Monday, September 26, 2022

જનરલ નોલેજમાટેની SHORTCUT TRICKS

 

જનરલ નોલેજમાટેની SHORTCUT TRICKS


(૦૧) વૌઠાને મળતી સાત નદીઓ :

*હા સામે માવા ખાશે*

હા : હાથમતી

સા : સાબરમતી

 મે : મેશ્વો

મા : માજુમ

વા : વાત્રક

ખા : ખારી

શે : શેઢી



(૦૨) ગુજરાતની આઠ નગરપાલિકાઓ : 

*રાજુભા અમે જાસુ ગાંવ*

રા : રાજકોટ

જુ : જૂનાગઢ

ભા : ભાવનગર

અમે : અમદાવાદ

જા : જામનગર

સુ : સુરેન્દ્રનગર

ગાં : ગાંધીનગર

વ : વડોદરા



(૦૩) ભારતના કૃત્રિમ સરોવરો: *ગોગાના કસમ*

ગો : ગોવિંદસાગર (સતલજ) હિમાચલ પ્રદેશ 

ગા : ગાંધીસાગર (ચંબલ) મધ્યપ્રદેશ

ના : નાગાર્જુન સાગર (કૃષ્ણા) આંધ્રપ્રદેશ

ક : કૃષ્ણરાજ સાગર (કાવેરી) કર્ણાટક

સ : સરદાર સરોવર (નર્મદા) ગુજરાત

મ : મિઝામ સાગર (ગોદાવરી) તેલંગાણા



(૦૪) ભારત સરકારની નવી નોટના ચિત્રો : 

*કોહરા સાલામ*

કો : કોણાર્ક નું સૂર્યમંદિર ૱૧૦/-

હ : હમ્પી નું સ્મારક ૱૫૦/-

રા : રાણી ની વાવ (રાણકીવાવ) ૱૧૦૦/-

સા : સાંચી નો સ્તૂપ ૱૨૦૦/-

લા : લાલ કિલ્લો ૱ ૫૦૦/-

મ : મંગળયાન ૱૨૦૦૦/-



(૦૫) ભારતના મહત્વના અણુ વિદ્યુત મથકો : 

*તારા કાન કોક કાપે*

તા : તારાપુર (મહારાષ્ટ્ર)

રા : રાવતભાટા (રાજસ્થાન)

કા : કાકરાપાર (ગુજરાત)

ન : નરોરા (ઉત્તરપ્રદેશ)

કો : કોટા (રાજસ્થાન)

ક : કલ્પકમ (તમિલનાડુ)



(૦૬) ભારતની સીમા પરના પાડોશી દેશો : 

*બચપન માં MBA કર્યું*

બ : બાંગ્લાદેશ

ચ : ચીન

પ : પાકિસ્તાન

ન : નેપાળ



M : મ્યાનમાર

B : ભૂટાન

A : અફઘાનિસ્તાન



(૦૭) ભારતમાંથી કર્કવૃત પસાર થતા રાજ્યો :

*મમ્મી પણ ગુજરાતી છે*

મ : મધ્યપ્રદેશ

મી : મિઝોરમ

પણ : પશ્ચિમ બંગાળ

ગુ : ગુજરાત

જ : ઝારખંડ

રા : રાજસ્થાન

તી : ત્રિપુરા

છે : છત્તીસગઢ



(૦૮) ગુજરાતમાંથી કર્કવૃત પસાર થતા જિલ્લાઓ : 

*કપાસ મેં આગ*

ક : કચ્છ

પા : પાટણ

સ : સાબરકાંઠા

મેં : મહેસાણા

આ : અરવલ્લી

ગ : ગાંધીનગર



(૦૯) ચલણી નાણું રૂપિયો ધરાવતા દેશો : 

*ભારત સે મામાશ્રીને પાઈ રૂપિયાકી થેલી*

ભારત 

સે : સેસેલ્સ

મા : માલદીવ

મા : મોરીશસ

શ્રી : શ્રીલંકા

ને : નેપાળ

પા : પાકિસ્તાન

ઇ : ઇન્ડોનેશિયા



(૧૦) ભારતમાં વધુ ઉત્પાદિત થતો પાક : 

*નમક*

ન : નાળિયેર 

મ : મગફળી

ક : કેળ

નવરાત્રીના પ્રથમ દિવસે શૈલપુત્રીનું પૂજન

 હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે શૈલપુત્રી એ નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે . જે હિમાલયની પુત્રી પાર્વતી તરીકે અવતરેલ . તેમના જમણાં હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળપુષ્પ તેમજ મસ્તક પર ચંદ્ર ધારણ કરેલો છે . તેમનું વાહન ગાય છે ( ક્યાંક વૃષભ પણ કહ્યું છે ) . નવરાત્રીના પ્રથમ દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે .

Wednesday, September 14, 2022

જવાહર નવોદય ધો.9 પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરાવાના ચાલુ

 *🔥જવાહર નવોદય ધો.9 પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરાવાના ચાલુ*


👉 નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હાલ ધો. 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેના ફોર્મ અત્યારે ચાલુ થઈ ગયેલ છે. આપણી શાળામાં કે સગા-સબંધીમાં જો કોઈને ફોર્મ ભરવું હોય તો નીચે લિંક મુકેલ છે. તમામ મિત્રો અને ગ્રુપમાં આ મેસેજ મોકલજો. જેથી કોઈને કામ આવી જાય...


*👉ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:-* ૧૫/૧૦/૨૦૨૨



પરીક્ષા પદ્ધતિ, સિલેબસ અને ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો*⤵️


*પરીક્ષા પદ્ધતિ, સિલેબસ અને ફોર્મ ભરવા ઉપરની હાઇલાઇટ6 પર ક્લિક કરો*

https://www.jkupdates.co.in/2022/09/jawahar-navodaya-vidyalaya-admission.html


👌અન્ય મિત્રો તથા તમારા સગા - સંબંધીઓમાં પણ આ જરૂરી મેસેજ મોકલો...

Monday, September 12, 2022

મૂળ શાળા કે તાલુકામાં વધ પરત બદલી અંગેનો પરિપત્ર

   


આચાર્યશ્રી તમામ  ઉપરોક્ત પરિપત્રની સૂચના મુજબ શાળા વધ પરત/ તાલુકા વધ પરત નો લાભ લેવા ઇચ્છતા કર્મચારીને જાણ કરવી અને તા. 14/9/22 ના રોજ 11 કલાક સુધીમાં પે.સેન્ટર મારફત નિયત નમુનાની અરજી અને જરૂરી આધારો પહોચતાં કરવા   બાબત

Sunday, September 11, 2022

UV પ્રોટેકટેડ વિન્ડો ગ્લાસ સ્ટીકર

 UV પ્રોટેકટેડ વિન્ડો ગ્લાસ સ્ટીકર

Multicolor Window Sticker ( 2X3 Feet )

Name: Multicolor Window Sticker ( 2X3 Feet )

Material: PVC

Type: Window

Special Features: 3D

Size:  2/0

Net Quantity (N): 1

Product Length: 36 Inch





Product Height: 24 Inch

Product Breadth: 0.5 Inch

ACE INTERIOR 3D Multicolor Window Sticker Glass Window Film for Glass Self Adhesive Decorative for Bathroom/Door Window/ Heat Control/ Sidelight/ Anti UV



Country of Origin: India.

આ સ્ટીકર ખરીદવામાટે અહીં ક્લિક કરો.


Thursday, September 8, 2022

શ્રી બી.ટી.મેવાડા સાહેબ .કોણ? ચાલો બતાવું.

 શ્રી બી.ટી.મેવાડા સાહેબ .કોણ? ચાલો બતાવું.-પૂર્વી લુહાર.

શ્રી. બી. ટી મેવાડા જિવન સફર જોવામાટે અહિ ક્લિક કરો


▪️ડો.બી.આર.આંબેડકર  ના 66 માં પરિનિર્વાણ,તારીખ 6-12- 2021 ના રોજ બી.ટી.મેવાડા સાહેબને "ભીમરત્ન એવોર્ડ"  જૂનાગઢ ખાતે અર્પણ કરી બહુમાનીત કરવામાં આવ્યા.

▪️ ભીખુભાઈ મેવાડા નો જન્મ તારીખ 1-03-1945 અમદાવાદ માં જેઠીમાની કુખે થયો.શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ અમદાવાદ ખાતે મેળવેલ.પિતા તેજાભાઈ મિલ કામદાર-માસ્તરની નોકરી કરતા,પરંતુ ડોક્ટર આંબેડકર ના વિચારધારા ના રંગે રંગાયેલા હતા.મર્યાદિત આવક છતાં પણ પુત્ર ભીખુ ને શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ મેળવવા,આદર્શપુરુષ ડો.આંબેડકર ની જેમ સંઘર્ષ કરો સાથે શિક્ષિત બનો ની પ્રેરણા હંમેશા આપતા.  પુત્ર પણ પિતાની ઇચ્છા પૂર્ણ કરવા પ્રયત્નશીલ રહ્યા. પિતા પુત્રભીખુ ને શિક્ષણ,  સત્તા અને આવક નો ભાગ 'રિટર્ન ટુ સોસાયટી' નો ડો. આંબેડકર નો અભિગમને સમજાવ્યો હતો.

▪️ક્લાર્ક ની સરકારી નોકરી 20 વર્ષ ની ઉંમર 1965માં મળી. ગુજરાત એગ્રીકલ્ચર કોલેજ 1970માં જૂનાગઢ આવ્યા અને વર્ષ 2003માં વહીવટી ક્લાસ વન અધિકારી તરીકે નિવૃત્ત થયા. જૂનાગઢને પોતાની કર્મભૂમિ બનાવી અને ભીમસેવક તરીકે સમાજમાં પ્રસ્થાપિત થયા.  ▪️ બી.ટી.મેવાડા વિચારધારા payback to society સંસ્થા  સાથે જિલ્લા અને રાજ્ય ના હોદ્દાઓ થી જોડાયેલા બામસેફ, DS4, sikatra, દલિત યુવા સંગઠન, એગ્રીકલ્ચર યુનિવર્સિટી સ્ટાફ  મંડળ, સ્ટાફ ક્રેડિટ સોસાયટી વગેરે..

▪️ સાહિત્ય લેખન પ્રદાન: દલિત સાહિત્ય અંગ્રેજી કે  અન્ય ભાષાઓ નું ગુજરાતીમાં અનુવાદન કરેલ. 

(1)ગુલામગીરી

 (2)કીસાન નો કોરડો 

(3) ડો. આંબેડકર ની હત્યા કોણે અને ક્યારે? 

(4)હુ ઇસ બુધ્ધા?.. વગેરે 

ડોક્ટર આંબેડકર સાહિત્ય વિચારધારાને બહુજન સમાજમાં પ્રચાર-પ્રસાર માટે જીવન ભીમસૈનિક તરીકે અર્પણ કરેલ.નિવૃત્તિ માં વધુ જોમથી પ્રચારક બન્યા.બમસેફ જિલ્લા- રાજ્યના પ્રમુખ પદની જવાબદારી બખૂબી નિભાવી,સંગઠન મજબૂત કર્યું . રાષ્ટ્રીય પ્રચારને વધુ વેગ માટે જુદા જુદા રાજ્યોમાં મહિનાઓ સુધી પ્રવાસ કરતા. રાષ્ટ્રીય અધિવેશન, સેમિનાર, સભાઓ, મીટીંગોમાં ડો.આંબેડકર વિચારધારાના ઉચ્ચ કોટિના વક્તા તરીકે સાંભળવા શ્રોતાગણમાં આંબેડકર મુવમેન્ટની ઊંડી અસર જોવા મળતી.

▪️ માન્યવર કાશીરામ સાહેબ, બેન માયાવતી સાથે આદરણીય ધરોબો ધરાવતા. મિત્રો માં હંમેશા ઘેરાયેલા રહેતા . પરંતુ એ વાત ખરી કે નોકરીની જવાબદારી અને સમાજ માટે કરી છુટવાની લગનને કારણે ઘરમાં ધ્યાન આપી શકતા નહોતા. આવક નો એક ભાગ સમાજસેવા-પીડિતો માટે વહન કરતા ,આ માટે ધર્મપત્ની મંજુલાબેન અને બાળકો હંમેશા પ્રોત્સાહિત અને ગર્વ મહેસૂસ કરતા.

▪️ શિક્ષણ માં યોગદાન:🌹 એગ્રીકલ્ચર કોલેજ માં વહીવટી અધિકારી હોવા સાથે કોલેજના વિદ્યાર્થીઓ સાથે સંપર્કમાં રહી હુંફ અને માર્ગદર્શક, મદદનીશ ગુરુ તરીકે સંબંધો રાખતા.ઉચશિક્ષણ અને ઉચહોદ્દા માટે પ્રોત્સાહિત કરતા. 

વૃધ્ધાવસ્થાની લાંબી બીમારી માં પરિવાર સાથે જીવન જીવી રહ્યા હતા.આજે 8,9,2022 એમણે આંખો મીચી દિધી 

સમાજમાં તેઓ એમના- કાર્યો  થકી  હંમેશા જીવિત રહેશે અલવિદા મામાજી.-પૂર્વી લુહાર

ધોરણ ૯ અને ૧૦માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને બારકોડેડ જાતિ પ્રમાણપત્રો અપાશે:

 

ધોરણ ૯ અને ૧૦માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને બારકોડેડ જાતિ પ્રમાણપત્રો અપાશે:


ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના નાગરિકો તેમજ વિદ્યાર્થીઓને યોજનાકીય લાભો, ઉચ્ચ અભ્યાસક્રમમાં અનામત તેમજ સરકારી નોકરીમાં અનામતના હેતુ માટે જાતિના પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે છે. એમાં વધુ સરળતા રહે એ માટે આ નિર્ણય કરાયો છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના નિયામક, અનિસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક, વિકસતિ જાતિ કલ્યાણ ખાતા દ્વારા જાતિ પ્રમાણપત્રો આપવામાં આવે છે. જે અતર્ગત ધોરણ-૧૦માં શાળામાંથી દરખાસ્ત મંગાવી વિદ્યાર્થીઓને જાતિના પ્રમાણપત્રો આપવામાં આવે છે. ચાલુ શૈક્ષણિક સત્ર ૨૦૨૨-૨૩ થી ધોરણ ૯ અને ૧૦માં અભ્યાસ કરતા અને નવા શૈક્ષણિક સત્ર ૨૦૨૩-૨૪થી ધોરણ ૯માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની જાતિ પ્રમાણપત્રો માટે શાળાઓ મારફત દરખાસ્ત મંગાવી વિદ્યાર્થીઓને ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા જાતિના બારકોડેડ પ્રમાણપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓને શાળામાંજ સરળતાથી જાતિના પ્રમાણપત્ર મળી રહેશે.

શિક્ષણ વિભાગમાં 5360 જગ્યાઓની ભરતીની જાહેરાત, ગુજરાત સરકારની કેબિનેટમાં મોટો નિર્ણય,શ્રી વાઘાણીએ આપી માહિતી

 શિક્ષણ વિભાગમાં 5360 જગ્યાઓની ભરતીની જાહેરાત, ગુજરાત સરકારની કેબિનેટમાં મોટો નિર્ણય,શ્રી વાઘાણીએ આપી માહિતી


સપ્ટેમ્બરના અંતમાં શિક્ષણ વિભાગમાં ખાલી જગ્યાઓની ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે: જીતુ વાઘાણી

@ શિક્ષણ વિભાગમાં 5360 જગ્યાઓની ભરતી કરાશે


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટબેઠક યોજાઇ હતી. જેમાં લેવાયેલા નિર્ણય અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરતાં કહ્યું કે આવનાર સમયમાં શિક્ષણ વિભાગમાં 5360 જગ્યાઓ ભરવામાં આવશે. ટુંક સમયમાં શિક્ષકોની ભરતી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે.આગામી સમયમાં પરીક્ષાનું આયોજન પણ કરી દેવામાં આવશે. જિલ્લાફેરનો નિર્ણય હાલ હાઈકોર્ટમાં છે નિર્ણય આવતા ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરી દેવામાં આવશે. સપ્ટેમ્બરના અંતમાં શિક્ષણ વિભાગની પેન્ડિંગ ભરતી પરીક્ષા માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.

TET પરીક્ષાને લઇને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું હતું કે 3 વર્ષથી TET પરીક્ષા નથી લેવાઇ, આગામી સમયમાં પરીક્ષાનું આયોજન કરીશું, સપ્ટેમ્બરના અંતમાં સમગ્ર પ્રક્રિયા શરૂ કરીશું.


મંત્રી જીતુ વાઘાણીની જાહેરાતના અંશો


મને સોંપેલા વિભાગમાં અનેક નિર્ણયો કર્યા છે

રાજ્યના 3300 ની ભરતી પણ રાજ્ય સરકારે કરી

શિક્ષક ભાઈઓ-બેનો અમારો પરિવાર 

5360 જગ્યાઓ ભરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો

ટૂંક સમયમાં શિક્ષકોની ભરતી માટેના ફોર્મ શરૂ કરીશુ

TETની પરીક્ષાને લઇ શિક્ષણમંત્રીનું મોટું નિવેદન

3 વર્ષથી TETની પરીક્ષા લેવાઇ નથી

જિલ્લા ફેર બદલી થયા બાદ ખાલી પડેલી જગ્યાઓ ભરીશું

સપ્ટેમ્બરના અંતમાં સમગ્ર પ્રક્રિયા ચાલુ કરીશું

આગામી સમયમાં પરીક્ષાનું આયોજન કરીશું

સપ્ટેમ્બરના અંતમાં શિક્ષણ વિભાગમાં ખાલી જગ્યાઓની ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે: જીતુ વાઘાણી

Tuesday, September 6, 2022

મહાત્મા ગાંધીએ અન્ય વ્યક્તિઓને આપેલા બિરુદો .

 


@મહાત્મા ગાંધીએ અન્ય વ્યક્તિઓને આપેલા બિરુદો: 

  


 રવિન્દ્રનાથ ટાગોરને  આપેલ બિરૂદ – ગુરુદેવ

- રવિશંકર મહારાજને આપેલ બિરૂદ – મુકસેવક

- મેંડલીન સ્લેડને આપેલ બિરૂદ – મીરાંબાઈ 

- ચિત્તરંજન દાસને  આપેલ બિરુદ – દેશબંધુ

- ચાર્લ્સ ફિઅર ઇન્ડ્રુજને આપેલ બિરુદ – દીનબંધુ .

- .મહમદ અલી ઝીણાને આયલ બિરૂદ — કાયદે આઝમ.

- મોતીભાઈ અમીનને  આપેલ બિરૂદ - ચરોતરનું મોતી 

-મોહનલાલ પંડ્યા ને આપેલ બિરૂદ- ડુંગળીચોર 

-સુભાષચંદ્ર બોઝને આપેલ  બિરૂદ • નેતાજી.

-કાકાસાબ કાલેલકરને આપેલ બિરૂદ-સવાઈ ગુજરાતી.

-ઝવેરચંદ મેઘાણીને આપેલ બિરુદ-રાષ્ટ્રીય શાયર.


 

ચાલો બનાવીએ ખાંડ વગરનો ગોળવાળો -"મોહનથાળ"

 ચાલો બનાવીએ ખાંડ વગરનો ગોળવાળો -"મોહનથાળ"

•ગોળ નો મોહનથાળ બનાવવા જરૂરી સામગ્રી .

 • બેસન 2 કપ 

 .દૂધ 3-4 ચમચી 

 .ઘી 1 કપ

. દૂધ 4-5 ચમચા

 .ઝીણો છીણેલો ગોળ 3/4 કપ

. એલચી પાઉડર 1 ચમચી

.કાજુ , બદામ ને પિસ્તાની કતરણ 6-7 ચમચી.

 ગોળ નો મોહનથાળ બનાવવાની રીત :

ગોળ વાળો દાણેદાર મોહનથાળ બનાવવા  સૌ પ્રથમ બેસન ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એમાં ત્રણ ચાર ચમચી ઘી નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો  ત્યાર બાદ એમાં ત્રણ ચાર ચમચી દૂધ નાખી ને હાથ થી બરોબર મિક્સ કરી લ્યો દૂધ અને ઘી બેસન ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક તપેલી માં બેસન નું મિશ્રણ નાખી હાથ થી દબાવી ને ઢાંકી અડધો કલાક ઢાંકી ને રાખો અડધા કલાક પછી તૈયાર કરેલ મિશ્રણ ને ચારણી થી ચાળી.લ્યો ત્યાર બાદ ઝાડા તળીયાવાળી કડાઈમાં એક કપ ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો અને એમાં ચાળી રાખેલ બેસન નાખી ને ધીમા તાપે જ શેકો જ્યાં સુધી એમાંથી ઘી અલગ થવા લાગે ત્યાં સુધી અથવા તો બેસન નો શેકાઈ ને રંગ બદલે ત્યાં સુંધી આશરે પંદર વીસ મિનિટ શેકી લ્યો હવે એમાં થોડુ થોડુ કરી ને ત્રણ મોટા ચમચા દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ચાર પાંચ મિનિટ શેકી લ્યો અને બેસન નો રંગ પણ બદલી જસે ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને હવે એમાં ઝીણો છીણેલો ગોળ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એલચી પાઉડર નાખીને મિક્સ કરી લ્યો ગોળ અને બેસન બરોબર મિક્સ કરી લીધા બાદ એક થાળી કે કેક ટીન માં ઘી લગાવી ગ્રીસ કરી તૈયાર કરો અને એમાં તૈયાર કરેલ મોહનથાળ નાખી એક સરખું ફેલાવી લ્યો ને ઉપર થી ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી ગાર્નિશ કરી ને એને પણ દબાવી લ્યો 

હવે તૈયાર મોહનથાળ ને એક બે કલાક ઠંડો થવા દયો મોહનથાળ ઠંડો થાય એટલે એમાં ચાકુ થી કટ કરી લ્યો અને કાઢી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો  તૈયાર છે ગોળ વાળો મોહનથાળ .


English

Materials needed to make jaggery mohanthal.


  • Gram flour 2 cups

  .Milk 3-4 tbsp

  .Ghee 1 cup

 .  Milk 4-5 spoons

  .3/4 cup finely grated jaggery

 .  Cardamom powder 1 tbsp

  6-7 spoons of chopped cashews, almonds and pistachios.


  How to make jaggery mohanthal:


   To make round grainy mohanthal, first of all sift the gram flour with a sieve, then add three to four spoons of ghee to it and mix it well with your hands, then add three to four spoons of milk and mix it well with your hands.  After that, put gram flour mixture in a pan, press it with hand and cover it and keep it for half an hour. After half an hour, sieve the prepared mixture with a sieve.  Add sifted gram flour and roast it on low heat until the ghee starts to separate from it or till the gram flour starts to get browned and change its color and roast it for about fifteen to twenty minutes.  Cook the curry and roast it for four to five minutes and the color of besan also changes, after that turn off the gas and now add finely grated jaggery and mix it well, then add cardamom powder and mix it well.  Prepare a plate or cake tin by greasing it with ghee and a  Put the prepared mohanthal in it and spread it evenly and garnish it by putting dry fruit slices on top and press it too.

 Now let the prepared mohanthal cool down for a couple of hours, after the mohanthal cools down, cut it with a knife and take it out and fill it in an airtight container, the round mohanthal is ready.



Monday, September 5, 2022

હાઇકોર્ટેમાં ગુજરાતી ભાષાને મંજૂરી આપો ગુજરાતના વકીલોનો દાવો.

હાઇકોર્ટેમાં ગુજરાતી ભાષાને  મંજૂરી આપો ગુજરાતના વકીલોનો દાવો




અન્ય રાજ્યોમાં મંજુરી તો ગુજરાતમાં કેમ નહીં




નવી શિક્ષણનીતિ મુજબ માતૃભાષાને મહત્વ



આવો આ વિષયપર ચર્ચા સાંભળીએ.

હાઇકોર્ટેમાં ભાષાનો વિવાદ સાંભળવામાટે અહીં ક્લિક કરો


Sunday, September 4, 2022

વડનગર.૧ પ્રાથમિક શાળા રાજુલા શિક્ષકદિન નિમિત્તે શિક્ષક બનેલા બાળકોની પ્રતિજ્ઞા

 વડનગર.૧ પ્રાથમિક શાળા રાજુલા

શિક્ષકદિન નિમિત્તે શિક્ષક બનેલા બાળકોની પ્રતિજ્ઞા




વડનગર.૧ પ્રાથમિક શાળા રાજુલા શિક્ષકદિન નિમિત્તે શિક્ષક બનેલા બાળકોની પ્રતિજ્ઞા માટે અહી ક્લિક કરો


શિક્ષક દિન નિબંધ, સ્પીચ, વિચાર ગુજરાતી અને અંગ્રેજીમાં Teacher's Day Essay, Speech, Thought in Gujarati and English

 શિક્ષક દિન 2022 માટે નિબંધ, સ્પીચ, વિચાર ગુજરાતી અને અંગ્રેજીમાં Teacher's Day Essay, Speech, Thought in Gujarati and English.


શિક્ષક દિન 2022

 ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેસ્વરાય |

 ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુર્વે નમઃ || 


વિસાદી અને સરળ રીતે કહી શકાય કે જે શિક્ષા આપે તે શિક્ષક.

જે જીવન ઘડતર મા મદદ રૂપ થાય અને જીવન ના મૂલ્યો ની સાચી સમજ આપે એ શિક્ષક 

શિક્ષક નું યોગદાન સમાજ મા ઘણું મહત્વ નું છે .શિક્ષક ફક્ત ભણાવતા જ નથી જીવન મા સારા સંસ્કારો નું સિંચન કરી પાયો મજબૂત બનાવે છે .

 ક્ષમતા ને ઓળખી , તેનાં રસ રુચિ પ્રમાણે તેનાં જીવનની દિશા નક્કી કરવા મા મદદ કરે છે .

 સારા શિક્ષક વિદ્યાર્થી ને તેની ઉણપ દેખાડી હડધૂત કરતા નથી પણ એને ઉણપ ને દુર કરવા મા મદદ કરે છે . 

જીવન મા પ્રગતી નો માર્ગ મોકળો કરવા માં મદદ કરે છે . બાળપણ થી જ શિક્ષક અને બાળક સાથે એક સેતુ રચાય છે , જે ધીરે ધીરે મજબૂત બને છે અને એના જીવન માં એક અમિટ છાપ છોડી જાય છે . 

બાળક નું મન તો કોરી સ્લેટ જેવું હોય છે , એના પર શિક્ષક ના વર્તન ની સારી કે ખરાબ છબી ઉપસતી હોય છે .

દર વરસે ૫ મી સપ્ટેમ્બરે શ્રી સર્વપલ્લી રાધા કૃષ્ણ ના જન્મ દિવસ ને શિક્ષક દિન તરીકે ઉજવાય છે . 


જગ છે એનું મૂક પરીક્ષક ચાલે એનું સતત પરીક્ષણ , ને ના થાયે પૂરું શિક્ષણ શિષ્યતણું જેનો છું શિક્ષક ” ૫ સપ્ટેમ્બર એટલે ‘ રાષ્ટ્રીય શિક્ષક દિન ’ , મહાન કેળવણીકાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ . ડૉ . સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન આપણે ત્યાં શિક્ષક દિન તરીકે ઊજવાય છે . મિત્રો તમારા માનસપટ પર કોઈ શિક્ષક પોતાના અસરકારક વ્યક્તિત્વની અમીટ છાપ છોડી જાય છે . તેને તમે જિંદગીભર ભૂંસી નથી શકતા . આવાશિક્ષકો પ્રત્યે તમારો આદરભાવ વ્યક્ત કરવાનો ખાસ દિવસ છે‘શિક્ષક દિન ’ , તમે પણ આ દિવસની ઉજવણી ખાસ રીતે કરવાની જોરદાર તૈયારીઓ કરી હશો . આ સમાજનું ઘડતર કરનાર અને સમાજને સુરક્ષિત રાખવામાં મોટામાં મોટો ફાળો હોય તો એક શિક્ષકનો છે . આજનો દરેક વિદ્યાર્થી ભવિષ્યનો નાગરિક છે . તે સમગ્ર દેશનો આધાર સ્તંભ છે , તે ઈમારતનો એક પાયો છે . એ પાયાને મજબૂત કરવાનું કામ શિક્ષક કરે છે . તેઓ ઈમારતનું પાકું ચણતર કરી તેને કદી ડગવા દેતા નથી . * ક્ષણે ક્ષણે જે નવું શીખવે એનું નામ શિક્ષણ .

 જે માતૃહૃદય રાખીને શીખવે એનું નામ શિક્ષક ” 

* Good teachers Think before they act ,

 Think while they act , Think after they act . 

( સારા શિક્ષક એ જ છે કે જે કાર્ય કરતા પહેલા વિચારે છે . કાર્ય કરતી વખતે વિચારે છે , અને કાર્ય કર્યા બાદ પણ તેનું જ ચિંતન કરે છે . ) 

દરેક વ્યક્તિના ઘડતરમાં બે વ્યક્તિઓનો વિશેષ ફાળો રહેલો છે . એક છે માતા અને બીજા ઉત્તમ શિક્ષક . માનવીનો શારીરિક વિકાસ તો તેની માતા કરે છે , પરંતુ માનવી પોતાનો માનસિક અને આધ્યાત્મિક વિકાસ તેના શિક્ષક પાસેથી પ્રાપ્ત કરે છે . આદર્શ શિક્ષક તમને જીવનમાં આગળ વધવા માટે પ્રેરક બળ , દિશા અને પ્રોત્સાહન પૂરું પાડે છે . “ આજે આપણે એ શિક્ષણ ની જરૂર છે કે જેનાથી ચારિત્ર્ય નિર્માણ થાય , મન ની સુષુપ્ત શક્તિઓ જાગે , જેનાથી બુધ્ધિમત્તા નું વિસ્તરણ થાય અને જે માણસ ને બહાર નાં બધા જ સહારા છોડાવીને તેને પોતાના પગ પર ઉભો કરી શકે ” - સ્વામી વિવેકાનંદ શિક્ષકદિનના દિવસે રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રના આદર્શ શિક્ષકોને • શ્રેષ્ઠ શિક્ષક · નો એવોર્ડ આપવામાં આવે છે . તેમજ દરેક શાળા અને સરકારી કાર્યાલયોમાં શિક્ષકો માટેનો ફાળો ઉઘરાવવામાં આવે છે , જેનાથી જરૂરિયાતમંદ શિક્ષકની સહાય કરવામાં આવે છે .

આ દિવસે દરેક શાળાઓમાં ‘ સ્વયં શિક્ષકદિન ’ ની ઊજવણી કરવામાં આવે છે . જેના અંતર્ગત વિદ્યાર્થીઓ એક દિવસ માટે શિક્ષક બનીને વર્ગમાં અભ્યાસ કરાવે છે અને શિક્ષકોનો આદર્શ રજુ કરે છે . તેમજ શાળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે . જેનાથી વિદ્યાર્થીઓમાં નાનપણથી જ નેતૃત્વના ગુણો ખીલે અને ઉમદા ગુણોનો વિકાસ થાય તેમજ વિદ્યાર્થીઓ શિક્ષકના ઉત્તરદાયીત્વને સમજે . આમ સંસ્કૃતિના સંસ્કાર આપતા શિક્ષકનું ગરવુ પર્વ એટલે ‘ શિક્ષક દિન ’ , આવા શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ જોઇને કહી શકાય ” નથી થયા સપના સાકાર લઇ રહ્યા છે હજી આકાર , જોઈ લો આ બુંદને , અહી જ લેશે સમુદ્ર આકાર ” વર્ગખંડમાં શિક્ષકની ભૂમિકા એ ખૂબ જ મહત્વનું કાર્ય છે , કારણ કે તેની એક એક પળ વિદ્યાર્થીના જીવન સાથે જોડાયેલી હોય છે . દરેક વિદ્યાર્થીનું ભવિષ્ય શિક્ષકના હાથમાં રહેલું છે . એક આદર્શ શિક્ષક વિદ્યાર્થીના ઉમદા ભવિષ્યનો પ્રણેતા બની શકે છે . તેના જીવનનું ધ્યેય અને ધ્યેય સુધી પહોંચવાનો માર્ગ બની શકે છે . ” અહી વર્ગખંડોમાં હું જે શૈક્ષણિક કાર્ય કારી રહી છું તે નોબેલ પારિતોષિકથી લેશમાત્ર ઓછા મહત્વનું નથી ” ટોની મોરિસન શિક્ષક દિનના પ્રણેતા ડો . સર્વપલ્લી રાધાકૃષ્ણન : પોતાનો જન્મદિવસ ‘ શિક્ષક દિન તરીકે ઉજવાય એવી ઉદ્દાત ભાવના દાખવીને જેમણે ભારતભરના શિક્ષક સમુદાયને જે સામાજિક મોભો અને પ્રતિષ્ઠા આપી છે તે ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ ડો . સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 – 9 – 1888 ના રોજ મદ્રાસના તિરૂતુનિ નગરમાં થયો હતો . તેઓ એમ.એ.ની પરીક્ષા પાસ કરી કોલેજમાં દર્શનશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા તે દરમિયાન તેમણે પાશ્ચાત્ય તત્વજ્ઞાન તેમજ ભારતીય દર્શનોનો ગહન અભ્યાસ કર્યો . એક સારા વ્યાખ્યાકાર તરીકે પણ તેઓ પ્રખ્યાત થયા . આથી ઈંગ્લેંડ , અમેરિકા જેવા દેશોમાં વ્યાખ્યાનો માટે તેમને નિમંત્રણો મળતા . તેમના પ્રવચનો ઊંડા મંથનથી અને ઉમદા વિચારોથી સભર રહેતા , તેમણે ‘ ઇન્ડિયન ફિલોસોફી ’ , ‘ પ્રિન્સિપલ ઉપનિષદ ’ , ‘ ઇષ્ટ એન્ડ વેસ્ટ રીલીજીયન ’ , ‘ હિંદુ વ્યુ ઓફ લાઈફ ' જેવા અસંખ્ય ગ્રંથો લખ્યા . ત્યારબાદ તો રશિયા ખાતે ભારતના એલચી તરીકે ફરજ બજાવતા ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પદે અને છેલ્લે રાષ્ટ્રપતિના સર્વોચ્ચ પદે પોતાની મૂલ્યવાન સેવાઓ આપી હતી . ભારત રત્ન ’ નો સર્વોચ્ચ ખિતાબ અર્પણ કરીને ભારતે આ મહાન શિક્ષક પ્રત્યેનું પોતાનું ઋણ અદા કર્યું . ચાલીસ હજાર પાઉન્ડનું ટેમ્પલટન પારિતોષિક ’ મેળવનાર તેઓ વિશ્વના પ્રથમ બિનખ્રિસ્તી વિજેતા હતા . ડો . રાધાકૃષ્ણન માનતા કે શિક્ષણે પરિપૂર્ણ બનવા માટે માનવીય બનવું જ જોઈએ . તેમાં ફક્ત બૌદ્ધિક તાલીમ જ નહિ , હૃદયશુદ્ધિ અને આત્મશિસ્તનો પણ સમાવેશ કરવો જોઈએ . સત્ય વિચાર અને પ્રેમાળ જીવન એ શિક્ષણનો માનવીય અંશ છે . તેમના મતે માનવ નિર્માણકારી શિક્ષણમાં સંસ્કૃતિની ભૂમિકા ઘણી મહત્વની છે . અને સંસ્કૃતિ એટલે મનુષ્યમાં રહેલા પશુને વશમાં કરતા જવાની પ્રાગતિક પ્રક્રિયા . તેમના જીવનનું ઉદ્દેશ્ય આ પંક્તિમાં ચરિતાર્થ થતું દેખાય છે : ” વાવવાં છે બીજ મારે બાળકોના દિલ મહી વૃક્ષ થઈને ઊગશે એ નામ જિજ્ઞાસા ધરી । જ્ઞાન રૂપી ફળ પછી તો આવશે એ વૃક્ષ પર શીખવી દેશે સહજમાં જીવવાનું જિંદગી । 

આપણે જાણીએ છીએ કે તેમનો જન્મદિવસ ઈ.સ. 1964 થી ભારતભરમાં ‘ શિક્ષકદિન ’ તરીકે ઊજવાય છે . તેમના મતે રાષ્ટ્રનું ઘડતર અને ચણતર શિક્ષણસંસ્થામાં થાય છે . શિક્ષણ વિશેનું વ્યાપક મનોમંથન ડો . રાધાકૃષ્ણનના જીવનકર્મનું કેન્દ્રબિંદુ છે . તેઓ સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના વિદ્વાન અને તત્વચિંતક હોવાથી ‘ ભારતના પ્લેટો ’ કહેવાતા . આ ઉપરાંત જુદી જુદી પ્રાદેશિક અને વિદેશી ૧૫ થી વધુ ભાષાઓ લખી - વાંચી અને સમજી શકતા હતા . તેમણે ઘણાં ઉત્તમ પુસ્તકો લખ્યાં છે . વિદેશમાં પણ તેમણે ધોતિયું પાઘડી અને લાંબો કોટ પહેરીને પ્રભાવશાળી ભાષણો આપ્યાં . તેઓ રશિયામાં ભારતના રાજદૂત બન્યા હતા . ૧૯૬૨ માં ભારતના રાષ્ટ્રપતિ બન્યા . શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ પદ સુધી કોઈ વ્યક્તિ પહોંચી હોય તેવી આ વિરલ ઘટના હતી . ૧૯૬૭ સુધી રાષ્ટ્રપતિ પદે રહ્યા . ૧૯૭૫ ની સોળમી એપ્રિલના રોજ તેમનું અવસાન થયું . રાષ્ટ્રપતિ પદેથી નિવૃત્તિ વેળાએ તેમણે ઉચ્ચારેલા શબ્દો હતા_ ” Our Slogan should not be Power at any Price : but Service at any Cost . ” અર્થાત ” કોઈપણ ભોગે સેવા અને નહિ કે કોઈપણ કિંમતે સત્તા . ” આ સંદેશ ભારતના વર્તમાન રાજકારણીઓને ઘણું કહી જાય છે . આવા મહાન આચાર્યને ‘ આચાર્ય દેવો ભવ ’ કહીને નમ્ર અંજલી અર્પીએ . " 

આજનું શિક્ષણ સાક્ષર તો બનાવે છે પણ પગભર નથી બનાવતું . આજે બાળકો ને ગમ્મત સાથે જ્ઞાન ના બદલે બોજા રૂપ ભણતર લાગે છે . બાળકો નું બચપન પુસ્તકો ના ભાર તળે દબાઈ ગયું છે .બળદ ની જેમ સ્કુલ બેગ નો ભાર વેંઢારતા બાળકો ની ક્યા કોઈ ને દયા આવે છે ? શિક્ષક અને શિક્ષણ બંને ને અનીતિ નો લુણો લાગી ગાયો છે પોપટ ની જેમ ગોખી પરીક્ષા પાસ કરવી એજ આજના વિદ્યાર્થી નું લક્ષ્ય બની ગયું છે .સંસ્કાર ધામ ગણાતી શાળાઓ અનીતિ ના ધામ બની ગઈ છે . આ બધા દુષણો નાથવા ના ઉપાયો વિષે તો વિચારવું જ પડશે ને ! કોઈ નક્કર પગલા લેવા પડશે , તો જ શિક્ષક દિન ની ઉજવણી લેખે લાગશે . .એરિસ્ટોટલ અને સિકંદરમાં એ વાતે વિવાદ થયો કે પહેલા વહેળો કોણ પાર કરશે ' સિકંદરે નક્કી કર્યું કે પહેલાં તે વહેળો ઓળંગશે . એરિસ્ટોટલે સિકંદરની વાત માની લીધી . પણ પછી થોડા દુ : ખી થઈને એમણે કહ્યું , ‘ તેં મારી આજ્ઞાનું પાલન ના કર્યું . ' સિકંદરે જવાબ આપતા કહ્યું , ‘ ગુરુજી , મારી કર્તવ્યનિષ્ઠાએ જ મને એમ કરવા માટે પ્રેરણા આપી . એરિસ્ટોટલ હજારો સિકંદર તૈયાર કરી શકશે , પણ સિકંદર તો એક પણ એરિસ્ટોટલ તૈયાર નહીં કરી શકે . સિકંદરના આ ઉત્તરથી ગુરુ એરિસ્ટોટલ અત્યંત પ્રભાવિત થયા . ગીતાના રચયિતા અને એક યુગ પ્રવર્તક ભગવાન શ્રી કૃષ્ણ જયારે ગુરુ સાંદીપનીના આશ્રમમાં અભ્યાસ કરતા હતા ત્યારે ગુરુ સાંદીપનીની આજ્ઞાને માનીને શિષ્ય કૃષ્ણે પાતાળમાં જઈને ગુરુપુત્રને લઇ આવ્યા . એક એવો શિષ્ય એકલવ્ય કે , જેણે માત્ર પોતાના મનથી માનેલા ગુરૂ દ્રોણને ગુરૂદક્ષિણાના ભાગરૂપે પોતાના હાથનો અંગુઠો કાપીને અપર્ણ કરી દીધો . તેમજ એક ઉદ્દાત શિષ્ય આરુણિએ પોતાના ગુરુની આજ્ઞાને સર્વસ્વ માનીને આશ્રમની પાળ તૂટી જતા પાણીને રોકવા પોતે જ ત્યાં સુઈ ગયો . અને પોતાના શરીરની પરવા કર્યા વિના ગુરુની આજ્ઞાને જ સર્વસ્વ માની ઉમદા શિષ્યનું ઉદાહરણ પૂરું પડ્યું હતું . આપણા ગૌરવવંતા ઈતિહાસમાં એવા કેટલાક મહાન ગુરુ - શિષ્યો અમર થઈ ગયા છે . ઈતિહાસના પાને તેમનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે . . આ મહાન ગુરુ - શિષ્યો છે સાંદપિની અને ભગવાન શ્રીકૃષ્ણ , દ્રોણાચાર્ય - અર્જુન , અતિ વિદ્વાન ચાણકય - ચંદ્રગુપ્ત . સાંદિપની , દ્રોણાચાર્ય અને ચાણક્યે તેમના તેજસ્વી શિષ્યોને જીવનમાં આગળ વધવાનો રાહ ચિંધ્યો . આ દિવસે તમારે કોઈ સારો સંકલ્પ કરવો જોઈએ અને શિક્ષકના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને સદ્ગુણોમાંથી પ્રેરણા લેવી જોઈએ . * શિક્ષક તો મીણબત્તી જેવો હોય છે જે પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે ”

English:2022Teacher Day "

Guru Brahma Guru Vishnu Guru Devo Maheswarai |  

Guru Sakshat Param Brahma Tasmai Sri Gurve Namah

The work of the student of the student can be said very simply and simply that the teacher who teaches.  A teacher who helps in shaping life and gives a true understanding of the values   of life is a teacher. The contribution of a teacher is very important in society.  Recognizing the potential, it helps to determine the direction of his life according to his interests.  A good teacher does not scold the student by showing his deficiency but helps him to overcome the deficiency.  Helps pave the way for progress in life.  A bridge is formed with the teacher and the child from childhood, which gradually becomes stronger and leaves an indelible mark in his life.  A child's mind is like a blank slate, the good or bad image of the teacher's behavior is imprinted on it.Every year on 5th September, the birth day of Sri Sarvapalli Radha Krishna is celebrated as Teacher's Day.  The world is a silent examiner, it is constantly tested, and the education is not complete. I am a teacher. September 5 is the National Teacher's Day, the great educator and former President himself.  Dr.  In memory of Sarvapalli Radhakrishnan, we celebrate his birthday there as Teacher's Day.  Friends, a teacher leaves an indelible impression of his effective personality on your psyche.  You cannot erase it in your lifetime.  Such Teacher's Day is a special day to show your respect towards teachers, you must have made great preparations to celebrate this day in a special way.  A teacher is the creator of this society and has a major contribution in keeping the society safe.  Every student of today is a citizen of tomorrow.  It is the pillar of the entire country, it is the foundation of the building.  The teacher does the work of strengthening that foundation.  They build the solid masonry of the building and never let it waver.  * Education is the name of teaching something new moment by moment.  One who teaches with a motherly heart is called a teacher”

 * Good teachers Think before they act, Think while they act, Think after they act.  

(A good teacher is one who thinks before he acts. He thinks while he acts, and he thinks about it even after he acts.) 

Two persons have a special contribution in the formation of every person.  One is a mother and the other is an excellent teacher.  A man's physical development is done by his mother, but a man gets his mental and spiritual development from his teacher.  An ideal teacher provides you with the motivation, direction and encouragement to move forward in life.  "Today we need that education which builds character, awakens the latent powers of the mind, expands intelligence and makes a man stand on his own feet without all external support" - Swami Vivekananda President on Teachers' Day  • Best Teacher · Award is given to exemplary teachers of the nation.  Also, contribution for teachers is collected in every school and government office, thereby helping the needy teacher. On this day, every school celebrates 'Swayam Teacher's Day'.  Under which students become teachers for a day and study in the class and present the ideal of teachers.  Also, various cultural programs are organized in the school.  So that leadership qualities flourish and noble qualities develop in students from childhood and students understand the responsibility of the teacher.  Thus, the pride festival of the teacher who imparts the culture is 'Teacher's Day', the students who have become such teachers can see and say, "Dreams have not come true, they are still taking shape, look at this dam, it will take the shape of the ocean" The role of a teacher in the classroom is a very important task.  is, because every single moment of it is connected with the life of the student.  The future of every student lies in the hands of the teacher.  An ideal teacher can be the pioneer of a bright future for a student.  It can be the goal of his life and the way to reach the goal.  "The educational work I am doing here in the classrooms is no less important than a Nobel Prize," said Dr. Toni Morrison, founder of Teacher's Day.  Sarvapalli Radhakrishnan: The second President of India Sarvapalli Radhakrishnan was born on 5-9-1888 in Tirutuni town of Madras.  He passed the MA examination and joined the college as a professor of philosophy, during which he studied Western philosophy and Indian philosophies in depth.  He also became famous as a good lecturer.  Hence he got invitations for lectures in countries like England, America.  His lectures were full of deep thought and noble thoughts, he wrote numerous books like 'Indian Philosophy', 'Principal Upanishad', 'East and West Religion', 'Hindu View of Life'.  After that he served as India's Ambassador to Russia as the first Vice President of India and finally at the highest post of President.  India paid its debt to this great teacher by conferring the highest title of 'Bharat Ratna'.  He was the world's first non-Christian winner of the Templeton Prize of forty thousand pounds.  Dr.  Radhakrishnan believed that education must be humane to be fulfilled.  It should include not only intellectual training, but also purification of heart and self-discipline.  True thinking and loving life is the human part of education.  According to him, the role of culture in human constructive education is very important.  And civilization is the progressive process of taming the animal in man.  The purpose of his life appears to be embodied in this line: "Seeds are sown, the hearts of the children will grow into trees.  After the fruit of knowledge will come, the tree will teach you to live a life of ease.  

We know that his birthday was in AD.  Since 1964, it has been celebrated as 'Teacher's Day' across India.  According to him, the formation and masonry of the nation takes place in the educational institution.  Extensive brainstorming about education Dr.  It is the focal point of Radhakrishnan's life work.  He was called the 'Plato of India' as he was a scholar and philosopher of Sanskrit and English.  Apart from this, he could read, write and understand more than 15 different regional and foreign languages.  He has written many excellent books.  Even abroad he gave impressive speeches wearing a dhoti turban and a long coat.  He became India's ambassador to Russia.  He became the President of India in 1962.  It was a rare event that a person rose from a teacher to the presidency.  He served as President till 1967.  He died on 16th April 1975.  The words he uttered at the time of retirement from the post of President were- ” Our Slogan should not be Power at any Price : but Service at any Cost .  "means" service at any cost and not power at any cost.  ” This message says a lot to the current politicians of India.  Humble Anjali Arpi called such a great Acharya as 'Acharya Devo Bhava'.  "

Aristotle and Alexander had a dispute over who would cross first, Alexander decided that he would cross first.  Aristotle agreed with Alexander.  But then feeling a little sad, he said, 'You did not follow my order.  Sikandar replied, 'Guruji, it was my duty that inspired me to do so.  Aristotle can produce thousands of Alexanders, but Alexander cannot produce even one Aristotle.  Guru Aristotle was very impressed by this answer of Sikandar.  When Lord Shri Krishna, the author of Gita and an era pioneer, was studying in Guru Sandipani's ashram, following the order of Guru Sandipani, disciple Krishna went to the abyss and brought the Guruputra.  One such disciple, Ekalavya, who cut off the thumb of his hand as a part of Gurdakshina, believed to be Guru Drona only in his own mind, made him unmarried.  Also, Aruni, an ardent disciple, believing his Guru's order as everything, slept there himself to stop the water from breaking the ashram's walls.  And the example of a noble disciple who trusted everything to the Guru's order without caring about his body was fulfilled.  Some of those great Guru-Shishis have become immortal in our glorious history.  His name is written in golden letters on the pages of history.  .  These great guru-disciples are Sandapini and Lord Sri Krishna, Dronacharya-Arjuna, the highly learned Chanakaya-Chandragupta.  Sandipani, Dronacharya and Chanakya waited for their brilliant disciples to advance in life.  On this day you should make a good resolution and take inspiration from the charismatic personality and virtues of the teacher.  * A teacher is like a candle which burns itself and gives light to others”Today's education makes literate but not foothold.  Today children find education a burden instead of knowledge with fun.  Children's life has been crushed under the load of books. Does anyone feel sorry for the children carrying the load of school bags like bulls?  Both the teacher and the education have become the target of today's students.  We have to think about the ways to overcome all these evils!  If a concrete step has to be taken, then the celebration of Teacher's Day will start.

શિક્ષકો માટે 5 સપ્ટેમ્બરે ફ્રીમાં સાયન્સ સિટી અમદાવાદની મુલાકાત*

 *શિક્ષકો માટે 5 સપ્ટેમ્બરે ફ્રીમાં સાયન્સ સિટી અમદાવાદની મુલાકાત*

👉 https://bit.ly/3RjbblK


શિક્ષકોમાટે 5 સપ્ટેમ્બરે ફ્રી સાયન્સ સિટી મુલાકાત માહિતી મેળવવા અહી ક્લિક કરો

સૈનિક સ્કૂલ જાહેરાત. ધોરણ.6,ધોરણ.8,ધોરણ,11, માટે માહિતી વાંચો.

 

સૈનિક સ્કૂલ જાહેરાત. ધોરણ.6,ધોરણ.8,ધોરણ,11, માટે માહિતી :


અનુસૂચિત જાતિ કલ્યાણ , ગુજરાત રાજ્ય , ગાંધીનગર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ખ્યાતનામ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરવા માટે આર્થિક સહાય નીચે જણાવેલ શાળાઓ પૈકી સૈનિક સ્કૂલ બાલાચડી જામનગર અને મહિલા સૈનિક સ્કુલ , ખેરવા મહેસાણામાં ધો . ૬ માં દાખલ થતા વિદ્યાર્થીઓને અને તે સિવાયની અન્ય શાળાઓમાં ધો -૮ અને ધો -૧૧ માં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ગુણવત્તાના ધોરણે પ્રવેશ ફી , ટયુશન ફી , હોસ્ટેલ ફી , જમવાનો ખર્ચ , પુસ્તકો , ગણવેશ અને અન્ય આનુષાંગિક તમામ ખર્ચને પહોંચી વળવા રૂ .૫૦,૦૦૦ / - અથવા ખરેખર ખર્ચની રકમ એ બે માંથી જે ઓછી હોય તેટલી રકમની સહાય વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે 

 • સેન્ટ ફેમીન્સ હાઇસ્કૂલ , પંચગની , જી . સતારા , મહારાષ્ટ્ર • સેન્ટ ઝેવિયર્સ , પંચગની , જી . સતારા , મહારાષ્ટ્ર • બિલીમોરીયા હાઇસ્કૂલ , પંચગની , જી . સતારા , મહારાષ્ટ્ર • ન્યુ યેરા હાઇસ્કૂલ , પંચગની , જી . સતારા , મહારાષ્ટ્ર • સંજીવની વિધાલય , પંચગની , જી . સતારા , મહારાષ્ટ્ર • દુન સ્કૂલ , દહેરાદૂન • સોફીયા સ્કુલ , આબુ ૭ મહિલા સૈનિક સ્કુલ , ખેરવા , જી . મહેસાણા - સૈનિક શાળા , બાલાચડી , જી . જામનગર સ્થળ : ગાંધીનગર તા . ૩/૦૯/૨૦૨૨ ૭ મેયો સ્કુલ , અજમેર , રાજસ્થાન • ગુજરાતની જે શાળાઓના વિદ્યાર્થીઓએ ધો -૧૦ અને ધો -૧૨ માં ત્રણથી વધુવાર રાજ્યના પ્રથમ ૧૦ વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવેલ હોય તેવી શાળાઓ શરતોઃ ( ૧ ) આ સહાય જે વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ . ૧.૫૯.૭૬૦ / - અને શહેરી વિસ્તાર માટે રૂ . ૨.૧૨,૦૬૦ / - સુધી હશે તેને મળવાપાત્ર થશે ( ૨ ) ઉપર જણાવ્યા મુજબના ધોરણોમાં દાખલ થતા વિધાર્થીઓને એક વાર સહાય મળવાપાત્ર થશે ( ૩ ) મુળ ગુજરાતના વિદ્યાર્થીઓને જ લાભ મળવાપાત્ર થશે ( ૪ ) નિયત અરજી ફોર્મ નિયામક , અનુ.જાતિ કલ્યાણ , બ્લોક નં . ૪/૨ , ડૉ . જીવરાજ મહેતા ભવન , ગુજરાત રાજ્ય ગાંધીનગરની કચેરીમાંથી કચેરી સમય દરમ્યાન વિનામુલ્યે મળી રહેશે


 - નિયત નમૂનાનું અરજીપત્રક વેબસાઇટ : http://sje.gujarat.gov.in/dscw પર પણ ઉપલબ્ધ છે 

અરજીઓ સ્વીકારવાની છેલ્લી તારીખ : ૩૦/૦૯/૨૦૨૨ છે .

 ( ફોર્મ સાથે બેંક પાસબુકની નકલ જોડવી . )

 માહિતી / ૧૨૬૩ / ૨૨-૨૩ 

( બી . પી . ચૌહાણ ) 

નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય , 

ગાંધીનગર .



English

Scheduled Caste Welfare, Gujarat State, Gandhinagar Financial assistance to Scheduled Caste students to study in reputed private schools Among the following schools are Sainik School Balachdi Jamnagar and Mahila Sainik School, Kherwa in Mehsana.  50 to meet admission fee, tuition fee, hostel fee, meal expenses, books, uniform and all other incidental expenses on the basis of merit to students entering Class 6 and Scheduled Caste students admitted in Class 8 and Class 11 in other schools.  ,000/- or the amount of actual expenditure whichever is less, the students are eligible for assistance.  • St. Femin's High School, Panchgani, Dist.  Satara, Maharashtra • St. Xavier's, Panchgani, Dist.  Satara, Maharashtra • Bilimoria High School, Panchgani, Dist.  Satara, Maharashtra • New Yera High School, Panchgani, Dist.  Satara, Maharashtra • Sanjeevni Vidhalaya, Panchgani, Dist.  Satara, Maharashtra • Dun School, Dehradun • Sophia School, Abu 7 Mahila Sainik School, Kherwa, Dist.  Mehsana - Sainik School, Balachdi, Dist.  Jamnagar Place : Gandhinagar Dt.  3/09/2022 7 Mayo School, Ajmer, Rajasthan • Schools in Gujarat whose students have ranked in the top 10 students of the state more than three times in class 10 and class 12. Conditions: (1) This aid is for the annual income of the student's family in rural areas.  Rs.  1,59,760/- and for urban area Rs.  2.12,060/- will be eligible (2) Students admitted in the norms mentioned above will be eligible for one time assistance (3) Native Gujarati students will be eligible only (4) Prescribed Application Form Director, Caste Welfare,  Block no.  4/2, Dr.  Jivaraj Mehta Bhawan, Gujarat State Gandhinagar office will be available free of charge during office hours.  Application form of prescribed format is also available on website: http://sje.gujarat.gov.in/dscw.  Last date for receipt of applications is: 30/09/2022.  (Enclose copy of bank passbook with the form.) Information / 1263 / 22-23 (B.P. Chauhan) Director Scheduled Caste Welfare Gujarat State, Gandhinagar.


Saturday, September 3, 2022

નારીકેલમ ફ્લહ-નાળિયેરના ફાયદા


 


નાળિયેરનો ઉપયોગ ધાર્મિક વિધિઓથી લઈને સ્વાસ્થ્ય અને સુંદરતાને નિખારવા તથા સ્વાદિષ્ટ ભોજન બનાવવા માટે પણ થાય છે. હિન્દુ ધર્મમાં શ્રીફળને શુભ માનવામાં આવે છે. મંદિરોમાં શ્રીફળ ચડાવવાની પૌરાણિક માન્યતાઓ પણ છે. પૂજા સામગ્રીમાં પણ શ્રીફળનું વિશેષ મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે, ભગવાનને શ્રીફળ અર્પણ કરવાથી દુ:ખ અને પીડાનો નાશ થાય છે. પૂજામાં શ્રીફળનો ઉપયોગ કેમ કરાય છે, જાણો તેના મહત્ત્વ વિશે.



નાળિયેરનું પૌરાણિક મહત્ત્વ

એવું માનવામાં આવે છે કે, વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મી, નાળિયેરના વૃક્ષ અને કામધેનુને પૃથ્વી પર લાવ્યા હતા. નાળિયેરના વૃક્ષને ‘કલ્પવૃક્ષ’ પણ કહેવામાં આવે છે. નાળિયેર ભગવાન શિવને પણ ખૂબ જ પ્રિય છે. શ્રીફળ પર બનેલી ત્રણ આંખોની તુલના શિવના ‘ત્રિનેત્ર’ સાથે કરવામાં આવે છે, તેથી જ નાળિયેરને શુભ માનવામાં આવે છે.


સ્ત્રીઓ નાળિયેર કેમ નથી વધેરતી?

શ્રીફળ એક બીજ ફળ છે. સ્ત્રીઓ બાળકોને બીજ સ્વરૂપે જન્મ આપે છે. નાળિયેર એ મહિલાઓની ગર્ભધારણ કરવાની ઈચ્છા પૂરી કરવા માટે સક્ષમ માનવામાં આવે છે. આ જ કારણ છે કે, સ્ત્રીઓ માટે નાળિયેર વધેરવાની મનાઈ હોય છે. એવું માનવામાં આવે છે કે, જો મહિલાઓ શ્રીફળ વધેરે, તો તેમનાં બાળકોને તકલીફ પડે છે.


ઘરના મંદિરમાં શ્રીફળ કેમ રાખવામાં આવે છે?

શ્રીફળને ત્રિદેવનું પ્રતિક માનવામાં આવે છે. શ્રીફળને પૂજામાં રાખવાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ નાળિયેરનું મહત્ત્વ છે. શુભ કાર્ય કરતાં પહેલાં શ્રીફળ વધેરવામાં આવે છે.


એકાક્ષી નાળિયેરના ચમત્કારિક ફાયદા

નાળિયેરના અનેક પ્રકારોમાંથી એક એકાક્ષી નાળિયેરને દેવી માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, જે વ્યક્તિ પાસે આ નાળિયેર હોય છે, તેના જીવનમાં ક્યારેય પૈસાની અછત સર્જાતી નથી. અતૂટ લક્ષ્મી ઘરમાં નિવાસ કરે છે. ચાલો જાણીએ લક્ષ્મીનું રૂપ માનવામાં આવતા એકાક્ષી નાળિયેર સાથે જોડાયેલા ઉપાયો અને ફાયદા વિશે.


પૂજામાં નાળિયેર કેમ ચડાવવામાં આવે છે?

એવું માનવામાં આવે છે કે, ઋષિ વિશ્વામિત્રે બીજી સૃષ્ટિના નિર્માણમાં માનવી સ્વરુપવાળા નાળિયેરનું સર્જન કર્યું હતું. તેથી, નાળિયેરના કોચલા પર બે આંખો અને એક મોં બહાર રચાય છે. એક સમયે હિંદુ ધર્મના મનુષ્યો અને પ્રાણીઓનું બલિદાન એકસમાન વાત હતી પછી આ પરંપરાને તોડીને માણસ અને પ્રાણીઓની જગ્યાએ નાળિયેર ચડાવવાની પ્રથા શરૂ થઈ. પૂજામાં નાળિયેર ચડાવવાનો અર્થ એ છે કે, વ્યક્તિએ પોતાના પ્રમુખ દેવતાનાં ચરણોમાં પોતાની જાતને સમર્પિત કરી દીધી છે, પ્રભુ સમક્ષ તેનું કોઈ જ અસ્તિત્વ નથી, એટલા માટે પૂજામાં નાળિયેર ચડાવવામાં આવે છે.



નાળિયેર પાણી શરીરને હાઈડ્રેટ કરે છે

શરીરમાં થાક અને નબળાઇ ન આવે અને શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે નાળિયેર પાણી પીવું જોઈએ. વજનને કંટ્રોલમાં રાખવા માટે નાળિયેર પાણી પીવાથી ફાયદો થાય છે, તેનાથી ત્વચા પણ ચમકદાર બને છે. તેમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશર અને હૃદયની સમસ્યાથી પીડાતા દર્દીઓ માટે સારું છે. દિલ્હીની પંચકર્મ હોસ્પિટલના આયુર્વેદાચાર્ય ડૉ. આર.પી.પારાશર પાસેથી નાળિયેરના ફાયદા વિશે જાણીશું.


નાળિયેરમાં સમાવિષ્ટ પોષકતત્ત્વો તમને હાઈ બ્લડપ્રેશર, હૃદય સાથે જોડાયેલી બીમારીઓ, હાડકાં સાથે જોડાયેલી બીમારીઓ, સ્થુળતાની સમસ્યા, સ્કિન સાથે જોડાયેલી સમસ્યાઓ, પાચનની સમસ્યા, કિડની સ્ટોનની સમસ્યા વગેરે સામે રાહત આપે છે.



પ્રેગ્નન્સી દરમિયાન કાચા નાળિયેર ખાવાના ફાયદા

ગાયનેકોલોજિસ્ટ ડૉ. મીરાં પાઠક કહે છે કે, ‘પ્રેગ્નન્સી દરમિયાન શરીરમાં ઘણા ફેરફારો થાય છે, જેના કારણે ડોક્ટરો કાચું નાળિયેર ખાવાની ભલામણ કરે છે. કાચા નાળિયેરમાં ઘણાં એવાં તત્ત્વ હોય છે કે, જે પ્રેગ્નન્ટ સ્ત્રીઓને હાઇડ્રેટેડ રાખે છે એટલું જ નહીં, કબજિયાત, છાતીમાં બળતરા, મોર્નિંગ સિકનેસથી પણ રાહત આપે છે. તેના સેવનથી સ્વાસ્થ્યને લગતા ઘણા ફાયદા થઈ શકે છે.’


જો કે પ્રેગ્નન્સી દરમિયાન કાચું નાળિયેર ખાવાથી મહિલાઓના શરીરમાં ફાયદાની સાથે-સાથે કેટલાક ગેરફાયદા પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં સાવચેત રહેવું મહત્ત્વપૂર્ણ છે


કાચાં નાળિયેર ખાવાથી મહિલાઓને લાલ ફોલ્લીઓ કે ચહેરા પર ખંજવાળ આવવા જેવી એલર્જી પણ થઈ શકે છે.

પ્રેગ્નન્સી દરમિયાન કાચું નાળિયેર સ્ત્રીઓ માટે ગળાની તકલીફનું કારણ પણ બની શકે છે.

કાચા નાળિયેરમાં સુગર હોય છે, તેથી મહિલાઓએ તેના વધુ પડતા ઉપયોગથી બચવું જોઈએ.

કાચા નાળિયેમાં હાઈ સેચ્યુરેટેડ ફેટ હોય છે, જે શરીરમાં હાઈ કોલેસ્ટેરોલની સમસ્યા વધારી શકે છે.


સૂકું નાળિયેર ખાવાના ફાયદા


સૂકા નાળિયેરમાં આયર્નની માત્રા વધુ હોવાને કારણે તે હૃદય અને મગજ માટે ખૂબ જ સારું સાબિત થાય છે. તે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે અને શરીરને વાઈરલ ચેપથી પણ દૂર રાખે છે.

નાળિયેર ધમનીઓમાં પ્લેકને બનતા રોકે છે, જે હાર્ટ બ્લોકેજના કારણે થાય છે.

જો ત્વચા શુષ્ક હોય તો સૂકું નાળિયેર ખાવું એ શ્રેષ્ઠ વિકલ્પ છે. દરરોજ નાળિયેર ખાવાથી ત્વચામાં ચમક આવે છે અને તમામ પ્રકારના ડાઘ દૂર થાય છે.

સૂકું નાળિયેર શરીરમાં કોલેસ્ટેરોલના સ્તરને વધુ સારું રાખવામાં મદદ કરે છે, કારણ કે તેમાં તંદુરસ્ત ચરબી હોય છે.



નાળિયેરની મલાઈ ખાવાથી થતા ફાયદા

નાળિયેરની અંદરનો ક્રીમ સ્વાસ્થ્યને પણ ઘણો ફાયદો પહોંચાડે છે. જાણો નાળિયેરની મલાઈ ખાવાથી સ્વાસ્થ્યને કેવા લાભ મળે છે?


તેમાં ગુડ કોલેસ્ટેરોલ હોય છે. તે ખરાબ કોલેસ્ટેરોલને ઘટાડે છે અને હૃદય માટે ફાયદાકારક છે.

તેમાં મળતી ક્રીમમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચન માટે ફાયદાકારક હોય છે.

નાળિયેરમાં મળતા ક્રીમને ‘પાવર હાઉસ ઓફ એનર્જી’ કહેવામાં આવે છે. તેને ખાવાથી એનર્જી મળે છે.

નાળિયેર ક્રીમમાં ભરપૂર માત્રામાં એન્ટિ-ઓક્સિડન્ટ હોય છે, જે ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરીને કોઈપણ વાઈરસથી બચાવવામાં મદદગાર સાબિત થાય છે.

નાળિયેરમાંથી બનતી વાનગીઓ

દક્ષિણ ભારતીયો રસોઈ માટે નાળિયેરનો ઉપયોગ કરે છે. નાળિયેરનું દૂધ અને ખમણેલા નાળિયેરનો ઉપયોગ દરરોજ રસોઈમાં થાય છે. જો તમે ખાવાના શોખીન છો, તો તમે તેનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો. લાડુ અને ચોખાથી લઈને ચટણી અને કુકીઝ સુધી નાળિયેરમાંથી ઘણી મીઠી અને નમકીન વાનગીઓ બનાવી શકાય છે.

નાળિયેરની છાલ પણ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે

આપણે ઘણીવાર નાળિયેરની છાલને નકામી સમજીને ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ તેનાથી ઘરની સુંદરતા વધી શકે છે. ચાલો જાણીએ કેવી રીતે કરશો નારિયેળની છાલનો ઉપયોગ


નાળિયેરની છાલમાંથી તમે કૂંડુ બનાવી શકો છો

તમે નાળિયેરની છાલનો કૂંડા તરીકે ઉપયોગ કરીને પૈસા બચાવી શકો છો. આ માટે તમારે નારિયેળના બે સરખા ભાગ કાપવા પડશે. નાળિયેરની સાઇઝ નાની હોય છે, તેથી તમે તેને ઘરની અંદર કે બહાર ગમે ત્યાં રાખી શકો છો. તેને જમીન પર મૂકીને સજાવટ કરી શકાય છે અથવા તો હેંગિંગ પ્લાન્ટની જેમ લટકાવી શકાય છે. નાળિયેરના છાલમાંથી હેંગિંગ પ્લાન્ટ બનાવવા માટે તમારે તેને ત્રણ દોરડાની વચ્ચે મૂકીને લટકાવવાનું રહે છે. પાણીવાળા નાળિયેરનો ઉપયોગ કૂંડા તરીકે પણ કરી શકાય છે.


નાળિયેરની છાલમાં પક્ષીઓને પાણી આપો

ઘણા લોકો નાળિયેરની છાલમાં પક્ષીઓ માટે પાણી અને ખોરાક રાખે છે. નાળિયેરને વચ્ચેથી બે સરખા ભાગમાં કાપીને તમે પક્ષીઓને ભોજન કે પાણી આપી શકો છો.


પેનસ્ટેન્ડ બનાવો

ઉપરથી નાળિયેરના છાલને કાપીને તેમાં છિદ્ર કરો. હવે તેને બોર્ડ પર ચોંટાડી દો. આમ કરવાથી પેન સ્ટેન્ડ તૈયાર થઈ જશે. તેને વધુ સુંદર બનાવવા માટે તમે તેને પેઇન્ટ પણ કરી શકો છો.



હર ઘર પેન્શન' મુહીમમાટે તમારા ફોટા વાળુ પોસ્ટર બનાવવા અહીં ક્લિક કરો. pension-hamara-adhikar પેન્શન અમારો હક,

 તમે પણ આ લિંક પર જઈ પોતાનું હર ઘર પેન્શન મુહિમ નું પોસ્ટર creat કરો અને તમારા સ્ટેટસ માં મૂકો.ફેસ બુક માં share karo



'હર ઘર પેન્શન' મુહીમમાટે તમારા ફોટા વાળુ પોસ્ટર બનાવવા અહીં ક્લિક કરો.

#PensionDoVoteLo

#PensionHamaraAdhikar



https://twb.nz/pensiohamara-adhikar

Goat bank, બકરી બેન્ક વિશે જાણો છો?? અહીં જાણો.

  https://www.instagram.com/reel/C4ZiEoJhXt3/?igsh=MzRlODBiNWFlZA== બકરી બેન્ક શુ છે??? જાણો છો એના વિશે...... તો અહી જાણો. /reel/C4ZiEoJhXt...