Friday, July 10, 2020

ધોરણ.6,ગુજરાતી,વિવિધ ધર્મોની માહિતી.



ધોરણ છ માં ગુજરાતી  વિષયના પ્રથમ સત્ર અંતર્ગત બીજા એકમ "હિંદમાતાને સંબોધન"કાવ્યમાં સ્વાધ્યાયમાં પૂછવામાં આવેલી  વિવિધ ધર્મની માહિતી આ પ્રમાણે છે.

૧,હિન્દુ:
 હિન્દુ ધર્મના ધર્મ ગુરુ શંકરાચાર્ય છે,ધર્મ ગ્રંથ ભગવદ્ ગીતા અને વેદ-પુરાણ છે,તેમનું ધર્મ સ્થાન મંદિર છે, ધર્મ પ્રતીક ઓમ છે, મુખ્ય તહેવાર દિવાળી અને નવરાત્રી છે.

૨,ઇસ્લામ:
 ઇસ્લામ ધર્મ એટલે કે મુસ્લિમ ધર્મના ધર્મગુરુ હજરત મહંમદ પયગંબર સાહેબ  છે, ધાર્મિક ગ્રંથ કુરઆન-એ-શરીફ  છે,એમનું ધર્મસ્થાન મસ્જિદ છે, ધર્મ પ્રતીક ચંદ્ર છે, ઈદ એમનો મુખ્ય તહેવાર છે.

૩,શીખ:
 શીખ ધર્મના સ્થાપક અને ધર્મગુરુ  ગુરુ ગોવિંદસિંહ છે,ધર્મગ્રંથ ગુરુ ગ્રંથસાહેબ છે ,ધર્મસ્થાન એમનું ગુરુદ્વારા છે ધર્મ પ્રતિક એમનો કિરપાણ છે, મુખ્ય તહેવાર ચેટીચાંદ છે.

૪,ખ્રિસ્તી:
ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુ ઇશું ખ્રિસ્ત છે,એમનો ધાર્મિક ગ્રંથ બાઇબલ છે, તેમનુ ધર્મસ્થાન દેવળ એટલે કે ચર્ચ છે, તેમનું ધાર્મિક પ્રતીક ક્રોસ છે ,એમનો મુખ્ય તહેવાર નાતાલ છે.

૫,પારસી:
 પારસી ધર્મના ધર્મ ગુરુ અષો જરથુષ્ટ્ર છે એમનો ધાર્મિક ગ્રંથ અવેસ્તા છે,એમનું ધર્મસ્થાન અગિયારી છે એમનું ધાર્મિક પ્રતીક અગ્નિ છે, મુખ્ય તહેવાર એમનો નવરોઝ છે.

૬,જૈન:
જૈન ધર્મના સ્થાપક મહાવીર સ્વામી છે એમનો ધાર્મિક ગ્રંથ આગમ એટલે કે કલ્પસૂત્ર છે,ધર્મસ્થળ દેરાસર છે, એમનું ધર્મ પ્રતીક ધર્મચક્ર અથવા સ્વસ્તિક છે, એમનો મુખ્ય તહેવાર પર્યુષણ છે.

૭,બૌદ્ધ:
બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધ છે, એમનો ધાર્મિક ગ્રંથ ત્રિપીટક છે ,ધર્મસ્થાન એમનું પેગોડા  કે વિહાર છે, ધર્મ પ્રતીક અને સ્વસ્તિક છે,મુખ્ય તહેવાર એમનો બુદ્ધ પૂર્ણિમા છે.
                                                     -પૂર્વી લુહાર.

1 comment:

  1. ધર્મો વિશેની ખૂબ જ સુંદર માહિતિ..👌🙏

    ReplyDelete

Goat bank, બકરી બેન્ક વિશે જાણો છો?? અહીં જાણો.

  https://www.instagram.com/reel/C4ZiEoJhXt3/?igsh=MzRlODBiNWFlZA== બકરી બેન્ક શુ છે??? જાણો છો એના વિશે...... તો અહી જાણો. /reel/C4ZiEoJhXt...