ઇતિહાસ


.         🌹🌹🌹
*સાહિત્યિક પત્રકારત્વના ઐરાવત : બચુભાઈ રાવત (1898-1989)*
.          🌹🌹🌹
ગુજરાત ગૌરવ લઈ શકે તેવા સંપાદક અને
કળા વિવેચક બચુભાઈ રાવતનો આજે
જન્મદિન અને આઝાદીના જંગમાં બલિદાન
આપનાર ચંદ્રશેખર આઝાદની પુણ્યતિથિ
છે. અમદાવાદમાં જન્મેલા
બચુભાઈએ ગોંડલમાં
પ્રાથમિક અને માધ્યમિક
શિક્ષણ લીધું હતું. તે પછી
ચાર વર્ષ ગોંડલની શાળામાં
શિક્ષક તરીકે નોકરી કરી
અમદાવાદમાં સસ્તું સાહિત્ય
વર્ધક સંસ્થા સાથે જોડાયા.
1922-23માં નવજીવન પ્રકાશન મંદિર
અને 1924માં “કુમાર”સામયિક શરૂ થતા
કલાગુરુ રવિશંકર રાવળ સાથે સહતંત્રી
સાથે સંકળાયા.હતા.1943માં કુમારના
તંત્રી બન્યા અને સામયિકને ગુણવત્તાના
ઊંચા સ્તરે લઈ ગયા. આપણી ભાષામાં
કુમારમાં કવિતા છપાય એટલે કવિપદ
પ્રાપ્ત થતું તે સ્તરે કુમારમાં પ્રકાશન
માટે કવિતાઓનું ચયન થતું. ‘બુધસભા’
જેવી સંસ્થાઓ દ્વારા પણ તેમણે ગુજરાતી
કવિઓને ઉમદા મંચ પૂરું
પાડ્યું હતું. મુંબઈ રાજ્ય
લિપિ સુધારણા સમિતિ,
ગુજરાતી મુદ્રક સમિતિ
અને ગુજરાતી સાહિત્ય
પરિષદમાં પણ તેમનું
મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું
છે. ગાંધીયુગની સાહિત્યિક
રુચિને ઘડવામાં પ્રદાન કરનાર બચુભાઈએ
‘ગુજરાતી ગ્રંથસ્થ ચિત્રકલા’ અને
‘ગુજરાતી લિપિના નવા પરોઢનું નિર્માણ’
જેવા પુસ્તકો પણ લખ્યા છે. પદ્મશ્રી
બચુભાઈ રાવતનું 12 જુલાઈ 1980ના
રોજ અવસાન થયું હતું.
*સૌજન્ય:દિવ્યભાસ્કર*

સુખ


સુખમ્ એટલે શું..!????

👌ઘરમાં પગ મુકતા જ " આવી ગયો દીકરા" કહેતો માબાપનો અવાજ એટલે સુખમ્....

👌તકલીફના સમયે " આપણે સાથે છીયેને .. જોઇ લઇશુ.. " કહેતો પત્નીના વિશ્વાસનો રણકો એટલે સુખમ્....

👌કશું જ કહ્યાં વગર પણ સઘળું સમજી જતા સંતાનોમાં રોપાયેલ સંસ્કાર ના બીજ એટલે સુખમ્....

👌રોજ વેદી પાસે ઊભા રહી ભગવાન સામે માથું નમાવી કરાતી પ્રાર્થનાનું અજવાળું એટલે સુખમ્....

👌રોજ જમતી વખતે " આ ભગવાનની કરુંપાથી મળેલું છે," તેવો અહેસાસ થવો તે સુખમ્....

👌 " તમે " અને "આપ" સાંભળી સાંભળીને થાક્યા હોઇએ ત્યારે " તું " કહેનાર દોસ્તાર મળી જતી એ "પળ"એટલે સુખમ્....

👌દોસ્ત જેવા દીકરાની જોડે મોકળા મને થતી વાતમાં રહેલ સમજણની સુગંધ એટલે સુખમ્...

👌સાસરે જતી રહેલી દીકરી ની સંપૂર્ણપણે ખોટ પુરી પાડી દેતી પૂત્રવધુ એટલે સુખમ્....

👌મહામહેનતે કમાઇને પહેલીવાર પાસબુકમાં પડેલી પાંચ આંકડાની એન્ટ્રી એટલે સુખમ્....

અને અંતે.....

👌પથારીમાં પડતા વેંત કોઇ જ ચિંતા વગર ઉંઘ આવી જાય એનું નામ  સુખમ્....
🙏🙏🙏🙏🙏🙏

કરન્ટ અફેર્સ 26.2.2019

કરન્ટ અફેર્સ તા. ૨૬/૦૨/૨૦૧૯
દિન વિશેષ
26 ફેબ્રુઆરી વિનાયક દામોદર સાવરકરનો નિર્વાણદિવસ
➡ જન્મ: 28 મે, 1883ના રોજ નાસિક જિલ્લાના ભાગુર ગામમાં થયો હતો.
➡ ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રિમ હરોળના સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા.
➡ તેઓ એક એવા ઇતિહાસકાર પણ હતા કે જેમણે હિન્દુરાષ્ટ્રના વિજયના ઇતિહાસને પ્રામાણિકપણે શાબ્દિક રીતે કંડાર્યો હતો.
➡ તેમણે 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામના જીવંત અહેવાલરૂપી ઇતિહાસ 'ધ ઇન્ડિયન વૉર ઑફ ઇન્ડિપેન્ડન્સ' નામનું પુસ્તક લખ્યું હતું.
➡ વીર સાવરકરે ભારતીય ઇતિહાસનાં 'હિન્દુ પૌરાણિક કથાઓ', 'હિન્દુત્વ', 'ભારતીય સ્વતંત્રતા યુદ્ધ 1857' લખ્યાં હતાં.
➡ અવસાન : 26 ફેબ્રુઆરી, 1966 મુંબઈ.

ગુજરાત
ભારતીય વિમાન સત્તામંડળે 6 ઍરપૉર્ટનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લીધો છે
➡ જેમાં અમદાવાદ ઍરપૉર્ટને અદાણી ગ્રુપ સાંભળશે
➡ આ ઉપરાંત જયપુર, લખનૌ અને ત્રિવેન્દ્રમ ઍરપૉર્ટ પણ સંભાળશે.
➡ અદાણી ગ્રુપે અમદાવાદ ઍરપૉર્ટને 50 વર્ષ સુધી સંભાળવાનો કોન્ટ્રાક્ટ લીધો છે.

દેશની સૌ પ્રથમ આઠ માળની ડેન્ટલ કૉલેજ હૉસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું
➡ અમદાવાદ સિવિલ કૅમ્પસમાં અંદાજે 40 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
➡ ગવર્ન્મેન્ટ ડેન્ટલ કૉલેજના ડીન અને ઍડિશનલ ડાયરેક્ટર ડૉ. ગિરીશ પરમાર છે.
➡ આ હૉસ્પિટલમાં રોજના 550 દર્દી સારવાર લઈ શકશે.
➡ દર્દીની સુવિધાને ધ્યાનમાં રાખી આઠ માળની ડેન્ટલ હૉસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને આઠ માળ સુધી દાંતની વિવિધ સારવાર મુજબ અલગ અલગ ફ્લોર ફાળવ્યા છે.

ભારત
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક રાષ્ટ્રને અર્પણ કર્યું
➡ દેશને સમર્પિત આ સ્મારક 25 ફેબ્રુઆરી, 2019ના રોજ નવી દિલ્હી ખાતે ઇન્ડિયા ગેટ પાસે આવેલું છે.
➡ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક રાષ્ટ્રને સમર્પિત કરવા માટે એક અખંડ જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી છે.
➡ આ સ્મારક પર અખંડ જ્યોતિ સાથે ભારતીય સેના, નૌ સેના, વાયુ સેના દ્વારા લડવામાં આવેલા પ્રસિદ્ધ યુદ્ધોનાં ચિત્રો તથા પરમવીર ચક્રથી સન્માનિત 21 યોદ્ધાઓનાં શિલ્પો લગાડવામાં આવ્યાં છે.
➡ દેશની અખંડિતતા માટે બલિદાન આપનાર 25 હજારથી વધુ સૈનિકોનાં નામ અંકિત કરાયાં છે.

વિશ્વ
ઑસ્કાર પુરસ્કાર 2019ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી
➡ આ 91મો પુરસ્કાર સન્માન સમારોહ યોજાયો છે.
➡ ઑસ્કારનું આયોજન કોલ લોસ એન્જલ્સ માં ડૉલ્બી થિયેટરમાં કરવામાં આવ્યું છે.
➡ 'પિરિયડ એન્ડ ઑફ સેન્ટન્સ'ને સર્વશ્રેષ્ઠ ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે, જે ઉત્તરપ્રદેશના હાપુડ જિલ્લાના કાઠીખેરા ગામની 'સ્નેહા' પર આધારિત હતી અને જે 'સેનિટરી પેડ' બનાવતી હતી.
➡ સર્વ શ્રેષ્ઠ ફિલ્મ માટે ઑસ્કાર ઍવૉર્ડ 'ગ્રીન બુક'ને આપવામાં આવ્યો છે.
➡ ઑસ્કાર ઍવૉર્ડ 18 કેટેગરીમાં આપવામાં આવે છે.

ખેલ જગત
શૂટિંગ વર્લ્ડ કપ 10મી ઍર રાઇફલમાં સર્ગેઈ કામેનસકાઈએ ગોલ્ડ મેડલ જીત્યો
➡ સર્ગેઈ કામેનસકાઈ એ રશિયન ખેલાડી છે.
➡ સર્ગેઈ કામેનસકાઈએ 249.4 સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
➡ પહેલા દિવસે ભારતના અપૂર્વી અને સૌરભે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
➡ અન્ય ચીનના બે ખેલાડીઓએ પણ ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

T-20માં સુરેશ રેનાએ 8000 રન પૂરા કર્યા
➡ T-20માં સુરેશ રેના 8000 રન કરનાર ભારતનો પહેલો બેટ્સમેન બન્યો છે.
➡ આ સાથે સુરેશ રૈના 300 T-20 રમનારો બીજો ભારતીય ખેલાડી બન્યો છે.

AHF 2018 પ્લેયર ઑફ ધ યર તરીકેનો ઍવૉર્ડ મનપ્રીત સિંહને આપવામાં આવ્યો છે
➡ જે હાલમાં ભારતના હૉકી ટીમના કૅપ્ટન છે.
➡ AHF : Asian Hockey Federation

Monday, February 25, 2019

કરન્ટ અફેર્સ

કરન્ટ અફેર્સ તા. ૨૫/૦૨/૨૦૧૯
દિન વિશેષ
25 ફેબ્રુઆરી કવિ નર્મદનો નિર્વાણ દિવસ
➡ મૂળનામ : નર્મદશંકર લાલશંકર દવે
➡ જન્મ : 24 ઓગસ્ટ , 1833 સુરત, ગુજરાત, ભારત
➡ નર્મદના જન્મદિવસને 'વિશ્વ ગુજરાતી ભાષા દિવસ' તરીકે ઓળખાય છે
➡ નર્મદે 23 વર્ષની ઉંમરે જ સાહિત્યની શરૂઆત કરી હતી.
➡ નર્મદે ડાંડિયો નામનું પાક્ષિકની શરૂઆત કરી હતી.
➡ નર્મદે સૌપ્રથમ કવિ ચરિત્ર સાહિત્ય લખવાની શરૂઆત કરી હતી.
➡ જેમાં 'કવિ ચરિત્ર' ગુજરાતી ભાષાનું પ્રથમ ચરિત્ર સાહિત્ય ગણવામાં આવે છે.
➡ નર્મદની કવિતાઓનો મુખ્ય રસ વીર અને શૃંગાર જોવા મળે છે.
➡ નર્મદ 1851માં મુંબઇ ખાતે બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી.
➡ 1856માં તત્વ શોધક સભા ની સ્થાપના કરી હતી.
➡ કનૈયાલાલ મુનશીએ નર્મદને 'અર્વાચીનોમાં આદ્ય કવિ' કહ્યા છે.
➡ જ્યારે ત્રિભુવનદાસ લુહાર નર્મદને 'પૂર્વજ' કહ્યા છે.
➡ ઉમાશંકર જોશીએ નર્મદની કવિતાને 'નવા યુગની નાદ સંભળાય છે' એવું કહ્યું છે.
➡ 'મંડળી મળવાથી થતા લાભ' ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ છે.
➡મારી હકીકત ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા છે.
➡ નર્મદ સાહિત્ય સભા સુરતમાં આવેલી છે.
➡ ઉત્તમ સાહિત્ય માટે 1939માં નર્મદ સુવર્ણચંદ્રક આપવાની શરૂઆત થઇ હતી.
➡ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત માં આવેલી છે.
➡ 'કલમ ના ખોળે માથુ મુકું છું' એવું કહેનાર નર્મદ હતા.
➡ મહા કાવ્ય રચવા માટે વીરવૃત છંદની શોધ નર્મદા કરી હતી.
➡ અવસાન : 25 ફેબ્રુઆરી 1886

ભારત
તાજેતરમાં અરણાચલ પ્રદેશે એરી ફાર્મિંગ યોજનાની શરૂઆત કરી છે
➡એરી ફાર્મિંગ એ એક પ્રકારનો રેશમ છે જેનું ઉત્પાદન કરવામાં આવે છે.
➡ આ યોજના રેશમ ઉત્પાદન કરતા ખેડૂતો માટે બનાવવામાં આવી છે.
➡ અરુણાચલ પ્રદેશ ભારતના ૨૯મું રાજ્ય છે.
➡ તેનું પાટનગર ઇટાનગર છે.
➡ હાઇ કોર્ટ : ગૌહાટી હાઇ કોર્ટ - ઇટાનગર શાખા છે.
➡ ગવર્નર : પદ્મનાભ આચાર્ય
➡ મુખ્યમંત્રી : પેમા ખાંડુ

તામિલનાડુ બે કોસ્ટ ગાર્ડ જીલ્લાના મુખ્ય મથકવાળા દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
➡ તામિલનાડુનું પાટનગર ચેન્નઈ છે.
➡ ગવર્નર : બનાવરીલાલ પુરોહિત
➡ મુખ્ય પ્રધાન : એડપ્પાડી કે પાલનિસ્વામી
➡ તે વસ્તી ની દ્રષ્ટિએ છઠ્ઠા નંબરનું સૌથી મોટું રાજ્ય છે.

તાજેતરમાં અસમ રાજ્યમાં બે સીલ્કપરી યોજના શરૂ કરવામાં આવી છે
➡ આ યોજનાની શરૂઆત વસ્ત્ર મંત્રાલયે કરી છે.
➡સોલિડ ટુ સિલ્ક અને બીજી એરી ઇન પેન્સિવ આ બે યોજના શરૂ કરવામાં આવી છે.
➡ હાલના કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની છે.
➡ રાજધાની : દિસપુર
➡ સૌથી મોટું શહેર : ગૌહાટી
➡ ગવર્નર : જગદીશ મુખી
➡ મુખ્ય મંત્રી : સર્વનંદ સોનોવાલ
➡ આસામમાં કાઝીરંગા રાષ્ટ્રીય અભ્યારણ આવેલું છે.
➡ કાઝીરંગા રાષ્ટ્રીય અભ્યારણ એકશિંગી ગેંડા માટે જાણીતું છે.
➡ એકશિંગી ગેંડા ભારતના આસામ અને પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે.

તાજેતરમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી યુવા સ્વાભિમાન યોજના શરૂ કરી છે.
➡ આ યોજનામાં શહેરી વિસ્તારના યુવાનોને 100 દિવસની રોજગારી આપવામાં આવશે.
➡ જેમાં એક મહિનાના ચાર હજાર રૂપિયા રોજગારી આપવામાં આવશે.
➡ આ યોજનાની શરૂઆત કમલનાથે કરી છે.
➡કમલનાથ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે.
➡ મધ્યપ્રદેશના પાટનગર ભોપાલ છે.
➡ રાજ્યપાલ : આનંદીબેન પટેલ

ક્ષેત્રીય સમુદ્ર સુરક્ષા સંમેલન મુંબઈ ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું
➡ સમુદ્રી તટની સુરક્ષા અને તેના વ્યાપાર નું સંવર્ધન થાય તે તેનું મુખ્ય કાર્ય છે.
➡ જેનું આયોજન નેશનલ મેરિટાઇમ ફાઉંડેશન, વિદેશ મંત્રાલય અને સીપ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે.

વિશ્વ
ISSF શૂટિંગ વિશ્વ કપમાં સૌરભ ચૌધરીએ સુવર્ણ પદક જીત્યો છે
➡ જેમની ઉંમર ૧૬ વર્ષની છે.
➡ તેણે એશિયન ગેમ્સ અને યુથ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
➡ ISSF : International Shooting Sport Federation
➡ આ વર્લ્ડકપ નવી દિલ્હી ખાતે યોજાય છે.

Monday, February 18, 2019

બલિદાન

કેવી એ ગોઝારી ઘટના જાણે કાળ રાત્રી હતી
જેદી માડીજાયાની આંખ મિચાણી હતી.

ગુલાબ ફૂલ ને  કેડબરીમાં વ્યસ્ત સૌ પ્રજા હતી.
તેદી લોહીના ગુલદસ્તાએ આ ભોમ સજી હતી.

ખ્વાબ હસરત આશ ને લાગણી સહુ કોઈને હતી.
શું ક્યાંય આ સાડાસાતી ની એંધાણી  હતી??

અચાનક સહસા હલબલાવી દિધી આ ભોમને
સળગતા બલિદાનોની એ પીગળતી મીણબત્તી હતી.

દુઃખ ગમગીની અફસોસ ને બદલાની ભાવના હતી
પણ મળશે ન કદી  એ  માથડા કમનશીબી હતી.
                                        -પૂર્વી લુહાર

Saturday, February 16, 2019

Vir jivan amar rho

હે ક્રિશ્ન સ્વર્ગનાં દ્વાર ઉઘાડો
ને સ્વાગતમાં સ્વયમ પધારો
જુઓ કે કેટલાં બધાં લાડકવાયા
તવ સરણ માં આવ્યા છે
એને લીલા તોરણે વધાવો
ને શોર્ય ગીત ગવડાવો
જુઓ કે વીર સપૂતો આવ્યા છે
ધન્ય થયું તુજ ઘર ને
ધન્ય તારું આંગણ થયું
એ દેશ કાજે કુરબાન થઈને આવ્યા છે.
તારી આંખોને એણે પાવન કરી
હવે હૃદયથી સ્નેહ વરસાવો
કે એને છાતી સરસા લગાઓ
કોના દીકરા કોના પતિ કોના ભાઈ
કે કોઈ માસૂમ ના પ્રેમાળ પિતા આવ્યા છે.
હે કૃષ્ણ સ્વર્ગનાં દ્વાર ઉઘાડો
ને સ્વાગતમાં સ્વયમ પધારો
કે લાડકવાયા આવ્યા છે.
–' જગત પટેલ

Vir javan amar rhe

#સરહદ પર...હદ થઈ ગઈ

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.

કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;
મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.

થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને,
શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને;
નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને.

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;
અણપૂછયો અણપ્રીછેલો કોઇનો અજાણ લાડીલો.

એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી;
એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી;
કોઇના લાડકવાયાની ન કોઇએ ખબર પૂછાવી.

ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,
સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી;
કોઇનો લાડકવાયાની આંખડી અમૃત નીતરતી.

કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,
આખરની સ્મ્રતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં;
આતમ-દીપક ઓલાયો, ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.

કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એનાં હૈયા ઊપર કર-જોડામણ કરજો;
પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઉચરજો!

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ક હુંબન ધીરે;
સહુ માતા ને ભગિની રે! ગોદ લેજો ધીરે ધીરે.

વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા,
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;
રે! તમ ચુંબન ચોડાતાં પામશે લાડકડો શાતા.

એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
એની રક્ષા કાજે અહર્નિશ પ્રભુને પાયે પડતી;
ઉરની એકાંતે રડતી વિજોગણ હશે દિનો ગણતી.

કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં,
એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા;
વસમાં વળામણાં દેતાં બાથ ભીડી બે પળ લેતાં.

એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી,
જોતી એની રૂધિર – છલક્તી ગજગજ પ્હોળી છાતી;
અધબીડ્યાં બારણિયાંથી રડી કો હશે આંખ રાતી.

એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે;
કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે.

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;
લખજો: ‘ખાક પડી આંહી કોઇના લાડકવાયાની’.

– ઝવેરચંદ મેઘાણી

Sunday, February 3, 2019

e -- Library.

|| e-Library ||

यह eLibrary है, इसमें कई सौ अमूल्य ग्रंथों के PDF हैं, ताकि यह ज्यादा से ज्यादा लोगों के काम आ सकें, देश धर्म संबंधी अमूल्य पुस्तकें इन लिंक में संग्रहीत हैं, आप विषय देखकर लिंक खोलें तो बहुत सी पुस्तकें मिलेंगी, सभी पुस्तकें आप निशुल्क download कर सकते हैं, इन लिंक्स की किताबें दो साल में अलग अलग स्त्रोतों से इकट्ठी की गईं हैं, अपनी पसंद की किताबें पढ़ें और शेयर करें...

Aadi Shankaracharya - आद्य शंकराचार्य :-
https://goo.gl/DcBYbQ

Sri Aurobindo - श्री अरविंदो :-
https://goo.gl/DcBYbQ

Swami Dayananda - स्वामी दयानंद :-
https://goo.gl/DcBYbQ

Swami Vivekanand - स्वामी विवेकानन्द :-
https://goo.gl/DcBYbQ

Swami Shivanand - स्वामी शिवानंद :-
https://goo.gl/DcBYbQ

Swami Ramteerth - स्वामी रामतीर्थ :-
https://goo.gl/DcBYbQ

Sitaram Goel - सीताराम गोयल :-
https://goo.gl/DcBYbQ

Veer Savarkar - वीर सावरकर :-
https://goo.gl/DcBYbQ

P.N.Oak - पी.एन. ओक :-
https://goo.gl/DcBYbQ

हिन्दू, राष्ट्र:-
https://goo.gl/DcBYbQ

Basic Hinduism -
https://goo.gl/DcBYbQ

Hindutva and India :-
https://goo.gl/DcBYbQ

Autobiography - आत्मकथाएं :-
https://goo.gl/DcBYbQ

धर्म एवं आध्यात्म -
https://goo.gl/DcBYbQ

यज्ञ Yajna -
https://goo.gl/DcBYbQ

Brahmcharya - ब्रह्मचर्य :-
https://goo.gl/DcBYbQ

Yog - योग :-
https://goo.gl/DcBYbQ

Upanishad - उपनिषद  :-
https://goo.gl/DcBYbQ

Geeta - श्रीमद्भगवद्गीता :-
https://goo.gl/DcBYbQ

Manusmriti - मनुस्मृति :-
https://goo.gl/DcBYbQ

Valmeeki and Kamba Ramayan - वाल्मीकि व कम्ब रामायण :-
https://goo.gl/DcBYbQ

Puran - पुराण :-
https://goo.gl/DcBYbQ

Books on Vedas - वेदों पर किताबें :-
https://goo.gl/DcBYbQ

Maharshi Dayananda - महर्षि दयानंद :-
https://goo.gl/DcBYbQ

-------------Complete commentaries on Veda - सम्पूर्ण वेद भाष्य --------
https://goo.gl/DcBYbQ
RigVeda - ऋग्वेद सम्पूर्ण -
https://goo.gl/DcBYbQ

YajurVeda - यजुर्वेद सम्पूर्ण -
https://goo.gl/DcBYbQ

SamaVeda - सामवेद सम्पूर्ण -
https://goo.gl/DcBYbQ

AtharvaVeda - अथर्ववेद सम्पूर्ण -
https://goo.gl/DcBYbQ

🙏🙏

Saturday, February 2, 2019

એક ઉત્તમ રચના હિન્દીમાં.

वो इस अंदाजकी मुजसे महोबत चाहता है,
मेरे हर ख्वाब पर अपनी हुकुमत चाहता है।

मेरे हर लफ्ज में जो बोलता हे मुजसे बढ कर,
मेरे हर लफ्ज की मुजसे वजाहत चाहता हे।

बहाना चाहिये उसको भी अब तर्के वफा का,
में खुद उससे करुं कोई शिकायत चाहता हे।

उसे मालुम है  मेरे परों में दम नही है,
मेरा सैयाद अब मुजसे बगावत चाहता है।

वो कहेता है में उसकी जरुरत बन चुका हुं,
तो गोया वोह मुजे हसबे जरुरत चाहता है।

कभी उसके सवालों से मुजे लगता है अयसे,
के जयसे वोह खुदा है ओर कयामत चाहता है।

उसे मालुम है मेने हमेशा सच लिखा है,
वोह फीरभी जुटकी मुजसे हीमायत चाहता है।
                             परवीन शाकिर

અણમોલ શેર

*જ્ઞાન રતન ધન પાયો*

*ગુજરાતી સાહિત્યના અદ્ભુત શેર*


તારી આ નીચી નજર તો
કોયડો છે કોયડો,
થાય જો ઊંચી નજર તો
વાત કંઈ આગળ વધે.

*કિરણસિંહ ચૌહાણ*

હતાં સાથે સફરમાં એ બધાં
જણ ક્યાં ગયાં ?
હવે બસ હું ,નર્યું એકાંત ,
ને ખાલીપણું !

*સ્મિતા શાહ - મીરાં*

મિલનમાં જલદી વીતે છે સમય
વીતે ન વીરહમાં,
હકીકત એ  કે પસ્તાશો સમયથી
છૂટ લેવામાં.

*મહેશ શાહ*

તારી પહોંચ હોય  તો બસ  આટલું  તું કર,
તારા સ્મરણને મારા સુધી આવવા ન દે!

*લક્ષ્મી ડોબરિયા*

મારી હસ્તી મારી પાછળ એ રીતે
વીસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને
જગા પુરાઈ ગઈ.

*ઓજસ પાલનપુરી*

તમારા ખુદના જીવનમાં
તમારો   કેટલો   ફાળો?

*કિરણસિંહ ચૌહાણ*

સાવ  નાજુક પારદર્શક પાંદડે  બેઠી હતી.
ઓસ  ફંગોળાય છે, આપને ક્યાં જાણ છે?

 *મહેશ શાહ*

વધુ શું હોય આનાથી તબાહીમાં;
સ્વજન સામે ઊભા છે સૌ ગવાહીમાં!

 *રવિ દવે 'પ્રત્યક્ષ'*

અધીરો છે તને ઈશ્વર બધું યે
આપવા માટે,
તું ચમચી લઈને ઊભો છે દરિયો
માગવા માટે?

*અનિલ ચાવડા*

દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું  બહાનું  કરી આ પાછો  ફર્યો લે.

*મરીઝ*

જીવ હજી તો ઝભ્ભામાં છે,
ફાટી ગઈ છે જાત કબીરા.

*ચંદ્રેશ મકવાણા*

ખુશાલીમાં અજાણ્યા પણ થશે
સામેલ મહેફિલમાં,
અને ગ઼મમાં દિલાસો લઈ ઉદાસી
એકલી આવે.

*મહેશ શાહ*

આભમાં કે દરિયામાં તો એક
પણ કેડી નથી,
અર્થ એનો એ નથી કે કોઈએ
સફર ખેડી નથી.

*રાજેશ વ્યાસ 'મિસ્કીન'*

ખૂલે નહીં જો શેર તો,
પાનાં-પકડ આપું તને?

*કુલદીપ કારિયા*

આ અહીં પ્હોંચ્યા પછીથી એટલું
સમજાય છે,
કોઈ કંઈ કરતું નથી બસ આ બધું
તો થાય છે.

*રાજેન્દ્ર શુક્લ*

હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને,
કો'ક દરવાજો કરી દે બંધ તો!

*ચિનુ મોદી*

પાઈ દેવા પ્યાલી આજે સાંઈ
ઘરમાં આવશે,
એ મિષે મેં રાતભર ખુલ્લું જ
રાખ્યું બારણું.

*મહેશ શાહ*

જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર,
પાંપણ કદીયે રહી શકે મટકું ભર્યા વગર?

*મનહર મોદી*

સતત એની  ફરતે મજાનો ફરે છે,
ગ઼ઝલની ધરી છે, મુબારક કવિને!

*હિમલ પંડ્યા*

શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી
રાખ્યા હતા,
ક્યાંક અણધાર્યા પ્રસંગે જો
જવાનું થાય તો!

*અનિલ ચાવડા*

દીવાલોમાં પીપળની માફક  અહીં ,
ગઝલ  પાંગરી  છે   મુબારક કવિને!

*ગૌતમ પરમાર*

ઘર સુધી તું આવવાની જીદ ન કર,
ઘર નથી નહીંતર હું ના પાડું તને?

*ખલીલ ધનતેજવી*

મને સદ્ ભાગ્ય કે શબ્દો મળ્યા તારે
નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં
વરસ લાગે.

*મનોજ ખંડેરિયા*

મળ્યો તું શબ્દ થઈને દોસ્ત મારો જે
ઘડી આવ્યો,
જીવનમાં રસ વધારે જીવવાનો  તે
ઘડી આવ્યો.

*મહેશ શાહ*

ભૂલ જો થાય મિત્રોની તો માફ કર,
જીભ કચડાય તો દાંત તોડાય નૈં.

*અનિલ ચાવડા*

સિગારેટને રસ્તા ઉપર આ રીતથી
ન ફેંક ભાઈ,
આ દેશમાં ચંપલ ઘણાં તળિયેથી
કાણાં હોય છે.

*ભાવિન ગોપાણી*

અફસોસ કેટલાય મને
આગવા મળ્યા,
ગાલિબને મારા શેર નથી
વાંચવા મળ્યા.

*ભરત વીંઝુડા*

સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ,
ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ.

*અનિલ ચાવડા*

શ્રદ્ધાનો હો વિષય ત્યાં પુરાવાની
શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયંબરની
સહી નથી.

*જલન માતરી*

જિંદગીને જીવવાની ફિલસૂફી
સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં આખરી
સમજી લીધી.

*મરીઝ*

હું  મંદિરમાં આવ્યો, અને દ્વાર બોલ્યું,
પગરખાં નહીં, બસ અભરખા ઉતારો.

*ગૌરાંગ ઠાકર*

જત જણાવવાનું તને કે છે
અજબ વાતાવરણ,
એક ક્ષણ તું હોય છે ને એક ક્ષણ
તારું સ્મરણ.

*રાજેન્દ્ર શુક્લ*

રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર
એ જ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી
હાજરી નહોતી.

*બરકત વિરાણી ‘બેફામ’*

તફાવત એ જ છે,તારા અને મારા
વિષે, જાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને
વિચારું છું.

*અમૃત 'ઘાયલ'*

જીવનની સમી સાંજે મારે જખ્મોની
યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શકયો, બહુ
અંગત અંગત નામ હતાં.

*સૈફ પાલનપુરી*

તમારી યાદ જો હઠ લઈને બેઠી
પાંપણો પાસે
પુરાવો પૂછશો તો એનો કોઈ નકશો
નથી પાસે.

*મહેશ શાહ*

તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે,
હું  કહું  છું  જિંદગી ધોવાય છે.

*શયદા*

વતનની ધૂળથી માથું ભરી લઉં ‘આદિલ’,
પછી  આ  ધૂળ  ફરી  ઉમ્રભર મળે ન મળે.

*'આદિલ' મન્સૂરી*

બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.

*મરીઝ*

મોત વેળાની આ ઐયાશી
નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર
જાગ્યા કરે.

*મરીઝ*

🙏🏽🕉🙏🏽

એક ઉત્તમ રચના

કોઈ ગઝલના ગિરનારી ગઢ કોઈ ગીતના ગઢવી છે
પોપટલાલને ભગવદગીતા તરન્નુમમાં લખવી છે

આંબા ડાળે કોયલ બોલે દાદ નહી ફરિયાદ
ચકલીબાઈથી "ચી" થઇ જાય તો આભ કહે "ઈર્શાદ "
ધરતીની આ સોડમને શું કાગળિયામાં મઢવી છે ?

સંત કબીરજી કહી ગયા એ વાત બહુ અલગારી છે
દોરા-ધાગા કરવા કરતા ચાદર વણવી સારી છે
આ તે કેવી મેડી કે જે વગર પગથિયે ચડવી છે ?

કોઈ ગઝલના ગિરનારી ગઢ કોઈ ગીતના ગઢવી છે
પોપટલાલને ભગવદગીતા તરન્નુમમાં પઢવી છે

અનિલ જોશી
( પાણીમાં ગાંઠ પડી જોઈ " સંગ્રહમાંથી )

Good morning

*👌👌વાંચજો જરૂર👌👌*

*એક માણસે એક અલ્લાહ ના વલી ને પુછયુ મારા ભાગ્યમા કેટલુ ધન છે.?*

*તેમણે  એ કહ્યું- મારા પરવરદીગાર ને પૂછીને આવતી કાલે કહીશ...,*

*બીજા દીવસે અલ્લાહ ના વલી એ કહ્યુ.*
*૧ રૂપિયો રોજ તારા ભાગ્યમાં છે..*

*માણસ બહુ ખુશ રહેવા લાગ્યો.... એની જે પણ જરૂરતો તે એક રૂપિયામાં પુરી થઈ જાતી હતી...*

*એક દીવસ એના એક મિત્રએ કહ્યુ...., હુ તારા સાદગી ભર્યું જીવન જીવવાનુ અને તેમાં પણ તને ખુશ જોઈને  હુ ઘણો પ્રભાવીત થયો છુ....માટે હુ મારી બહેન ના લગ્ન તારી સાથે કરવા માંગુ છુ...,*

*તે માણસે કહ્યુ મારી કમાઈ રોજનો ૧ રૂપિયો છે...એ તને ખબર છે..તો પણ....*
*આ એક જ રૂપિયામાં તારી બહેનને ગુજરાન કરવુ પડશે...*

*મિત્રએ કહ્યુ કોઈ વાંધો નહી... મને આ સંબંધ મંજુર છે...*

*અને તેણે સગાઈ કરી નાખી....,*
*આગલા દિવસથી એ માણસની કમાઈ ૧૧ રૂપિયા થઈ ગઈ...*

*એ માણસે અલ્લાહ ના વલીને બોલાવ્યા અને પુછયુ ..., મારા ભાગ્યમા તો ૧ રૂપિયો લખ્યો હતો તો પછી ૧૧ રૂપિયા મને કેમ મળી રહ્યા છે.???*

*તેમણે કહ્યું કે  :- તારો કોઈની સાથે સબંધ કે સગાઇ થઈ છે...????*

*હા સગાઈ થઈ છે..???*

*તો આ વધારાના ૧૦ રૂપિયા તારી હોનાર પત્ની ના ભાગ્યના તને મળી રહ્યા છે...*

*હવે આને જોડવા-(બચાવવા) લાગ આગળ તને તારા લગ્નમાં કામ લાગશે..*

*એક દીવસ એની પત્ની ગર્ભવતી થઈ અને એની કમાઈ એ દીવસે થી ૩૧ રૂપિયા થવા લાગી...*

*ફરી થી એણે અલ્લાહ ના વલી ને બોલાવ્યા અને કહ્યુ હે અલ્લાહના વલી મારા અને મારી પત્નીના ભાગ્યમાં ૧૧ રૂપિયા મળી રહયા હતા તો હવે ૩૧ રૂપિયા કેમ મળવા લાગ્યા..???*

*કેમ હુ કાઈ કોઈ અપરાધ કરી રહ્યો છુ...????*

*તેમણે કહ્યુ :- આ ૨૦ રૂપિયા તને તારા બાળક ના ભાગ્ય ના મળી રહ્યાં છે..*

*દરેક મનુષ્યને એના પ્રારબ્ધ ( ભાગ્ય)લખેલું હોય છે..કે.....,*
*કોના ભાગ્યથી ઘરમાં ધન-દૌલત આવે છે.... એ અમને કે કોઈને ખબર નથી હોતી..*

*પણ આ દુનિયામાં*
*મનુષ્ય અહંકાર કરતો હોય છે....કે મે આ બનાવ્યું, મે આ કર્યું,*
*મે કમાવ્યું, આ મારૂ છે, હુ કમાઈ રહયો છૂ,*
*મારા લીધેજ આ બધુ થઈ રહ્યુ છે...વગેરે...વગેરે..!!!*

*પરંતુ હે મનુષ્ય*
*તને નથી ખબર કે તુ કોના ભાગ્યનુ ખાય રહ્યો અને કમાઈ રહ્યો છે ...।।*
*બેશક.. અલ્લાહ જ બધુ કરવા વાળો છેઃ*
👌👌👌👌👌

Friday, February 1, 2019

એક વાર્તા

ધ્વજવંદન.-પૂર્વી લુહાર
              મીન્નિ હમણાં હમણાં  ખુબ ખુશ હતી. મીન્નિ ભણવામાં ખૂબ હોશિયાર અને કળા કારીગરીમાં માહિર. શાળાની વિવિધ સ્પર્ધાઓના ઓડિશનમાં મીન્નિનું સિલેક્સન થઈ ગયું, ઘણા બધા સહપાઠી મિત્રો મીન્નિની  જલન કરતા કારણકે  આચાર્યના કડક નિયમો માંથી પસાર થઈને સીલેકશન થતુ હતું.મીન્નિના વર્ગના ઘણા બધા મિત્રો ઓડિશન પાસ ન કરી શક્યા જ્યારે મીન્નિનું સિલેક્સન ગૃપ ડાન્સ,સ્પીચ અને પરેડમાં થઈ ગયું જે પણ હોય મીન્નિ  ખૂબ ખુશ હતી. ઘરે આવીને એ પોતાની આ પરિસ્થિતિનું વર્ણન કરતી મા બિચારી કાઈ  સમજી શકતી નહીં પણ એટલું જાણતી કે પોતાની દીકરીને શાળામાં વધારે કામ હોવાથી ખેતરમાં કામ કરવા હમણાં-હમણાં લઈ જવી નહીં.

                    મીન્નિના દિલોદિમાગમાં પ્રજાસત્તાક પર્વ છવાઇ ગયું હતું ઘરે આવીને પણ એ કાર્યક્રમની પ્રેકટિશ કરતી આસપાસના ઝુંપડાના બાળકો એને જોઈ રહેતા ક્યારેક તો એ નિંદરમાં પણ લેફ્ટ-રાઈટ,લેફ્ટ-રાઈટ અને કોણ જાણે કેવા નારા બોલતી અભણમાં ઝબકીને જાગી જતી,થોડું મલકાઈને એ મીન્નિને તાકી રહેતી.

                                આ વખતે મીન્નિની શાળામાં જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાકપર્વ ઉજવવામાં આવનાર હતો મોટા રાજકારણીઓ,નેતાઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આવનાર હતા પ્રિન્સિપાલની કડક સુચના હતી કે પોગ્રામમાં કોઈ કમી ન રહેવી જોઈએ આખરે શાળાની આબરુનો સવાલ હતો.પ્રથમવારજ જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ આ પ્રાઇવેટ શાળામાં ઉજવાઈ રહ્યો હતો.આથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરવા લાગ્યા અને પોગ્રામની સફળતા માટે પ્રેક્ટીશ કરવા લાગ્યા.
                      શાળામાં આજે અચાનક ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને હોલમાં બોલાવવામાં આવ્યા અને સૌના હાથમાં એક લિસ્ટ પકડાવી દીધુ,જેમાં પોગ્રામને અનુરૂપ કૃતિમાટે વિવિધ પોષાક પહેરવાની ચીજ વસ્તુઓના નામ હતા. મીન્નિના હાથમાં પણ લિસ્ટ આવ્યું જેમાં સફેદ ખાદીનો ઝભ્ભો, કાળાબૂટ, લાલ ચશ્મા,કેસરી પટ્ટી વગેરે..   બધા બાળકો લિસ્ટ જોઈ ખુશ થઈ ગયા ઘરે જઈને મમ્મી-પપ્પાને આ લીસ્ટ આપશું અને આ બધી વસ્તુઓ પહેરવાનો મોકો મળશે. પણ મીન્નિ ખુણામાં ઉદાસ મોંએ બેસી ગઈ તેની પાસે કોઇ શબ્દો ન હતાં, શિક્ષકને  મીન્નિ પ્રત્ય ખુબ હમદર્દી હતી એમણે મીન્નિના માથે હાથ ફેરવીને પ્રેમપૂર્વક હાથ પકડીને કહ્યું : મીન્નિરાણી ચૂપ કેમ છે?  આ લિસ્ટમાં જે વસ્તુઓ છે એ કાલે લાવજે જેથી હું ચેક કરી લવ કયાંય ભૂલ તો નથીને વળી એ જ ડ્રેસકોડમા કાલે પ્રેક્ટીસ પણ થઈ જશે, મજા આવશે અને તારી સ્પિચ નો વિષય છે 'અખંડ ભારત ' ખાદીના કુર્તા માં તું આ ભાષણ આપીશ તો ખૂબ સુંદર લાગીશ ચાલ બધાનું લિસ્ટ તારે નથી જોવુ? મીન્નિ કંઇજ બોલી નહિ  આંખોમાં અશ્રુ ધારા સાથે વિનમ્રતાથી એણે શિક્ષકને કહ્યું --'મારી મા વિધવા છે ખૂબ જ મહેનત મજુરી કરીને ગુજરાન ચલાવે છે મારા નાના ભાઈ બહેનો માટે કપડા ખરીદવાના પૈસા નથી મારી મા પણ થિંગડા વાળા કપડાં પહેરે છે.આ શાળામાં તો મને RTE પ્રમાણે એડમિશન મળ્યું છે એટલે આ લિસ્ટ વાળી   ચીજવસ્તુઓ લેવાનું હું મારી માને કેમ કહું ? એ તો ખૂબ દુઃખી થઈ જશે.મારે ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વમાં નથી જોડાવું .મારું નામ કાઢીને આપ અન્યને રાખી દો કેમ કે હું આ બધી વસ્તુઓ લાવી શકું એમ નથી.આવું કહી મીન્નિ ધ્રુસકે-ધ્રુસકે  રડવા  લાગી. શિક્ષક પણ ઉદાસ થઈ ગયા એમણે ઓફિસમાં જઈ આચાર્યને  વાત કહી કડક નિયમોમાં માનનાર અને અત્યારે પ્રોગ્રામને સફળ બનાવવાની મનવાંછના વાળાઆચાર્યશ્રી એ મીન્નિની  જગ્યાએ બીજી વિદ્યાર્થીનીને રાખી લીધી.શિક્ષક પણ સમસમી ગયા એમને તો કંઈ બોલવાનો મોકો મળ્યો જ નહીં .26 જાન્યુઆરી આવી ગઈ અને જયજયકારના નાદ સાથે શાળા ગૂંજી ઊઠી પાસેના ખેતરમા માં સાથે કામ કરતી મીન્નિ દેશભક્તિના ગીતો સાંભળી રહી ખેતરમાંથી જ દેખાતા ત્રિરંગાને એણે સલામી આપી આ જોઈને અભણ માની  આંખોમાંથી ત્રિરંગાની વચ્ચે દેખાઈ રહેલા અશોક ચક્ર જેવડા આંસુઓ ખરી પડ્યા ધ્વજવંદન થઇ ગયું ખેતરમાં પણ અને શાળામાં પણ....
                      -પૂર્વી લુહાર

Saturday, January 26, 2019

એક સારો વિચાર માણસની જિંદગી બદલી શકે છે.

 Good morning

જીંદગી બધા માટે☝ એક જ છે
પણ ફરક માત્ર એટલો જ છે
કે કોઈ પોતાની ☺ખુશી માટે જીવે છે
તો કોઈ બીજા ને ☺ખુશ રાખવા માટે જીવે છે

અમુલ્ય સબંધો" સાથે ધન દોલતની તુલના કદાપી ન જ કરવી.
કારણ કે,
પૈસા બે દિવસ કામ આવે છે
જ્યારે સબંધો આખી જીંદગી કામ આવે છે

 કોઈપણ સંબંધને ત્યારે જ સાચો માનજો,
જયારે તમારા નિષ્ફળ ગયા પછી પણ તમારી સાથે ટકી રહે...!!

 દુધ દહી ઘી છાસ માખણ બધા એક જ કુળ ના હોવા છતા
દરેકની કિંમત અલગ અલગ હોય છે.
કેમકે શ્રેષ્ઠતા જન્મથી નહીં પરંતુ પોતાના કર્મો કળા અને ગુણોથી  ........

 સમય કયારેય ખરાબ હોતો નથી.....
પણ આપણી ઈચ્છા સમય સાથે પૂરી ન થાય એટલે "સમય" ખરાબ લાગે છે.

 જીંદગી જીવી જાણો નહિતર,
બસના કંડકટર જેવું જીવન બની રહેશે. મુસાફરી રોજ કરવાની ને જવાનું કયાંય નહીં...

 સાચો અને જ્ઞાની માણસ દુઃખ આવે ત્યારે કોઈનો વાંક નથી કાઢતો,
પરંતુ એ દુઃખ આવવા પાછળ પોતાની કઈ ભૂલ છે એ શોધે છે !!

 જીવનમાં તમે તમારી Image
ગમે તેટલી સારી બનાવવા નો પ્રયત્ન કરો
પરંતુ તેની, Quality સામે વાળા વ્યક્તિના
મનની Clearity પર નિર્ભર રહે છે.

 લોખંડનો સૌથી મોટો દુશ્મન
બીજું કોઈ નહીં પોતાનો કાટ જ હોય છે,
માણસનું પણ કંઇક આવું જ હોય છે !!

  *ઘર્ષણ વગર ગતિ નથી,*
  *સંઘર્ષ વગર પ્રગતિ નથી,
આવશે મુશ્કેલી હજ્જારો હજીય,*
એના વગર તો,*જિંદગી જિંદગી નથી!*

જિંદગી એટલે...
ભૂતકાળની ચમચીમાં...
ભવિષ્યનું લીંબુ લઈને...
વર્તમાનમાં દોડવું...!!!

ભૂલ થાય ત્યારે થોડી ધ્યાન રાખજો,
ઉગતા સુરજ સામે આંખ નથી ખુલતી
પણ ડૂબતા સુરજ ને જોવા ટોળુ થાય છે.
       

ભારતના બંધારણ વિશે જાણવા જેવુ.

🇮🇳 *_બંધારણ વિશે જાણવા જેવું_* 🇮🇳

🇮🇳 *_26 જાન્યુઆરી_* 🇮🇳
🇮🇳 *_બંધારણ વિશેષ_* 🇮🇳

(1) 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
_આપણા દેશનું બંધારણ પ્રિન્ટ કે ટાઇપ થયેલું નથી, પણ હાથેથી ઇંગ્લીશ અને હિન્દી બંન્ને ભાષામાં લખાયું છે. આ બંધારણની ઓરિજિનલ_
_કોપીઝ પાલૉમેનટની લાઇબ્રેરીમાં હીલિયમ ગેસથી ભરેલ સ્પેશિયલ બૉક્સમાં રાખવામાં આવી છે_

(2)🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
_જે દિવસે બંધારણ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા, એ દિવસે બહાર પુષ્કળ વરસાદ પડતો હતો. લોકોએ આ દિવસને સારા ભવિષ્યનું પ્રતીક ગણયો._

(3)🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
_ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ બંધારણ છે, જયારે અમેરિકાનું બંધારણ વિશ્વનું સૌથી નાનું બંધારણ છે._

(4)🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
_આપણા દેશના નેતઓએ દેશના બંધારણમાં આખા વિશ્વના બંધારણની સારી બાબતો લીધી છે. જેમકે, આઝાદી અને સમાનતા ફ્રેન્ચ ના બંધારમાંથી લીધી છે. પંચવર્ષીય યોજનાઓ સોવિયેત સંધના બંધારણ અને સુપ્રીમ કોટૅની કાયૅપ્રણાલી જાપાનના બંધારણની છે. આપણા બંધારણની ધણી મહત્વની બાબતો ઇંગ્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવિ છે._

(5)🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
_2 વષૅ, 11મહિના અને 18 દિવસ થયા બંધારણ લખવામાં ડ્રાફિટંગ કમિટીએ સબમિટ કરયા પછી પણ લખવામાં આટલો લાંબો સમય થયો._

(6)🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
_284 સભ્યોએ (બંધારણસભાના) આ_
_બંધારણ પર હસ્તાક્ષર કયૅા એમાં 15_
_લેડીઝ હતી._

(7)🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
_આપણું બંધારણ આજે પણ વિશ્વનું સૌથી_
_સરસ બંધારણ ગણાય છે_

(8)🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
_29 ઑગસ્ટ, 1947ના રોજ ડો. ભીમરાવ આંબેડકર બંધારણ સમિતિના અધ્યાક્ષ_
_તરીકે પસંદગી પામ્યા._

(9)🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
_24 જાન્યુઆરી, 1950, બંધારણ સભાના_
_સભ્યોએ એના ઉપર હસ્તાક્ષર કયાૅ._
(10)🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
26 જાન્યુઆરી 1950 ના રોજ આપણાતત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદના કરકમલ માં સુપ્રદ કર્યું.
તે દિવસ એટલે આપણો,
*પ્રજાસત્તાક દિન*
_ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
મિત્રો આ હતું દેશ નું બંધારણ_
_પસંદ આવેતો લાઇક કરજો_
_અને આગળ મોકલજો જેથી બધા ને જાણવા મળે_

Friday, January 18, 2019

રમત-૩૧

 વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર.

આજે આપણે દીર્ઘ ઈ ની જોડણી જોઈએ
એક અક્ષરના ઈકારાન્ત શબ્દોમાં ઈ દીર્ઘ લખવી.

 ઈ, ઘી, જી, બી, શ્રી

ઉદાહરણ:
૧. સ્ત્રી સમાજની
    ધારનાશક્તિ છે.
૨. ગાયનું ઘી આરોગ્ય માટે
    ઉત્તમ ગણાય છે.
૩. જી સાહેબ !
    એ કામ હું કરીશ.
૪. આદિત્ય ! તું બી પકકો
    છે !
૫. વેપારીએ ચોપડામાં લખ્યું
    -- શ્રી૧!(સવા)
વિદ્યાર્થી મિત્રો હવે તમારે આવા પાંચ ઉદાહરણ લખવાના છે.

આભાર .  

માં-બાપને ભુલશો નહીં

💖 *દરેક યુવાન ફરજિયાત આખું વાંચે* 💖

ભારતમાં ૧૦.૩૮ કરોડ બુજુર્ગો છે ...

આપણા દેશની મહાન સંસ્ક્રૃતિના ગાન ભલે આપણે ગાઈયે, પણ વડીલોની સાચવણ અને માન સન્માનમાં આપણે બીજા દેશો કરતાં ઘણાં *'હલકાં'* છીએ ...

આજે પણ તમો જોતાં હશો કે,

👉૮૦% બુઢ્ઢા માબાપને જમવા અલગ બેસાડાય છે ...

👉૨૦% માબાપને સગવડતા હોય તોય ઘરવાળીના ડરથી  અલગ રખાય છે ...

👉 ૯૦% પુત્રો કામેથી આવીને સાંજે બાળકોને ચુમી ઉઠે છે, તો અમુક તો ઘરવાળી વર્ષોથી વિખુટી પડી ગઈ હોય તેમ લબાડવેડા કરી ભેટી પડે છે...

પણ ઘરમાં બા-બાપુજી ને 'કેમ છો બા ?' કહેતાં નથી !!!

👉 ૭૦% મા-બાપો ઘરડાં થાય ને કંઈ પણ બોલે... તો  "તમને ખબર નો પડે ...!"  એમ કહીને ચૂપ કરાય છે ...

👉૯૦% ઘરડાં માતપિતાને દિકરાઓ તેના પૈસા બાબતે પુછતાં નથી !  ભીખની જેમ રુ. માંગવા પડે છે ...

👉👉👉👉👉👉
જેવું કરશો તેવું ભરશો ...

એ મુજબ અમારા સર્વે પ્રમાણે જે લોકો માબાપને એકલાં છોડી મુકે છે કે માન સન્માન આપતાં નથી, તેમનાં પોતાનાં ઘડપણ વખતે તેનાંથી પણ વધુ બુરા હાલ થાય જ છે ...

👉👉અમુક કુટુંબોમાં તો આ પેઢી દર પેઢી ચાલ્યું આવતું જ હોય છે ...

માબાપો કુતરાંની જેમ બિચારાં થઈ જીવતાં હોય ..,

ને આવી સાયકલ પેઢી દર પેઢી ચાલું જ હોય...

ખરેખર આવા કુટુંબોમાં સંસ્કાર, શિષ્ટતા અને કેળવણીમાં જ ખોટ હોય છે ... 😔

સમજો ... વિચારો ... યુવાનો ...

૬૦ વર્ષ પતિપત્ની સાથે રહીને, જ્યારે તેમાંથી એકાદ સ્વર્ગે સિધાવે ત્યારે તેની જિંદગીમાં એકલતા વ્યાપી જાય ...

ધીરે ધીરે બચપણના ભાઈ બહેનો ચાલ્યાં જાય ...

ઓટા-ચોરાના મિત્રો એક પછી એક ચાલ્યાં જાય ...

૮૦-૯૦ વર્ષે તો તેના તમામ સાથીદાર, મિત્રો ચાલ્યાં જાય ....

જેની સાથે જીવવું છે તે તમામ નવાં ?

ઉંમરને લીધે શરીર સાથ ના દે ...
સંભળાય નહીં ..

ભાષા ના શબ્દો, ટેકનોલોજી, રહેનસહેન, ફેશન પળપળ બદલાતી હોય ત્યારે, બધાં સાથે સંકલન અશક્ય બની જાય ...

ત્યારે જીવવું એ જ બોજ બની જાય ....

માનવ જિંદગીનો સૌથી ભયાનક અને બિહામણો તબક્કો ત્યારે બની જાય કે પુત્રો હરામી પાકે....

આવા સમયે પુત્ર - પુત્રવધૂઓએ પોતાનાં બાળપણને યાદ કરવું જોઈએ ...

જન્મથી જ આપણને ખાતાં, ચાલતાં, બોલતાં ને આ દુનિયાના આટાપાટા જેણે ખંત અને મહેનતથી શીખવ્યા હોય ...

તેને જ્યારે જરુર પડે ત્યારે આટલા બધાં હલકટવેડા ????

વિચારો ....

માતપિતાને તરછોડીને આ દુનિયામાં
કોઈ જ સુખી થયું નથી...
થવાનું નથી...

કુતરાંના મોતે ના મરવું હોય અને
ઘડપણમાં સુખેથી જીવવું હોય તો,

માબાપની પોતાનાં ભુલકાં જેટલી જ કાળજી લો.

"કેમ છો બા ? કેમ છો બાપુજી ?"
આટલાં શબ્દો જ તેમને ઘડપણ ભુલાવી પરમ સુખ આપે છે.
લખી લો ...

*❤ માતપિતા એ સૌથી મોટા ઈશ્વર છે.*
       *તેને ભરપુર પ્રેમ કરો ...❤*


Thursday, January 17, 2019

માણસાઈ નો પરિચય

##માણસાઈ##


ચાલ,આજે 'માણસાઈ'નો પરિચય આપુ!!!!!

પોતે સ્માર્ટફોનમાં વ્યસ્ત હોવા છતાં  રજેરજની ઘરની ખબર હોય એ માણસાઈ.

પોતાનું ઓનલાઈન બુકીંગ હોય છતાં કોઈ વૃદ્ધને બસમાં  પોતાની સીટ પર આદરથી બેસાડે એ માણસાઈ.

નોકરીથી થાક્યા હોય ઘરે જવાની ઉતાવળ હોય છતાં કોઈ અભણ ને એની બસનું નામ વાંચીને બેસાડેએ માણસાઈ.

પોતે બહાર હોટેલ માં મિત્રો સાથે અવારનવાર જમતો હોય પણ ક્યારેક જન્મદિવસે અનાથ બાળકોને હોટેલમાં પોતાની સાથે જમાડે એ માણસાઈ.

ગર્લફ્રેંડ કે મિત્રો સાથે બહાર ખર્ચા કરતો હોય પણ ક્યારેક ઘરના લોકો અને પત્ની માટે ખર્ચ કરે એ માણસાઈ.

માત્ર વરસાદ થી બચવા કે તડકાથી બચવાનોજ વૃક્ષ સાથે નો સબન્ધ ન હોય પણ ફુલછોડ વાવી ઉછેરે એ માણસાઈ.

ફિલ્મ, નાટક, સિનેમા તો બાળકોને બતાવે પણ ક્યારેક વૃદ્ધાશ્રમ ની મુલાકાત કરાવે એ માણસાઈ.

પોતાની બેન, દીકરી ,પત્ની,માં .........નું માન તો રાખે પણ પ્રત્યેક સ્ત્રી પરત્વે આદર રાખે એ માણસાઈ.
                                    -પૂર્વી લુહાર(કુંકાવાવ)

Wednesday, January 16, 2019

તરસ.....

@તરસ@

રણને તરસ હોય છે ખળખળતા પાણીની,
જળને તરસ હોય છે ચકચકતી માછલીની.
પીઠી ભરેલી લાદોલાદ સજી, આવી બેનડી,
પણ ખોરડાની ભીંતને તરસ  કંકુ થાપાની.
ઉંબરો ઠેકીને હાલતી  રણઝણતી ઝાંઝરિયુને,
તરસ હોય છે  નૈનોના સાગરમાં ઘુઘવવાની.
ઉઠી ડોલી કે ધડકન શું સમજવું? આ વિદાયમાં,
અડીખમ ખભાને ભવની રહી તરસ મીંડોળમાં.
ઢોલ ઢબુકિયા સજાવી સેજ તાણી લીધા ઘૂંઘટ,
મેંદીએ ચિતરેલી કોયલડીને તરસ મીઠા કેકારની

-પૂર્વી લુહાર(કુંકાવાવ)

Tuesday, January 15, 2019

Good morning


સહર મુયસ્સરમાં ખીલી ઉઠ્યા કમળ,
મુસલ્લલ કુરબત બની ઉન્સની રફતાર.
રૂહાનિયતની નઝાકતથી થઇ રંગપૂરણી,
જન્નતનશીં એ ખુદાબક્સની મંઝીલે સજ્યા.
                *પૂર્વી લુહાર. કુંકાવાવ.
https://purvirathod0505.blogspot.com/?m=1
નવા શબ્દો.
સહર.................... સવાર,
મુયસ્સર...............સાહજિક,
મુસલ્લલ ...............ક્રમશઃ,
કુરબત................... નજીક,
ઉન્સ.....................પ્રેમ,
રફતાર................... ગતિ,
રૂહાનિયત............આત્મવિશ્વાસ.
આભાર 

એક સલામ દેશકે નામ --Army day.૧૫ /જાન્યુઆરી

૧૫.જાન્યુઆરી.
🇮🇳Army day🇮🇳

પરિચય આપું????
નશીબદારનો.......!!!!!!
તો સાંભળ !

 નશીબદારએ શબ
 જેનું કફન છે ત્રિરંગો........

 નશીબદાર એ માં
 જેનો લાલ સરહદે ખપે........

નશીબદાર એ બેની
જેનો વીર માભોમને રક્ષે.........

નશીબદાર એ મિત્ર
જેનો યાર રણમેદાને દુશ્મનો હંફાવે........

નશીબદાર એ દેશ
જેના યુવાનો દેશપ્રેમ ઘુંટે......

નશીબદાર એ કવિઓ
જેના ગાણા જ્ન્મભૂમિ કાજ લડતા લડવૈયાને ચાનક ચડાવે.......

નશીબદાર એ સજની
જેનો સૈનિક સાંવરિયો  ખત માટે જૂરે.........

-પૂર્વી લુહાર (કુંકાવાવ).

Sunday, January 13, 2019

ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ-પૂર્વી.......

💐💐પતંગ.......💐💐

         વિદેશી ખગ
         મર્યું પતંગ દોરે
         રાહ જુએ માં....🦅🙏🏻

           વિધવા માને
       લાવવા કેમ દોરા
          પતંગ મોંઘાં......😢

          પતંગે લખી
     પ્રેમ વાત, અગાશી
        આખીય ઉડે..........🥰

        ફિરકી બેની
      ભૈલો પતંગ ઉડે
        શૈશવ આભે....🌥🚶‍♀🚶

       કાપી, ચગાવી
     પતંગો સાથે હવે
       વીડિયો કોલ.......📱📲

        પતંગ દિન
   ઉજવે શાળા ખુશ
      બાળ ગોપાળો...📐✒📚

      પતંગ ઉડે
  ભાર્યા કંથ વાગોળે
    નાચેલા નેણ......👫

   ગૂંચ પડેલી
ગઈ ખીહરે હવે
  પતંગ ચગે????🤫

     પતંગ દોરે
થૈ  ઘાયલ 'માં' .આશા
   માળે ચણની.....🦅🦉🦆

  પૂર્વી આપે છે.
ઉત્તરાયણ કેરી
 સુકામનાઓ.......😊💐🙏🏻

-પૂર્વી લુહાર (કુંકાવાવ)
https://purvirathod0505.blogspot.com/2019/01/blog-post.html?m=1

Saturday, January 12, 2019

Good morning

Good morning


કોઈ બાળક પાસે પોતાના મા-બાપ બદલવાનો વિકલ્પ નથી હોતો. અને એમની એ કમનસીબીનો આપણે ક્યારેક ગેરલાભ ઉઠાવતા હોઈએ છીએ.

આપણા સમાજમાં નાની ઉંમરે મૃત્યુના મુખ્ય બે કારણો છે. અપેક્ષાઓ અને અભિપ્રાયો. બાળક જન્મે ત્યારે એની બંધ મુઠ્ઠીઓમાં મમ્મી-પપ્પાને સંબોધીને ઈશ્વરે લખેલી કોઈ ચિઠ્ઠી નથી હોતી, કે આ બાળકને ડૉક્ટર કે એન્જીનીયર બનાવજો. (કોઈપણ જાતની પૂર્વશરત વિના પોતાના ભાગે આવેલી જિંદગીને ઉજવી લેવાની સમજણ પાઠ્ય-પુસ્તકો વાંચીને નથી આવતી.)

બાળકોને પ્રેમ કરનારા આપણે સહુ તેમની પ્રતિભા અને તેજસ્વીતાનું ગૌરવ તો લઈએ છીએ પરંતુ તેમની નબળાઈઓ સ્વીકારવા આપણે તૈયાર નથી હોતા. પરીક્ષાના માર્કસ હોય કે રમતગમતનું મેદાન, આપણું બાળક ક્યાંય પણ પાછળ રહી જાય એ વાત આપણને મંજૂર નથી.
શ્રીદક્ષિણામૂર્તિના શિક્ષક અને કેળવણીકાર વિક્રમ ભટ્ટ કહે છે કે ‘બાળકોની અપૂર્ણતાને ચાહો. કારણકે તેઓ તમારી અપૂર્ણતાને ચાહે છે.’ આ વાત કેટલી સાચી છે !

આજ સુધી કોઈ બાળકે એની મમ્મીને એવું કહ્યું નથી કે ‘મમ્મી, તને અંગ્રેજી બોલતા નથી આવડતું એટલે હું તારા ખોળામાં નહિ બેસું.’ પપ્પાને પ્રમોશન નથી મળ્યું એવું સાંભળીને કયું બાળક એના પપ્પા સાથે બોલવાનું બંધ કરી દે છે ?

બાળકો આપણને આપણી નિષ્ફળતાઓ અને નબળાઈઓ સાથે સ્વીકારે છે અને પ્રેમ કરે છે. ચોકલેટ અને રમકડા જેવી નાની બાબતો પર જીદ કરતા બાળકો, એમના મા-બાપની ઉણપો વિશેનું સત્ય કેટલી સરળતાથી સ્વીકારી લે છે !

બીજું કાંઈ શીખીએ કે નહિ પરંતુ આપણા બાળકો પાસેથી આપણે ઉદારતા તો શીખવી જ પડશે. એમના ઉછેરમાં, એમની માવજતમાં આપણે પણ ભૂલો કરતા હોઈશું. જેમ બે કાન પકડીને આપણે તેમની પાસે સોરી બોલાવીએ છીએ, એમ એમની આંખોમાં આંખો નાખીને આપણે પણ તેમને ‘સોરી’ કહેતા શીખવું પડશે.

આપણે માફી માંગીએ કે ન માંગીએ, બાળકો બહુ જલ્દી માફ કરી દેતા હોય છે. અને માફી આપ્યાનો તેમને અહંકાર પણ નથી હોતો. કદાચ તેઓ પ્રેમને આપણી કરતા વધારે સારી રીતે સમજે અને જીવે છે.

દરેક બાળક પોતાની પસંદગી લઈને જન્મે છે. પોતાના ગમા-અણગમા સાથે જીવે છે. આપણી કોઈપણ જાતની દખલગીરી વગર પણ તેઓ પોતાને ગમતું કામ તો વ્યવસ્થિત રીતે કરી જ લેવાના છે. બસ, એમના સપનાઓમાં આપણને વિશ્વાસ હોવો જોઈએ.

પેરેન્ટ્સ મીટીંગ વખતે ચિંતિંત વાલીઓ જ્યારે ક્લાસ-ટીચરને પૂછતા હોય છે કે ‘ક્લાસમાં મારા બાળકનું પ્રદર્શન કેવું છે ?’ ત્યારે મને ઘણીવાર વિચાર આવે છે કે આવી એક મીટીંગ બાળકો સાથે પણ થવી જોઈએ જ્યાં બાળકોને પૂછવામાં આવે કે ‘ઘરમાં તમારા મમ્મી પપ્પાનું પ્રદર્શન કેવું છે ?’

અત્યાર સુધી ફક્ત આપણે જ બાળકોને ગ્રેડ્સ અને માર્કસ આપતા આવ્યા છીએ. એક અવસર એમને પણ મળવો જોઈએ, આપણું મૂલ્યાંકન કરવાનો. પણ બાળકો ક્યારેય મૂલ્યાંકન નથી કરતા કારણકે તેઓ જાણતા હોય છે કે ઈશ્વરે બનાવેલી આ સૃષ્ટિને લોકોની અપૂર્ણતા જ સુંદરતા બક્ષે છે.

જોઈ કોઈ પણ બાળક ‘પોતે અપૂર્ણ છે’ એવી માન્યતા સાથે મોટું થાય છે, તો વાલી તરીકે એ આપણી સૌથી મોટી અપૂર્ણતા છે.



*મા~બાપ*
*અચૂક વાંચે*


🌹🙏🏻🌹

Thursday, January 10, 2019

બાળગીત

ગુજરાતી મારી માઁ,ને હિંદી છે મારી માસી,
હું તો ગરવો ગુજરાતી ને હું  છું હિંદ વાસી .

             એક્ડે  એક  ને  વન
                         કહેવું  મને  ના  ફાવે
            એક્ડા  પછી  તો
                    હસતો ગાતો બગડો આવે

ક કબૂતરનો ક, ક કલમનો ક મારે મન કાશી,
ગુજરાતી મારી માઁ, ને  હિંદી  છે મારી માસી.

            કેવી ટહુકા કરતી  કોયલ
                                 આંબા  ડાળે ઝુલે!
            હિંદી, ગુજરાતી  બોલીને
                       મારી છાતી ગજ ગજ ફૂલે.

કાગળ, કલમ ને કવિની એક જ છે તો રાશિ
ગુજરાતી મારી માઁ, ને હિંદી છે મારી માસી,

             'જલ',  એ, બી, સી, ડી  નો
                               ના  થાતો  તું  દાસ,
              ક, ખ, ગ, ને  ઘ પર
                               કરજે  પૂરેપૂરો  વિશ્વાસ.

અંગ્રેજી તો કાના માતર વગરની છે એક દાસી
ગુજરાતી મારી માઁ, ને હિંદી  છે મારી માસી,

કવિ જલરૂપ

Monday, January 7, 2019

Good morning





દુનિયામાં સૌથી સારું પુસ્તક આપણી પોતાની જાત છે
 પોતાને સમજી લેવાથી બધી સમસ્યાઓનું સમાધાન થઈ જશે..!!!

💐 💐 !! શુભ સવાર !! 💐💐

રમત:૩૦

💐💐💐💐💐💐

વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર.

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

નીચે આપવામાં આવેલા શબ્દો વાંચો. જેમાં શબ્દ
આગળથી કે પાછળથી વાંચશો કોઈ ફેરફાર જણાશે નહી.

ઉદાહરણ:

૧.લાબેલા
૨.જા રે જા
૩.માં તે માં
૪.ના રે ના
૫.નમન


હવે વિદ્યાર્થી મિત્રો તમારે પણ એવા શબ્દો કે વાક્યો લખવાના છે જે વાંચવાથી આગળ અને પાછળથી સરખુજ વાચન થાય.

     🙏🏻આભાર🙏🏻

રમત:૨૯

💐💐🌴🌴🌴💐💐

વિદ્યાર્થી મિત્રો,નમસ્કાર🙏🏻


આપવામાં આવેલ અક્ષરો પરથી શબ્દો પૂર્ણ કરો.👇🏻


ઉદાહરણ:
૧,--જ--.....….નજમ
૨,--ફ--બ.......આફતાબ
૩,--જ--ત.......ગુજરાત
૪,--ર--મ.........સરગમ
૫,--ભ............આભ



વિદ્યાર્થી મિત્રો હવે નીચેના અધૂરા શબ્દોને તમારે પૂર્ણ કરવાના છે.👇🏻

૧.જ--ત.,
૨.--ર--,
૩.આ--શ,
૪.--ગ--,
૫.સ--ગ--.
    આભાર ...........🙏🏻🙏🏻🙏🏻

રમત:૨૮

વિદ્યાર્થી મિત્રો નમસ્કાર.

આજે આપણે રવાનુકારી શબ્દો વિશે વાત કરીએ.
રવ એટલે અવાજ જે શબ્દથી અવાજ નો અનુભવ થાય તે શબ્દ રવાનુકારી શબ્દ છે.

ઉદાહરણ
તબડક તબડક
મિત્રો આ શબ્દો થી આપણને ખ્યાલ આવે છે કે તબડક તબડક અવાજ ની વાત થઈ છે.

અન્ય ઉદાહરણ...    
ખળખળ
ઠકઠક
ટકટક.
ધબધબ.
છનછન.

વિદ્યાર્થી મિત્રો હવે તમારે આવા ૧૦ રવાનુકારી શબ્દો લખવાના છે.

આભાર......

Goat bank, બકરી બેન્ક વિશે જાણો છો?? અહીં જાણો.

  https://www.instagram.com/reel/C4ZiEoJhXt3/?igsh=MzRlODBiNWFlZA== બકરી બેન્ક શુ છે??? જાણો છો એના વિશે...... તો અહી જાણો. /reel/C4ZiEoJhXt...