Thursday, October 29, 2020

ઉકળાટ નહિ પરિશ્રમ કરો

 





                       નરેશ ભાઈ, મહેશભાઈ ના ઉદાહરણ પરથી એવુ નથી લાગતુ કે તમારા મા ટેલેન્ટ હોય તો દુનિયા તમને સલામ કરે છે બાકી પોતાની જાતને દલિત દલિત કહી  કકળાટ કરનારા લોકો જેને બસ દલિત જ રહેવુ છે દરેક જગ્યાએ પોતે દલિત છે એટલે અન્યાય થાય છે એજ સાબિત કરતા હોય છે આવા લોકો પર ખરેખર દયા અને તરસ આવે મહેનત કરવી નથી અને જય ભીમ જઈ ભીમ કરતુ રહેવુ છે ભીમ સાહેબે જે મહેનત કરી છે પોતાની આવડત થી અને અથાગ પરિશ્રમ કર્યો છે જય ભીમ જય ભીમ બોલવા કરતા એમના જેવુ શિક્ષણ મેળવો કામ કરો દુનિયા મા બધાને બધુ સરળ અને ઝડપી મળે એવી જ ઈચ્છા હોય છે શા માટે તમારે દલિત જ રહેવુ છે મહેનત નથી કરવી તો પ્લીઝ તમને બાબા સાહેબ આંબેડકર પણ મદદ નહિ કરી શકે જુઓ મહેશ નરેશ ના આજના સમાચારો મોટા ભાગના સવર્ણ સાથે કામ કર્યું છે બધાએ એમના પેટ ભરીને વખાણ કર્યા છે તમે મહેનતુ હશો અને કોઈ પણ કામ કરવામા નાનપ નહિ અનુભવો તો દુનિયા સલામ ઠોકસે દલિત થી પોતાની જાત ને ઉપર લાવો લોકો સાથે મળીને કામ કરો શરૂ શરૂમાં તકલીફ પડે છે અને બધેજ એવુ હોય છે આપડે પોતે પણ આપડા થી નબળા ને દબાવી એ છિયે બીજા થી મજબૂત બનો આગળ વધો અને સાચા અર્થમાં શ્રી ભીમરાવ આંબેડકર સાહેબે જે સપનું જોયુ હતું એને સાર્થક કરી બતાવો 

Saturday, October 3, 2020

ગર્ભવતી માતા માટે ઓનલાઈન માર્ગદર્શન


 *गर्भवती माताओं के लिए गायत्री परिवार द्वारा विशेष 9 दिवसीय (3 OCT to 11 OCT 2020) निःशुल्क ONLINE शिविर का आयोजन*


*आओ गढ़े संस्कारवान पीढ़ी अभियान*


*सेमिनार फ्री है लेकिन रजिस्ट्रेशन अनिवार्य होगा*


https://forms.gle/wExD23c9mFo1MYo27


Meeting ID: 862 0077 8012


Meeting Link:

*https://us02web.zoom.us/j/86200778012https://us02web.zoom.us/j/86200778012*


To watch LIVE on YouTube, Click on below link:


https://www.youtube.com/channel/UClhdfOwhBDAciZ_2r2EgM-A


कृपया ध्यान रखें, 9 दिन तक यही ID काम करेगी।🙏🙏



Sunday, September 13, 2020

Hindi day.14.9.2020

 






Hindi Day  is an annual day observed on 14 September at national level and in hindi speaking states of India to celebrate the adoption of Hindi as one of the two official languages of India.


Hindi Diwas-

Official name-Hindi Diwas-Observed by

Government of India Significance

Adoption of Hindi as an official language of India,Observances

Commemoration of luminaries in the field of Hindi literature

Date-14 September

Next time-14 September 2020-Frequency

Annual-History of Hindi Diwas Edit

Learn more-This section does not cite any sources.


Beohar Rajendra Simha. On his 50th birthday 14-09--1949 Hindi was adopted as the Official Language of Republic of India.


Events Edit;


Apart from local-level events in schools and other institutions, a few of the notable events include


The former President of India, Pranab Mukherjee had conferred awards in different categories for the excellence in different fields pertaining to Hindi at a function in Vigyan Bhavan in New Delhi.

Rajbhasha Awards were conferred upon the Ministries, Departments, PSUs and Nationalised Banks.[4]

Making bank challans available only in English and Hindi even in rural India where most people only know one language - their mother tongue. 7/8ths of the time this is NOT Hindi.

Ministry of Home Affairs in its order dated 25 March 2015 has changed name of two awards given annually on Hindi Divas. 'Indira Gandhi Rajbhasha Puraskar' instituted in 1986 changed to 'Rajbhasha Kirti Puraskar' and 'Rajiv Gandhi Rashtriya Gyan-Vigyan Maulik Pustak Lekhan Puraskar' changed to "Rajbhasha Gaurav Puraskar"


References Edit

 "हिन्दी दिवस: हिन्दी भाषा से जुड़े 19 रोचक तथ्य, ...जानिए". Live Bihar News | लाइव बिहार न्यूज़ (in Hindi). 14 September 2019. Retrieved 22 September 2019.

 "Constitutional provisions for Hindi".

 "Language Census of India".

 "India observed Hindi Divas on 10 January". Jagran Josh. 15 September 2014. Retrieved 16 September 2014.

 "Names of Indira Gandhi, Rajiv Gandhi knocked off Hindi Diwas awards". The Economic Times. 21 April 2015. Retrieved 21 April 2015.



Thursday, September 10, 2020

Wednesday, September 2, 2020

શિક્ષકદિન સ્પીચ

 






ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું ખૂબ જ મહત્વ છે ગુરુ આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે ,આપણામાં રહેલા અજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે માટે આપણી સંસ્કૃતિમાં તો ઈશ્વર કરતા પણ ગુરુનું સ્થાન ઊંચું છે.આજે આપણે એવા લોકોને યાદ કરીએ  જેમના થકી જીવનમાં આપણને કંઈક શીખવા મળ્યું છે ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું ખૂબ જ મહત્વ છે આપણા દરેક આશ્રમ પરંપરા, ગાદી પરંપરા શાળા સંસ્થા અને ઘરમાં પણ આપણે ગુરુને અભિન્ન સ્થાન આપીએ છે.દરેક સારા કાર્યમાં આપણે ગુરુની વંદના કરીએ છીએ અને દરેક વસ્તુ શીખતા પૂર્વે આપણે ગુરુને નમન કરીએ છીએ એવું નથી હોતું કે માત્ર આપણા જ શિક્ષક છે એજ આપણા ગુરુ છે.સામાન્ય બાબત શીખવી એ પણ આપણા ગુરુ.



              આપણા જીવનમાં જ્યારે કશું જાણતા હોતા નથી ,કોરી પાટી સમાન આપણું જીવન હોય છે અને કોરી પાટી સમાન આપણું મન હોય છે તેમાં જ્ઞાન ના અજવાળા પાડનાર ,જ્ઞાનનો એકડો ઘુંટાવનાર ગુરુ છે માટે ગુરુનું સ્થાન ખૂબ જ મહત્ત્વનું છે આજના સમયમાં ગુરુનું સ્થાન  દરજ્જો ઘટતો જોવા મળી રહ્યો છે, આપણા જે બાળકો છે  તેના મગજમાં આપણે ગુરુનુ મહત્વ તો અવશ્ય આકારવું જોઈએ કારણ કે ગુરુ છે, શીખવનાર છે તો આપણે શીખી શકીએ છીએ,


ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર

ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ


અહીં એવું કહેવા માગે છે કે ગુરુ બ્રહ્મા છે, વિષ્ણુ છે ,મહેશ્વર છે, સાક્ષાત પરબ્રહ્મ છે મતલબ કે ઈશ્વર કરતા પણ ગુરુનું સ્થાન ખૂબ મહત્વનું છે માટે જ આપણે ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પરંપરા પરંપરા મહત્વની છે  અને આપણને જે કંઈ પણ શીખવે છે એ આપણા શિક્ષક છે એ પણ આપણા ગુરુ સમાન છે અને ગુરુ દત્તાત્રેય તો ત્યાં સુધી કહ્યું હતું કે ક્ષુલ્લક બાબત જેની પાસેથી આપણને શીખવા મળે એ પણ ગુરુ જ છે.


હાલની  ટેકનોલોજીના આ યુગમાં લોકો કટ ,કોપી અને પેસ્ટમાં માને છે ,કશુક શીખવા માટે કોઈ ને પૂછવા માટે માગતા નથી હાલની નાની છોકરીઓ રસોઇ બનાવતા શીખતી હશે તો એ યૂટ્યુબમાં કે ગૂગલ પર સર્ચ કરી અને રસોઈ શીખી લેશે એ પરંપરા ભુલાતી વિસરાતી જાય છે જ્યારે પરિવારમાં દાદી , કાકી અને મમ્મી છે  તે દીકરીને રસોઈ બનાવતા શીખવતા હોયઆ લોકોએ જે શીખવ્યું છે એ અને પેલું જે શીખે છે ઓનલાઇન એ તેમાં તો આસમાન અને જમીનનો ફરક રહેવાનો. એ સમયે ભુલાઈ ગયો છે જ્યારે પિતા પાસેથી પુત્ર શીખતો હતો.પરંપરાગત વ્યવસાય, રિતી રિવાજો અને વહેવાર આજે એ પ્રથા વિસરાતી જતી જોવા મળે છે.

તો પરિવાર સાથે રહો પરિવાર સાથે કનેક્ટ રહો ઇન્ટરનેટથી કનેક્ટ આપણે રહેવાના જ છીએ કેમકે આપણે સમયની સાથે- સાથે ચાલવાનું છે પણ કુટુંબથી જોડાયેલા રહીએ હવે આપણે ગુગલ કરીને youtube થી કે કોઈપણ સર્ચએન્જીનથી માહિતી મેળવતા હોઇએ પરંતુ પરિવાર વિશે પણ આપણે જાણતા હોવા જોઈએ,પરંપરા શીખો કેમકે એ ભુલાતી જાય છે નવાને અપનાવો.


આજે જેમની પાસેથી તમે કંઈ પણ શીખ્યા જો એમની પાસે આભારની લાગણી વ્યક્ત કરો એમને વંદન કરો અને એમનો આભાર માનો કે તમે અત્યારે જે કંઈ પણ છો એ એના કારણે છો  આપ સહુને ખુબ ખુબ શુભકામનાઓ સાથે પૂર્વીના નમસ્કાર.-


Sunday, August 23, 2020

અદ્દભુત તાન્કા બહેતરીન વિવરણ

 



 ગણેશ ચતુર્થી મંગલ દિન. સર્જક આ તાન્કામાં શુભત્વનો મહિમા મંડિત કરતા આપણી વૈદિક ધર્મ પરંપરાના પ્રતિક લઈ આવે છે.અક્ષત

એટલે કે ચોખા અને કંકુ દ્વારા મંગલ કાર્યમાં તિલકવિધિ કરી પ્રારંભ કરાય છે..શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર સોપારી એ કોઈ પણ દેવના પ્રતિકરૂપ ગણી તેની પૂજાવીધી થાય છે.

પણ કવિતાને અહીંથી વળાંક મળે છે.અહીં કોઈ દેવી દેવતા નહીં પણ પોતાની જાતને સોપારી કરી છે. કંકુ ચોખા, તિલક, સોપારી આ સર્વ દ્વારા પોતાની જાતને નાયક/નાયિકા સ્થાપિત કરી એક વિશેષ પર લઈ જાય છે કે મારામાં સ્થાપ તું પ્રેમના શ્રી ગણેશ....

વૈદિક કર્મકાંડના પ્રતિકો, લઈ કોઈ શુભકાર્ય નો માહોલ રચી એકદમ ધાર્મિકપણું ન લઈ આવતા પ્રેમના શ્રીગણેશને સ્થાપ...! પ્રેમ એ પરમતત્વને પામવાની પ્રથમ શરત છે.આકારી યા નિરાકારી પરમ ચેતના, ઈશ્વરીય શક્તિ સ્વરૂપમાં એકરૂપ થવું હોય, જીવનમાંથી બહાર નીકળી જીવનમુકતેશ્વરના શરણમાં જવું હોય તો પ્રેમસાધના ઉત્તમ ગણી શકાય. અહીં તમને  શબરી, મીરા, વગેરેના નામસ્મરણ થાય.જાતને પ્રેમ કરો, આસપાસની સૃષ્ટિને પ્રેમ કરો, પ્રકૃતિને પ્રેમ કરો.પ્રેમમાં શુભત્વ ઉમેરો.અત્ર તત્ર સર્વત્ર શુભ હી શુભ...

પ્રેમ એટલે સ્થૂળ વાસનાઓથી ઉપર ઊઠીને જે પરમ શુભની નજીક જવાય તે સંદર્ભમાં જો જવું હોય તો પ્રસ્તુત તાન્કામાં જે શુભકાર્યના પ્રતિકો અને ગણેશજીની સ્થાપના સાથેનું સાયુજ્ય રચવામાં આવ્યું છે તે સર્જકતાની એક ઊંચાઈ ને સ્પર્શી જાય છે...


--- પરેશ મહેતા

Saturday, August 15, 2020

વર્લ્ડ ફોટોગ્રાફી ડે ની અનોખી ઉજવણી” - ફોટોગ્રાફી ડે નિમિતે આપ પણ આપના ફોટો મોકલીને સર્ટિફિકેટ મેળવો

 











“વર્લ્ડ ફોટોગ્રાફી ડે ની અનોખી ઉજવણી”
વિદ્યાર્થીઓ માટે સુંદર પ્લેટફોર્મ પ્રદાન કરતું #GUJCOST

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી(ગુજકોસ્ટ),ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી,ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા “વર્લ્ડ ફોટોગ્રાફી ડે“ ની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. 

“ઈમેજીસ ઓફ સાયન્સ” વિષયવસ્તુ પર આધારિત વિદ્યાર્થીઓ તેમના મોબાઇલમાં અથવા કેમેરા દ્વારા ઈમેજ કેપ્ચર કરી, નીચે દર્શાવેલ વોટસએપ નંબર ઉપર તારીખ 17 ઓગસ્ટ સાંજ સુધીમાં મોકલી આપવા અનુરોધ છે.

નિયમો
1. ઈમેજ ઓરીજનલ હોવી જરૂરી છે.
2. ઇમેજને ગ્રાફિક ના માધ્યમથી એડિટ કરી શકાશે નહીં.
3. ઈમેજની મહત્તમ સાઈઝ 1MB હોવી જોઈએ.
4. વોટસએપ  નંબર 99784 05044 ઉપર તારીખ 17 ઓગસ્ટ સાંજ સુધીમાં મોકલી આપવા અનુરોધ છે.
5. વિદ્યાર્થીએ તેનું નામ, શાળાનું નામ, ગામ, તાલુકો, જિલ્લો અને whatsapp નંબર દર્શાવવાનું રહેશે.
         સહભાગી થનાર તમામ વિદ્યાર્થીને gujcost દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે.

સર્જનાત્મક કલા કૌશલ્ય પ્રદાન કરવા અર્થે વિદ્યાર્થીઓને હાર્દિક નિમંત્રણ પાઠવતા હર્ષ અનુભવું છું.

આપનો,
નિલેશ કે.પાઠક,
ડાયરેક્ટર,
ડિસ્ટ્રિક્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર,
ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ અને બાલભવન,
અમરેલી.

“UNIQUE CELEBRATION OF WORLD PHOTOGRAPHY DAY”
#GUJCOST providing a scientific  platform for students.

A unique celebration of "World Photography Day" is being organized by the Gujarat Council on Science and Technology (Gujcost), Department of Science and Technology, Government of Gujarat.

Students based on the "Images of Science" theme are requested to capture the image in their mobile or through camera and send it to the following WhatsApp number by the evening of 17th August.

Rules
1. The image must be original.
2. The image cannot be edited through  
     graphic.
3. The maximum size of the image should
     be 1MB.
4.   Image must be sent  on What’saap No.
      99784 05044 by the evening of 17th
      August, 2020.
5. The student has to show his name,
     school name, village, taluka, district and
     whatsapp number.

           All participating students will be awarded a certificate by gujcost.

I am delighted to extend a heartfelt invitation to the students for the purpose of imparting creative art skills.

Yours sincerely
Nilesh K. Pathak,
Director,
District Community Science Center,
Children's Museum and Bal Bhavan,
 Amreli.





 

Wednesday, August 12, 2020

आर्टिस्ट फ्रांसिस्को गोयाकी पेटिंग से सुशांतकी मानसिक दशा बिगड़ने का दावा

    आर्टिस्ट फ्रांसिस्को गोयाकी पेटिंग से सुशांतकी मानसिक दशा बिगड़ने का दावा







      रिया ने जिस पेंटिंग को देखकर सुशांत सिंह राजपूत के मानसिक रूप से विचलित हो जाने का दावा किया है वो पेंटिंग शनिदेव की है जो अपने बच्चे को ही खा रहे हैं। यह पेंटिंग स्पेन के मशहूर आर्टिस्ट फ्रांसिस्को गोया ने बनाई थी।

क्या इस पेंटिंग को देखकर विचलित हो गए थे सुशांत सिंह राजपूत?

    

सुशांत सिंह की गर्लफ्रेंड रिया चक्रवर्ती ने पूछताछ में हैरतअंगेज दावा किया है

उन्होंने कहा कि सुशांत की हालत उनके यूरोप ट्रिप के बाद बिगड़ गई थी

रिया ने बताया कि इटली के एक होटल में सुशांत ने एक पेंटिंग देखी थी

रिया ने जिस पेंटिंग का जिक्र किया उसे स्पेन के मशहूर आर्टिस्ट फ्रांसिस्को गोया ने बनाई थी

वक़्त नहीं है? हाइलाइट्स पढ़ने के लिए डाउनलोड ऐप


सुशांत सिंह राजपूत केस में पूछताछ का सामना कर रही ऐक्ट्रेस रिया चक्रवर्ती ने दावा किया कि उन्होंने पहली बार सुशांत की बिगड़ी मानसिक हालात का अंदाजा तब लगा जब वो दोनों इटली में थे। रिया ने बताया कि पिछले साल फ्लोरेंस के एक होटल में सुशांत ने एक पेंटिंग देखी तो वह विचलित हो उठे थे। रिया ने कहा कि अक्टूबर 2019 में वो अपने बॉयफ्रेंड सुशांत के साथ इटली के ट्रिप पर गई थीं लेकिन पेटिंग देखने के बाद सुशांत के व्यवहार में आए बदलाव के कारण दौरा बीच में ही कैंसल कर लौटना पड़ा था। रिया के दावे में कितनी सचाई है, यह तो जांच एजेंसियों की जांच में पता चलेगा, फिलहाल उस पेंटिंग की पड़ताल करते हैं जिसके बार में रिया ने पूछताछ में खुलासा किया है...

बेटे को खाते शनिदेव की पेटिंग

रिया ने जिस पेंटिंग को देखकर सुशांत सिंह राजपूत के मानसिक रूप से विचलित हो जाने का दावा किया है वो पेंटिंग शनिदेव की है जो अपने बच्चे को ही खा रहे हैं। यह पेंटिंग स्पेन के मशहूर आर्टिस्ट फ्रांसिस्को गोया ने बनाई थी। गोया ने इस पेंटिंग को 'Saturn Devouring His Son' नाम दिया। 143 cm × 81 cm के आकार की यह पेंटिंग 1819 से 1823 के बीच तैयार की गई थी। गोया की ऑरिजिनल पेंटिंग को मैड्रिड के संग्रहालय Museo del Pardo में सहेजकर रखा हुआ है।


सुशांत ने बहन प्रियंका को लिखी थी यह चिट्ठी

यूनानी पौराणिक कथा पर आधारित है पेंटिंग

दरअसल, गोया ने यह पेंटिंग यूनान यानी ग्रीस की एक पौराणिक कथा पर आधारित है। प्रचलित ग्रीक माइथॉलजी टाइटन क्रोनस Titan Cronus की है जिसे रोमन में सैटर्न या शनिदेव कहा गया। उन्हें डर था कि किसी दिन उनका बेटा ही उन्हें राजगद्दी से हटा देगा। इसी डर के कारण शनिदेव बेटे के जन्म लेते हुए उसे खाने लगे।

अपने पुत्र को खाते शनिदेव। 

2010 में इंटरनेट पर मचाई थी धूम



दरअसल, यह पेंटिंग गोया की 14 मशहूर ब्लैक पेंटिंग्स में एक है। उन्होंने ये सारे पेंटिंग्स अपने घर की दीवारों पर लगाकर रखते थे। गोया ने मृत्यु से पहले अपना मकान अपने पोते के नाम कर दिया। बाद में मकान के मालिक बदलते गए। इस दौरान पेटिंग की ठीक तरह देखभाल नहीं हुई। आखिरकार 70 साल तक दीवार पर टंगे रहने के बाद इसे म्यूजियम में रख दिया गया। इस पेंटिंग ने 2010 में इंटरनेट पर धूम मचाई थी। तब इसके फोटोशॉप इमेज इंटरनेट पर छा गए थे। Saturn Devouring His Son के कई मेमे बने थे।


Tuesday, August 11, 2020

#राहत इंदौरी

 




अँधेरे चारों तरफ़ सायं-सायं करने लगे

चिराग़ हाथ उठाकर दुआएँ करने लगे 


तरक़्क़ी कर गए बीमारियों के सौदागर

ये सब मरीज़ हैं जो अब दवाएँ करने लगे


लहूलोहान पड़ा था ज़मीं पे इक सूरज

परिन्दे अपने परों से हवाएँ करने लगे 


ज़मीं पे आ गए आँखों से टूट कर आँसू

बुरी ख़बर है फ़रिश्ते ख़ताएँ करने लगे 


झुलस रहे हैं यहाँ छाँव बाँटने वाले

वो धूप है कि शजर इलतिजाएँ करने लगे 


अजीब रंग था मजलिस का, ख़ूब महफ़िल थी

सफ़ेद पोश उठे काएँ-काएँ करने लगे

-राहत इंदौरी


RIP Rahat Indori

 



किसने दस्तक दी ये दिल पर कौन है

आप तो अंदर है फिर बाहर कौन है..


जवान आँखो के जुगनू चमक रहे होगे

अब अपने गाँव  मे अमरूद पक रहे होगे..


भुला दे मुझको  मगर मेरी उंगलियो के निशा

तेरे बदन पे अभी तक चमक रहे होगे..



आग के पास कभी मोम  को लाकर देखू 

हो इजाज़त तो तुझे हाथ लगाकर  देखू ..


मन  का मंदिर बड़ा  वीरान नज़र आता है

सोचता  हू तेरी तस्वीर लगा कर देखू ...


मेरी सासो मे समाया भी बहुत लगता है

वही शक्श पराया भी बहुत लगता है...


उससे मिलने की तमन्ना भी बहुत है

लेकिन  आने जाने मे किराया  भी बहुत लगता है...



फ़ैसला जो कुछ भी हो मंजूर होना चाहिए 

जंग हो या इश्क़ हो भरपूर होना चाहिए

काट चुकी उमर सारी जिनकी पत्तर  तोड़ते

अब तो इन हाथो मे कोहिनूर होना चाहिए ..


हम अपनी के दुश्मन को जान कहते है

मोहब्बत इसी मोहब्बत को हिन्दुस्तान कहते है..


जो ये दीवार का सुराक़ है साज़िश का हिस्सा है

मगर हम इसे अपने घर का रोशन दान कहते है..


जो दुनिया को सुनाई दे उसे कहते है खामोशी

जो आँखो मे दिखाई दे उसे तूफान कहते है..



सिर्फ़ खंजर ही नही आँखो मे पानी चाहिए 

आय खुदा दुश्मन भी मुजको खानदानी चाहिए..


मैने अपनी खुश्क आखो से लहू छलका दिया

समुंदर कह रहा था मूज़े पानी चाहिए...



जो दौर का दुनिया का उसी दौर से बोलो

बहरो का इलाक़ा है ज़रा ज़ोर से बोलो...


दिल्ली  मे हम ही बोला करे अमन की बोली

यारों कभी तुम लोग भी लाहोर से बोलो...


सूरज ,सितारे,चाँद मेरे साथ मे रहे

जब तक तुम्हारे हाथ मेरे हाथ मे रहे


शाखो से टूट जाए वो पत्ते नही है हम

आँधी से कोई कह दे औकात मे रहे...

Thursday, August 6, 2020

ગ્રામ્યજીવનની લગ્ન પરંપરાની આછેરી ઝલક









* ગ્રામ્ય જીવનની લગ્ન પરંપરાની આછેરી ઝલક.

દીકરીનુ લગ્ન હોય,મોટાભાગનાં લગ્નોમાં હસ્તમેળાપના મૂર્હત રાત્રીનાં જ રહેતાં.
કુટુમ્બનાને ગામના છોકરાઓ એક મોટા જણને સાથે રાખી ગામમાં ઘરદીઠ ફરી દરેક ઘરેથી એક ખાટલોને એક ગાદલું ઉઘરાવે.. તેના પર લાલ રમચીથી ટૂકુ નામ લખી યાદીમાં ટપકાવે...આ બધી જ સામગ્રી ગામમાં જ્યાં જાનનો ઉતારો હોય ત્યાં પહોચાડી દેવામાં આવે..

જાન આવવાના થોડાક સમય પહેલાં હારબંધ ખાટલા ગાદલાં પાથરી દેવાય,વરરાજા માટે તે સમયની ખાસ સગવડે નવું નકોર ગાદલુ બિછાવાય.

ઉતારે ગામના પ્રજાપતિ પીવાના પાણીના નવાનકોર માટલામાં પીવાનુ પાણી ભરી દે.. જાન વિદાય ન થાય ત્યાં સુધી પાણી ખુટે નહીં તે જવાબદારી પ્રજાપતિઓની રહે.

ઘરનાને ગામના વડીલો જાનના ઉતારાની સગવડે એક નજર પણ કરી લેતા હોય,
હવે આવે જાન.. 

#જાન_આગમન

ગામને પાદરે ફટાકડા ફુટ્યાના અવાજે જાન આવ્યાની કન્યાના બાપના જાણ થાય.. કન્યાનો બાપ કુટુમ્બીઓ સાથે ગામને ગોદરે વેવાઈઓનેઆવકારવા જાય.. ત્યાં એક મોદ પથરાય..ગામના વાળંદો એક બે ઘડામાં સાકર વરિયાળીના પાણી જાનૈયાને પીરસે ..

#સામૈયું:-

 જાનનુ પ્રયાણ ઉતારા ભણી થાય ત્યાં ચા નાસ્તો પતે... કન્યા પક્ષ તરફથી વરરાજાનુ સામૈયુ કરવા આવી રહ્યાની નિશાનીરૂપે ઢોલ ઢબુકે,આ બાજુ વરને અણવર સચેત થઇ જાય, જાનડીઓ તો જાણે યુધ્ધનો મોરચો સંભાળી લે,સામૈયું આવી જાય,ફટાણાનો
ભારે મારો થાય,
કન્યા પક્ષ..
ક્યાંથી ક્યાંથી આવ્યો,ક્યાંથી ક્યાંથી આવ્યો,આ વિલાયતી વાદરો ક્યાથી આવ્યો..

વચ્ચે ગામના વડીલો માડવા પક્ષની સ્ત્રીઓને ગાતાં રોકવાની વ્યર્થ કોસીશ કરે..

ત્યાં તો બેવડા જોરથી ચાલુ કરે..

લાડા કેમ કાળો મેશ..
તારી માએ શુ ખાય જણ્યો'તો
એની માએ જાબુ ખાઈને જણ્યો એમ કાળો મેશ..

સામે પક્ષે જાનુડીઓ.ઓછી હોય તેની પિપુડી વાગે પણ સંભળાય નહીં..

ત્યાં કન્યા પક્ષની બાઈઓ જાણે.ડાહી થઇ 
ગઈ હોય તેમ જતાં જતાં બિચારી જાનડીઓ પર દોષનો ટોપલો ઓઢાડી ગાય કે...

અમે તો મોટા ઘરના છોરૂ રે હરિવન.ચાલ્યા
આ તો તમે બોલીને બોલાવ્યાં રે..
આમ સામૈયાની વિધી પુરી થાય...

#જમણવાર:-

ગામડામાં પહેલાં વીજળી ગમે ત્યારે ડૂલ થઈ જતી..જલ્દી જલ્દી જમણવાર આટોપવાની પ્રથમ ગણતરી રહેતી...માંડવે તૈયારી પતે ઢોલી વાજતે ગાજતે જાનને જમવા લઈ આવે..

સરસ મજાની પંગતો પડે..જાણે કોઈ મોટુ ઓપરેશન પાર પાડવાનુ હોય તેમ બધા જ પીરસણીયા સૈનિકો તૈયાર હોય...

થાળી,વાટકીઓ મુકાઈ જાય.......
પીરસવાના શ્રી ગણેશ મીઠાઈથી થાય......
મીઠાઈમા મોટેભાગે મોહનથાળ હોય...
મીઠાઈ પિરસનાર આખી ટીમમાં સિનીયર મોસ્ટ હોય......
મોને મોભો જોઈ મીઠાઈના ટુકડા મુકાય....
ત્યાર પછી એક એક વાની પિરસાતી જાય.. ઘરના વડીલો કઇ લાઇનમાં શુ જરૂર છે તેનુ ધ્યાન રાખી સુચનો કરે..........
છેલ્લે કન્યાપક્ષ તરફથી કન્યા ના વડીલો હાથમાં મીઠાઈની તાસકો લઈ વેવાઈને અને જાનના વડીલોને આગ્રહ કરી કરી સામસામે બટકા આપે.......
હેતે હેતે એક બીજાને મીઠડા પિરસે...
એ જમાનામાં હેતથી પિરસતી વેળાએ એકબીજાનાં એઠા જુઠાને જમ્સની બીક નહોતી.....એ ચોખવટ કરી દઉ...

વરરાજાને જમણની તો વાત જ કેમ ભુલાય??

વરના સાળાને સાળીઓએ ભેગા મળી ટિખળી પેતરા રચ્યા જ હોય.. 
તેને પિરસવાના ભજીયાંમાં રૂ મૂકી તળાવ્યા તે પીરસે......
પીવાના પાણીના ગ્લાસમાં મીઠુ ઓગાળીને પાણી આપે.. 
હોશિયારીની પરીક્ષાઓ થતી..
અણવર ગફલત ખાઈ જાય તો વરરાજાને ભોઠુ પણ પડવુ પડે..
ક્યાક અણવર બધા જ પેતરાથી બચાવી પણ લે..
આમ  જુજ વાનીના મેનુવાળોને ઝાઝા હરખને આનંદની છોળોવાળો વરો પુરો થાય.

#છાબની_વિધી:-

કન્યાને પરણેતર સમયના શણગાર માટે વરપક્ષ તરફથી કન્યાના શણગારનેદરદાગીના, સાડીઓ આપવામાં આવે તે વિધીને છાબ કહે.. 
કન્યાપક્ષ તરફથી ઢોલી મારફત  નિમંત્રણ અપાય..ઢોલી જાનના ઉતારેથી વાગતે ઢોલે વરપક્ષને માડવે તેડી લાવે..

ત્યાં ડાયરો થાય..કન્યાપક્ષ તરફથી ચાપાણી કરાવાય..
કન્યા માટેની છાબ અપાય..
હસ્તમેળાપના મૂર્હુતની જાણ કરાય...
પછી વાજતે ગાજતે વેવાઈઓને ઉતારે લઈ જવાય.. 
ઉતારે જઈ અણવરને હસ્તમિલાપના મૂર્હતની જાણ કરાય તે પ્રમાણે તૈયાર રહેવા સુચના અપાય.

#પોખણા:-

પરણેતરના સમયે ઢોલી જાનને વાગતે ઢોલે માડવે પધારવા આમંત્રણ આપવા આવે...
વાજતે ગાજતે સાજન માજન સહિત વરરાજા માડવે પરણવા જતા હોય......
રસ્તાની બેઉ બાજુની શેરીના નાકે........
રસ્તા પરની મેડીએથી વહૂવારૂને દીકરીઓ
વરને જોવા ડોકિયા કરતી હોય......
શેરીના નાકે આસોપાલવના તોરણ બાધ્યા હોય..... 
તોરણ નીચે વરના સાસુમા પોખણુ કરે.આ પ્રસંગે ગોરભા એકથાળીમા જુવારના ચાર સાઠાના ટૂકડા, ત્રાક, રવૈયો, મુશળ(સાબેલુ) ધૂસળ,(ધુસળી), ઈડીપીડી લઈ અને કન્યાની મા હાથમાં રામણદીવો લઈ શેરીના નાકે આવે.

કન્યાની મા ગોરભા પાસેથી એક એક વસ્તુ લઈને પોખે, આ ચીજોનુ એક મહત્વ પણ છે.તે અંગે ફરી ક્યારેક વાત કરીશુ..

આ દરમ્યાન વરની સાસુ નાક ખેચવાની કોસીશ પણ કરે......
ત્યાં પણ જમાઈની ચતુરાઈ ચકાસાતી હોય છે......
ક્યાક સાસુ જીતે તો ક્યાંક જમાઈ નાક પર રૂમાલ રાખી સાસુને સફળ ન પણ થવા દે...
આ પણ મજાનો પ્રસંગ છે........
પોખવાની બધી વિધી પતે પછી છેલ્લી વિધી સંપુટ ફોડવાની હોય,(સંપુટ એટલે માટીના એક કોડિયામાં દહીં, ધરો,ઘઉ, ચોખા કોઈ ડાગર નાખી તેના પર બીજુ કોડિયું ઉધુ પાડી તેની પર નાડાછડી વીટવામા આવે તે..) વરરાજા જમણો પગ આગળ વધારી આ સંપુટ ફોડીને લગ્નના માગવા પહોંચે.

#માયરાની_વિધી:

મોટાભાગનાં લગ્નો રાતનાં જ થતાં, લગ્નવિધી માટેની ચોરીમાં વરના સાસુ, સસરા અને ગોરભા પોતપોતાની જગ્યા લઈ લે. અમુક વિધી પછીના તબક્કે કન્યા પધરાવો સાવધાનની ગોરભાની હાકલ પડે કન્યાના મામા કન્યાનો હાથ પકડી (અમુક જ્ઞાતિમાં તેડીને)લગ્નમંડપે લઈ આવેે.............
ક્યાક તો દીકરીઓની સખીઓ નાચતી નાચતી કે ખાસ બગી કે વરઘોડા વડે ચોરીમાં પ્રવેશ કરાવે..........
અગાઉ કન્યાને માથે મોડિયોને છેક ડોક સુધી ઘુઘટો તાણેલો હોય..........
કન્યાનું મો જોવાનુ સદભાગ્ય ફોટોગ્રાફરને ય ન મળે.........
આ વિધીને મોયરાની વિધી કહેવાય છે.

ત્યાર પછી વિધીવત અગ્નિની અને બંને પક્ષના વડીલોની સાક્ષીએ મુરતીયો કન્યાનો હાથ ગ્રહણ કરતો.....
છેડા છેડી બંધાય,બેઉ વચ્ચે અંતરપટ(કપડું) રાખી મંગળાષ્ટક બોલાય.....
એ પછી મંગળાષ્ટકના,વડીલોને શુભેચ્છકોના આશીર્વાદ સાથે વરઘોડિયા
જીવનભર એકબીજા સાથે અનુકૂળ થઇ
રહેવાના લઈ હાજર બધાના આશીર્વાદ લેવા નીકળે કન્યાના માબાપથી શરૂ કરી..
બંને પક્ષના વડીલોના આશીર્વાદ મેળવવા
નીકળે વડીલો આશીર્વાદ સાથે નાની મોટી
રોકડ રકમ શુકનરૂપે નવદંપતિને અર્પણ કરે..
પરણેતર વેળા અણવરની હોશીયારીની ય પરીક્ષા કન્યાની સખીઓ એટલે વરની સાળીઓ તેના બુટ સંતાડીને કરતી હોય..
અણવર વરના બુટને એક થેલીમાં મુકી કોઇ જાનૈયાને સોપતો હોય તે ધ્યાને રાખી યુક્તિ પ્રયુક્તિ કરી તેની પાસેથી તે થેલી મેળવી લે ત્યારે હસાહસી મચી જાય છે.
સખીઓ પૈસા પણ.પડાવે..

#કરિયાવરને_શીખ

કન્યાને વળાવવાના મૂર્હતાનુસાર વિદાયના
સમય પહેલાં પોતાની દીકરીને પુરત અને અન્ય જે કંઇ આપવાનુ હોય તે લગ્નમંડપે 
વ્યવસ્થિત ગોઠવાઈ જતું.. એક પિત્તળની
ગોળીમા મીઠાઈ ભરી તેના પર લીલો રેજો
બાધે તેને મા માટલી કહેવાય...આ ઉપરાંત
બીજી વસ્તુઓ મુકાય..ત્યારબાદ બેઠકમાં બન્ને પક્ષના વડીલો,સ્ત્રીઐ,ગામના હિતેચ્છુઓ, વરરાજા પોતપોતાને સ્થાને ગોઠવાઈ જાય.. એક બાજુ કન્યા પક્ષને સામે બાજુ વરપક્ષ ગોઠવાઈ જતા વરપક્ષ અને વરરાજાને યથાશક્તિ ભેટસોગાદને રોકડ અપાય જેને શીખ કહેવાતી.

#કન્યા_વિદાય:-

આ બધું જ હરખે હરખે આટોપાતુ પણ
હવે આવે છે એક કરૂણ પ્રસંગ  જે કન્યા,તેના પરિવાર,તેની સખીઓ, ફળિયાના સ્નેહીજનોને ચિર સંભારણું બની જાય છે..આ પ્રસંગ કન્યાને પોતાને  આજથી પોતાનાં હતા તે પિયરિયા બની 
ગયાનો ભારે વસવસો,તેની મનોદશા.. એક તરફ પોતાનાને પારકાં કરવાનાં ને પારકાને પોતાના કરવાનાં.. એક જબરજસ્ત મન:સ્થિતી હશે..
પોતાના ઘરમાંથી કન્યાની વિદાયની શરૂઆત..પ્રથમ તેની જનેતાથી.. જણી, પોષી,પાળીને વણી ય ખરી..

પછી ઘરની,કુટુંબની મોટી સ્ત્રીઓ,કાકી,માસી, મોટીબા,ભાભી,બહેનો..આ એવું દ્રશ્ય.....

જેમાં એક બાજુ સ્નેહને કર્તવ્યની લડાઇ.. છેવટે જીતે કર્તવ્ય...

માંડ માંડ સ્ત્રીઓને બાથે પડી લાલચોળ
આંખોને અવિરત ટપકતાં આસું જાણે યુવાનીની સમજ પડતાં થી જ સંગ્રહી રાખ્યા હશે....
હવે ઘરના દરવાજે બહેન બા પહોચે ત્યાં
ઉભો હોય તેનો બાપ.......
દીકરી બાપનુ આ મિલન..
ભલભલાને હચમચાવી નાખે.......
એની માએ તો કદાચ કહ્યુ હશે બેટા સુખી થાજે....
અહીં બેઉમાથી કોઈ કાઈ બોલતુ નથી કે બોલી શકતું નથી તે નહી સમજાય,બેઉને
એકબીજાની ચિતા છે.......
આશ્વાસનના કે આશીષના બે બોલ હૃદયના દરવાજે જાણે થંભી ગયા.......
હવેઆવે ભાઈ.......
માબાપને સાચવજે.....
વિપતે મારી વારે આવજે.....
આ બોલ્યા વગરની ચુપકીદી ભારે વસમી હોય...
પછી કાકા,માસા,મામા,બાપાને ફળિયાના
જેણે ક્યાકને ક્યાક અવિરત સ્નેહને હૂંફ
આપી છે તેમની સાથે વિતાવેલી પળોને એક પણ શબ્દ બોલ્યા વગરની તેમનાથી પણ વિદાય........
આજે લાગે કે સ્ત્રી શક્તિનો અવતાર છે..

#પૈડુ_સીચવુ:
ઘર આગણાનો કન્યા વિદાયનો આ છેલ્લો પ્રસંગ...કન્યા પોતાના વાહનમાં બેસે..સાથે
તેનો પતિ હોય,નાનો ભાઈ કે ભત્રીજો કન્યાના ખોળે બેસે,વાહનનિ આગલા પૈડા નીચે નાળિયેર મુકી સીચાય પછી કન્યાનો નાનો ભાઈ કે ભત્રીજો તેના બનેવી કે ફૂઆ
પાસે કંઈક માગે..થોડી રકઝક થાય..વિદાયની કરૂણતાને હળવી કરવાનો નિષ્ફળ પ્રયાસ થાય..........
વાહનમાંથી ઉતરી કન્યા ભારે હેયે પોતાની જ પારકી થયેલી શેરીને સ્નેહીઓ તરફ નજર કરી લે છે......

વરઘોડિયા ગામના મોટાં મોટાં મંદિરે દર્શન કરવા જાય,ગૌરોને ગૌરીવ્રતમા જે મંદિરે પુજા કરી સુવર(સારા વર)ની માગણી કરી હતી....
 
તે જ મંદિરે પણ જાયને છેલ્લીવાર તેના દર્શન કરતાં કદાચ માગ્યો તો એવો જ વર હશે અને ન હોય તો તેવો કરજે તેમ માગતી હશે ને??
 
વરઘોડિયા બધાં જ મંદિરોનાં દર્શન પતાવી ગામને તોડે આવી જાય પછી ઉત્તર ગુજરાતનાં ગામડાઓના રિવાજ અનુસાર
ગામની અઢારે વર્ણ પોતાના ગામની દીકરી પોતાની ગણી ઘરદીઠ એક રૂપિયો કન્યાને મળીને તેના હાથમાં મુકે જેને ટકો કહેવાય..

આખા ય પ્રસંગનો વસમો પ્રસંગ...

કન્યા પોતાના વાહનમાં બેસતાં પહેલાંચોખાના દાણા હાથમાં લઈ ચારે દિશાના દર્શન કરી પોતાને સ્નેહને આનંદ આપ્યાનો જાણે સામુહિક આભાર વ્યક્ત કરતી હોય તેમ ચારે દિશાને ચોખાના દાણા અર્પે.....

એકવાર પોતાના સ્નેહી,ગામજનો,સખીઓ
ભાઈ બહેનો પર નજર કરી ભારે હૈયે વાહનમાં બેસે..તે પછી તેની માતા ખાસ તેના માટે પાણી ભરી લાવી હોય તેમાંથી સ્વહસ્તે પાણી પીવડાવે.....
કન્યા સ્વપાદરથી પરપાદર ભણી વિદાય લે ..તેઓ એકબીજાને દેખાય ત્યાં સુધી એકીટસે જોતા હોય.....

કન્યા વિદાય પછી વેવાઈ વેવાણને વિદાય..
કન્યાની મા તેની દીકરી તમને સોપી છે.... સંભાળજો....
ભૂલચુક માફ કરી દેજો..
મોટુ મન રાખજો......
એવી ભલામણ કરતાં કરતાં રડી જાય......
વેવાણ પણ હરખે હરખે કંઈ ચિંતા કરશો નહીં.....
તમારી દીકરી મારે ય દીકરી જેવી જ છે...
હવે આવે બે વેવાઈઓની વિદાયવાત...

સિંહની જેમ  સદા ગર્જતો બાપ જાણે
શિયાળ બની ગયો હોય તેમ અતિનમ્ર
ભાષામાં પોતાની દીકરીને ને સાચવવાની ભલામણ કરતાં ભારે લાચાર દીસે........
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

સોર્સ 👉🏽 વ્હોટસએપ્
~~~~~~~~~~~~~
આજની પેઢી ને વાંચવા લાયક છે

Wednesday, August 5, 2020

*મહિલા કર્મચારીઓ માટે ખૂબ ઉપયોગી પરીપત્ર* *COVID-19ના સંક્રમણને ધ્યાને લઇ સગર્ભા સ્ત્રીઓ તેમજ (સ્તનપાન કરાવતી) ધાત્રી માતાઓને કોરોના અંતર્ગત કામગીરીમાંથી બાકાત રાખવા બાબત - આરોગ્ય વિભાગ*






મહિલા કર્મચારીઓ માટે ખૂબ ઉપયોગી પરીપત્ર*

*COVID-19ના સંક્રમણને ધ્યાને લઇ સગર્ભા સ્ત્રીઓ તેમજ (સ્તનપાન કરાવતી) ધાત્રી માતાઓને કોરોના અંતર્ગત કામગીરીમાંથી બાકાત રાખવા બાબત - આરોગ્ય વિભાગ*


Tuesday, August 4, 2020

OMG પાકિસ્તાનના નવા નકશામાં આપણું જૂનાગઢ પણ સામેલ !!!!!!!







OMG પાકિસ્તાનના નવા નકશામાં આપણું જૂનાગઢ પણ સામેલ!!!!!!!!
જુઓ આ સંદર્ભે news અપડેટ  નીચે આપેલી લિન્ક પર ...





આઝાદી ના સાત દાયકા બાદ પાકિસ્તાન ને જૂનાગઢ સાંભર્યું! નવો નકશો જાહેર કરી જૂનાગઢ-માણાવદર ને પાકિસ્તાન માં બતાવ્યા! 

વરસાદના બાર પ્રકાર , બાર મેઘના નામ.


Tuesday, July 28, 2020

Riya tune kya kiya???#ssr

Big breaking of the day, or I must say 1st step towards Justice of Sushant.

FIR has been registered against Rhea Chakraborty

સુશાંત કેસમાં  નવો મોડ
પિતાએ કરી ગર્લફ્રેંડ રિયા ચક્રવર્તી સામે પટનામાં FIR.

આ બાબતે kngna ranaut  અને Arnb goswamiનું ટ્વીટ પણ જુઓ...





Saturday, July 25, 2020

ધોરણ.8 ગુજરાતી. ધૂળિયે મારગ, એકમકસોટી




ધોરણ.8 ગુજરાતી ધૂળિયે મારગ, એકમકસોટી


૧,ધૂળિયે મારગ કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો.
૨, ધૂળિયે મારગ કાવ્યના કવિ નું પૂરું નામ જણાવો.
૩,મકરંદ દવેનો જન્મ ક્યારે થયો હતો?
૪,મકરંદ દવેનું મૃત્યુ ક્યારે થયું?
૫, મુંબઈ રહ્યા બાદ તેઓએ  કયાં વસવાટ કર્યો હતો ?
૬,મકરંદ દવે કયા-કયા ક્ષેત્રે ગતિ કરતા રહ્યા?
૭, મકરંદ દવે કેવા મરમી કવિ હતા?
૮, મકરંદ દવેના  કાવ્યોમાં કેવો અનુભવ રજુ થાય છે?
૯, મકરંદ દવેને કયો સુવર્ણચંદ્રક ક્યારે મળ્યો હતો?
૧૦, આ કાવ્યમાં કયા-કયા બે માર્ગોની વાત છે?
૧૧,કવિ આ કાવ્યમાં મનુષ્ય જીવન માટે કઈ બાબત
     મહત્વની ગણાવે છે?

૧૨, ધૂળિયો મારગ એટલે શું ?

૧૩, ઉપરવાળી બેંક એટલે શું?

૧૪,એક મનુષ્યએ બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ?

૧૫,હાલના સમયમાં મનુષ્યએ કોની પાછળ દોટ મુકી છે?

૧૬, કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ?

૧૭, કવિ પાસે શું નથી એની એમના મન પર શી અસર
      પડે છે ?

૧૮,નીચે આપેલા શબ્દો ના અર્થ જણાવો.
     મારગ
    માલંમાલ
    દોઢીયા
    અડખે પડખે
     રાંક......

૧૯, કાવ્યને આધારે નીચેના વિરોધી શબ્દો લખો.

        ગરીબ ×
         ખોટ ×
         મારગ ×
         દુઃખ ×
         આભ ×
        ખુલ્લા ×
          બેઠું ×
         સાંકડી ×
        વ્હાલ ×
         ચાલ ×
   

૨૦,કાવ્યમાં આવતા એક સરખા પ્રાસવાળા શબ્દો લખો.

૨૧ પાના નંબર '25' પરના આ કાવ્યમાં આપવામાં
      આવેલા ચિત્રનું વર્ણન તમારા શબ્દોમાં કરો.

૨૨, નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો.

૨૩,કાવ્યમાં સાદગી અને સંતોષની વાત થઈ છે.
  આ બાબતો આપણા જીવનમાં કઈ રીતે જરૂરી બની શકે?

૨૪, કાવ્યનો આસ્વાદ તમારા શબ્દોમાં લખો.

ભવેન કચ્છી સાથે સંવાદ આજે રાત્રે 9 વાગ્યે

ભવેન કચ્છી સાથે સંવાદ આજે રાત્રે  9 વાગ્યે.



ઇન્સ્ટાગ્રામ લાઈવ લિન્ક 














Thursday, July 23, 2020

ગુજરાતમાં શાળાઓ ક્યારે શરૂ કરવી ? -

ગુજરાતમાં શાળાઓ ક્યારે શરૂ કરવી?
.
ગુરુવારે ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજયભરના નિષ્ણાત શિક્ષણશાસ્ત્રીઓ સાથે  વર્ચ્યુઅલ મિટિંગ કરી. ગુજરાત સરકાર નવેમ્બર મહિના સુધી શાળાઓ શરૂ કરવાના મુડમાં દેખાતી નથી. ડૉ. કિરીટભાઈ જોશી, ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાની, ડૉ. વિદ્યુતભાઈ જોશી, ગિજુભાઈ ભારડ તથા સંજયભાઇ રાવલ જેવાં વિદ્વાનો આ મિટિંગમાં ઉપસ્થિત હતા. આ તમામ વચ્ચે ૩૦% સિલેબસ ઘટાડવા માટે સંમતિ હોય તેવું દેખાઈ રહ્યું હતું. ડૉ. વિદ્યુતભાઈ જોશીએ દિવાળી અને નવરાત્રીના વેકેશનને ઘટાડીને બગડેલા દિવસોને ભરપાઈ કરી શકાય એવું એક સૂચન કર્યું હતું. સાથે સાથે તેમણે સૂચવ્યું હતું કે પ્રિ-પ્રાયમરી માટે આખી ટર્મ રદ કરવી જોઈએ તથા ધોરણ એકથી ચાર દિવાળી સુધી ચાલુ ન કરવા જોઈએ. ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાનીએ સૂચન કર્યું હતું કે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા જૂન ૨૦૨૧માં લેવામાં આવશે એવી આગોતરી ઘોષણા કરી દેવી જોઈએ જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં જે એક પ્રકારનો અનિશ્ચિતતાનો માહોલ છે તે દૂર થઈ જાય. ડૉ. કિરીટભાઈ જોશીએ ત્રણ શિફ્ટમાં શાળાઓ નવેમ્બર પછી શરૂ કરવી જોઈએ એવું સૂચન કર્યું. સંજયભાઇ રાવલે અંતરિયાળ ગામડાંઓ તથા ગરીબ વિસ્તારો કે જ્યાં મોબાઈલ ફોન તથા ઇન્ટરનેટના પ્રશ્નો છે ત્યાં મોબાઈલ વાન શિક્ષણ આપે એવી વ્યવસ્થા કરવા અંગે સૂચિત કર્યું હતું.
.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આવનારા પંદર દિવસની અંદર નિર્ણય લઈ લેવામાં આવશે એવું જાહેર કર્યું છે ત્યારે મારે તેમને કેટલાંક સૂચનો કરવા છે.
--------------
સૂચન એક 
પ્રિ-પ્રાયમરી
--------------
પ્રિ-પ્રાયમરી એટલે કે નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજી – આ ત્રણ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે ડિસેમ્બર સુધી શિક્ષણ બંધ રાખવામાં આવે. ત્યારબાદ બાકી રહેતી ટર્મમાં જેટલું અનિવાર્ય હોય તેટલું શિક્ષણ આપીને આ વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં મોકલી આપવામાં આવે.
---------------------
સૂચન બે 
ધોરણ એકથી ચાર
---------------------
પ્રાયમરીના પહેલાં ચાર વર્ષ એટલે કે ધોરણ એકથી ધોરણ ચારના વિદ્યાર્થીઓને ૩૧ ડિસેમ્બર સુધી શાળાએ ન બોલાવવામાં આવે. આ ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓને એકસાથે દસથી વધારે નહીં એ રીતે બેચ પ્રમાણે સમય નક્કી કરીને દર પંદર દિવસે શાળાએ બોલાવીને એસાઇનમેન્ટ આપવામાં આવે. પંદર દિવસ પૂરા થાય એટલે વાલી પોતાના સંતાન સાથે એસાઇનમેન્ટ લઈને શાળાએ જાય. શાળામાં શિક્ષક તેને ચેક કરીને લઈ લે અને તેમને બીજા પંદર દિવસનું એસાઇનમેન્ટ આપવામાં આવે. આમ થવાથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડશે નહીં અને શાળા અને શિક્ષક સાથે “રેપો” બની રહેશે. આ વિદ્યાર્થીઓને ૦૧ જાન્યુઆરી ૨૦૨૧થી શાળામાં નિયમિત રીતે બોલાવવાના શરૂ કરવામાં આવે તે પહેલાં પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવે અને ત્યારબાદ જ તેઓને નિયમિત રીતે શાળામાં બોલાવવામાં આવે. 
.
જો આ દરમિયાન કોઈ પ્રશ્ન હોય તો જે તે શિક્ષકે ફોન કરવાનો સમય નિશ્ચિત કરવાનો રહેશે અને તે સમય દરિમયાન વિદ્યાર્થીના પ્રશ્નોનું સમાધાન ફોન ઉપર જે તે વિષય શિક્ષક કરી આપશે.
----------------------
સૂચન ત્રણ
ધોરણ પાંચથી આઠ 
----------------------
પ્રાયમરીના પછીના ચાર વર્ષ એટલે કે ધોરણ પાંચથી ધોરણ આઠના વિદ્યાર્થીઓને ૩૦ નવેમ્બર સુધી શાળાએ ન બોલાવવામાં આવે. આ ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓને દર સોમવારે એકસાથે દસથી વધારે નહીં એ રીતે બેચ પ્રમાણે સમય નક્કી કરીને શાળાએ બોલાવીને એસાઇનમેન્ટ આપવામાં આવે. આગળના અઠવાડિયાનું એસાઇનમેન્ટ સબમિટ કરવા અને નવા અઠવાડિયાનું એસાઇનમેન્ટ લેવા માટે દર સોમવારે વાલી પોતાના સંતાન સાથે શાળાએ જાય. શાળામાં શિક્ષક તેને ચેક કરીને લઈ લે. શિક્ષકે સબમિટ થયેલા એસાઇનમેન્ટ બીજા અઠવાડિયે વાલી અને તેમનું સંતાન આવે તેને તપાસીને પરત આપવાનું રહેશે. આમ થવાથી વિદ્યાર્થીઓનો અભ્યાસ વધારે બગડશે નહીં અને વિદ્યાર્થીનો શાળા અને શિક્ષક સાથે “રેપો” બની રહેશે. આ વિદ્યાર્થીઓને ૦૧ જાન્યુઆરી ૨૦૨૧થી શાળામાં નિયમિત રીતે બોલાવવાના શરૂ કરવામાં આવે.
.
જો અઠવાડિયા દરમિયાન કોઈ પ્રશ્ન હોય તો જે તે શિક્ષકે ફોન કરવાનો સમય નિશ્ચિત કરવાનો રહેશે અને તે સમય દરિમયાન વિદ્યાર્થીના પ્રશ્નોનું સમાધાન ફોન ઉપર જે તે વિષય શિક્ષક કરી આપશે.
----------------------------
સૂચન ચાર 
ધોરણ નવ અને દસ
ધોરણ અગિયાર અને બાર   
----------------------------
માધ્યમિક એટલે કે ધોરણ નવ અને દસ તથા ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓને ઓકટોબર ૦૧, ૨૦૨૦થી નિયમિત શાળામાં અભ્યાસ શરૂ કરાવવામાં આવે. ૧૭ ઓકટોબરથી શરૂ થતી નવરાત્રીનું વેકેશન રદ કરવામાં આવે તથા દિવાળીમાં માત્ર ૧૧ નવેમ્બરથી ૧૮ નવેમ્બર એમ કુલ આઠ દિવસનું જ વેકેશન આપવામાં આવે. ઓકટોબર ૦૧, ૨૦૨૦થી અભ્યાસ શરૂ કરતી વખતે સોશિયલ ડિસ્ટર્ન્સિંગ જાળવવા માટે ૬૦ના ક્લાસને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે. પ્રથમ ચાર પિરિયડ ભાગ એકમાં લેવામાં આવે તે ચાર પિરિયડ ભાગ બેમાં છેલ્લા ચાર પિરિયડ લેવામાં આવે. તેવી જ રીતે ભાગ બેમાં પ્રથમ ચાર પિરિયડ લેવામાં આવે તે ચાર પિરિયડ ભાગ એકમાં છેલ્લા ચાર પિરિયડ તરીકે લેવામાં આવે. આવું કરવાથી શિક્ષણન સાતત્ય જળવાશે.
.
સપ્ટેમ્બર ૩૦ સુધી ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓને દર સોમવારે એકસાથે દસથી વધારે નહીં એ રીતે સમય નક્કી કરીને બેચ પ્રમાણે શાળાએ બોલાવીને એસાઇનમેન્ટ આપવામાં આવે. આગળના અઠવાડિયાનું એસાઇનમેન્ટ સબમિટ કરવાનું અને નવા અઠવાડિયાનું એસાઇનમેન્ટ લેવા માટે દર સોમવારે વિદ્યાર્થી શાળાએ જાય. શાળામાં જે તે વિષે શિક્ષક તેને ચેક કરીને લઈ લે. જે તે વિષય શિક્ષકે સબમિટ થયેલા એસાઇનમેન્ટ બીજા અઠવાડિયે વિદ્યાર્થી આવે તેને પરત આપવાનું રહેશે. એસાઇનમેન્ટ સબમિટ કરવા આવે તે સમયે ધોરણ નવ અને દસના વિદ્યાર્થિની જેમાં તકલીફ હોય કે મૂંઝવણ હોય તે જે તે વિષય શિક્ષકે સોલ્વ કરવામાં મદદરુપ બનવાનું રહેશે.
.
જો અઠવાડિયા દરમિયાન કોઈ પ્રશ્ન હોય તો જે તે શિક્ષકે ફોન કરવાનો સમય નિશ્ચિત કરવાનો રહેશે અને તે સમય દરિમયાન વિદ્યાર્થીના પ્રશ્નોનું સમાધાન ફોન ઉપર જે તે વિષય શિક્ષક કરી આપશે.
-------------
સૂચન પાંચ 
-------------
આ પદ્ધતિ દાખલ કરીને શાળાકીય અભ્યાસને અસરકારક બનાવી શકાશે. રાજ્યના અંતરિયાળ ગામડાંઓ હોય કે ગરીબ વિદ્યાર્થીઓ – તમામને એક સરખું શિક્ષણ પ્રાપ્ત થશે. આ પદ્ધતિ દાખલ કર્યા પછી ઓનલાઈન ક્લાસીસ સંપૂર્ણરીતે બંધ કરી દેવામાં આવે.
----------
સૂચન છ   
----------
ધોરણ દસ અને ધોરણ બારનો બોર્ડની પરીક્ષા માર્ચના પ્રથમ અઠવાડિયાને બદલે એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં લેવામાં આવે. જૂનમાં નહીં.  કારણ કે જૂનમાં પરીક્ષા લેવામાં આવશે તો પરિણામ ઓગસ્ટ પહેલાં નહીં આવે. એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં બોર્ડની પરીક્ષાઓ લઈને મેના છેલ્લા અઠવાડિયામાં અથવા તો મોડામાં મોડું જુનના પ્રથમ અઠવાડિયામાં પરિણામ આપી દેવું જોઈએ. આમ થવાથી આગળના શૈક્ષણિક વર્ષમાં વિલંબ નહીં થાય.
--------------
સૂચન સાત   
--------------
૧૭ ઓકટોબરથી શરૂ થતી નવરાત્રીનું વેકેશન રદ કરવામાં આવે તથા દિવાળીમાં માત્ર ૧૧ નવેમ્બરથી ૧૮ નવેમ્બર એમ કુલ આઠ દિવસનું જ વેકેશન આપવામાં આવે.
-------
અંતે
-------
મારી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ સચિવશ્રી, બોર્ડના અધ્યક્ષશ્રી, પ્રાથમિક અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના સચિવશ્રીઓ – તમામને આ રીતે વ્યવસ્થા ઊભી કરીને રાજ્યના શાળાના અભ્યાસને અસરકારક બનાવીને દેશમાં એક “આદર્શ મોડેલ” પ્રસ્તુત કરે એ જ અપેક્ષા.

Monday, July 20, 2020

ધોરણ.૮,ગુજરાતી, એક મુલાકાત,એકમકસોટી-પૂર્વી લુહાર.




ધોરણ.૮,ગુજરાતી, એક મુલાકાત,
એકમકસોટી-પૂર્વી લુહાર.

૧,અહેવાલ એટલે શું?

૨,શાળામાંથી કઈ જગ્યાએ મુલાકાતે જવાનું આયોજન કરવામાં આવ્યું?

૩, ગુજરાતની સ્થાપના વર્ષોમાં શરૂઆતમાં આપણા
     રાજ્યનું પાટનગર કયું હતું?

૪,ગુજરાત રાજ્યનું હાલનું પાટનગર કયું છે?

૫, ગાંધીનગર શહેર વસાવવાનો નિર્ણય ક્યારે
     કરવામાં આવ્યો?

૬, ગાંધીનગર કેટલા સેક્ટરમાં વિભાજીત છે?

૭, ગાંધીનગરમાં કેટલા આડા માર્ગો છે?

  અને આ આડા માર્ગોની વ્યવસ્થા કઈ રીતે છે?

૮, ગાંધીનગરમાં કેટલા ઉભા માર્ગો છે?

     અને તેની વ્યવસ્થા કઈ રીતે છે?

૯, દરેક માર્ગનું નામ કોની સાથે જોડવામાં આવ્યું છે?

૧૦, ગાંધીનગર એટલે ગ્રીનસીટી એવું શા માટે કહેવાય છે?

૧૧, ગાંધીનગર કોનું-કોનું ત્રિવેણી સંગમ છે ?

૧૨,ગુજરાત રાજ્યના વિધાનસભાગૃહ નામ શું છે?

૧૩, ગેટપાસ એટલે શું?

૧૪, મેટલડિટેક્ટર એટલે શું?

૧૫, એસ્કેલેટર એટલે શું?

૧૬, વિધાનસભા ગૃહની આગળ કોની મૂર્તિ સ્થાપિત 
     કરવામાં આવી છે?

૧૭, ધારાસભા એટલે શું?

૧૮, વિધાનસભાના ગૃહની મુલાકાત વખતે કઈ-કઈ
      બાબતોનું ધ્યાન રાખવું પડે છે?

૧૯, ધારાસભ્યો ક્યાં પ્રશ્નો રજુ કરતા હતા?

૨૦, વિધાનસભાગૃહની બેઠક વ્યવસ્થા અને સંચાલન
      કેવા હતા?

૨૧,વિધાનસભા ગૃહમાં કોના-કોના કાર્યાલય હોય છે?
       અને આ કાર્યાલયો કઈ રીતે વહેંચાયેલા હોય છે?

૨૨,રાજ્યના વહીવટ અને વ્યવસ્થા સુચારુ રીતે 
     કોણ સંભાળે છે?

 ૨૩,અલ્પાહાર એટલે શું?

૨૪,કેન્ટીન એટલે શું?

૨૫,પાઠમાં આવતા વિવિધ દ્વિરુક્ત શબ્દો લખો.

૨૬, પાઠમાં આવતા વિવિધ અંગ્રેજી શબ્દો લખો.

૨૭,આપણું પાટનગર ગાંધીનગર વિશે તમારા શબ્દોમાં
     પાઠના આધારે નિબંધ લખો.

૨૮, જો તમે તમારા વિસ્તારના ધારાસભ્ય હોય તો 
     તમારા વિસ્તારના વિકાસ માટે તમે કેવી પ્રવૃત્તિ કરો.

૨૯, હાલના આપણા વિસ્તારના ધારાસભ્ય કોણ છે?

૩૦,ગાંધીનગર તો હરિયાળું નગર છે પણ તમારા
     ગામને હરિયાળું બનાવવા તમે શું કરશો?

૩૧, અહી પાઠમાં મુલાકાત ગાંધીનગરની લેવામાં આવી છે.
       તમે ક્યારેય કોઈ ગામ કે ઐતિહાસિક સ્થળની
      મુલાકાત લીધી છે? તો એના વિશે દસ વાક્ય લખો.

૩૨,નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
     * રાજ્યના કાયદા ઘડનારી સભા-
     * રાજ્ય નું વડુમથક-

૩૩, આ પાઠમાંથી ઇક પ્રત્યય લાગ્યો હોય તેવા શબ્દો લખો.દાખલા તરીકે -સાંસ્કૃતિક.....

૩૪,નીચેના શબ્દો ને શબ્દકોશના ક્રમમાં ગોઠવો.
    અસ્તિત્વ 
     સ્વચ્છ 
      પ્રવૃત્તિ
       પ્રકૃતિ 
      વ્યવસ્થા 
       પ્રવેશ 
      ગેટપાસ
      મુલાકાત
      અલ્પાહાર.

૩૫,કોઇપણ રાજયનું વડુમથક ક્યાં નામે ઓળખાય છે?




ગુજરાતી ધોરણ.૮ તને ઓળખું છું, માં: 'એકમકસોટી'-પૂર્વી લુહાર.




ગુજરાતી ધોરણ.૮ તને ઓળખું છું, માં.
'એકમકસોટી'-પૂર્વી લુહાર.


 ૧,તને ઓળખું છું, મા કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો.

૨, તને ઓળખું છું, માં કાવ્યના કવિનું પૂરું નામ જણાવો.

૩, મનોહર ત્રિવેદીનો જન્મ ક્યારે થયો હતો.

૪, મનોહર ત્રિવેદી શેનો વ્યવસાય કરતા હતા?

૫, મનોહર ત્રિવેદીના કાવ્ય સંગ્રહો ના નામ આપો.

૬, ક્યા સાહિત્યમાં મનોહર ત્રિવેદનું નોંધપાત્ર પ્રદાન છે?

૭, મનોહર ત્રિવેદીના વાર્તાસંગ્રહોના નામ આપો.

૮, મનોહર ત્રિવેદીની એક નવલકથા છે એનું નામ આપો.

૯, કવિએ અહીં શેનો મહિમા ગાયો છે?

૧૦,બાળકના ક્ષેમકુશળ માટે માતાના મુખેથી વારંવાર કયો શબ્દ સરી પડે છે?

૧૧,પોતાના બાળક નું દુઃખ લઇ લેવા માતા શું કરે છે?

૧૨, કવિને માતાની લહેરખી ક્યારે અનુભવાય છે?

૧૩, માની મમતાને પામી ન શકનાર માટે કયો શબ્દ વાપરે છે?

૧૪, કવિ માતાની પરકમ્મા કેવી રીતે કરે છે?.

૧૫, એકલવાયુ વરસે છે ચોમાસુ એવું કવિ કયા સંદર્ભમાં કહે છે?
૧૬, કવિ માતાની મમતા કયા-કયા પ્રસંગે અનુભવે છે?

૧૭,તમને તમારા મમ્મી ગમે છે? તમારા મમ્મી વિશે દસ વાક્ય લખો.

૧૮,મોટા થઈને તમે તમારા મમ્મી-પપ્પા માટે શું કરશો?

૧૯, પરકમ્મા એટલે શું?પરકમા કોની- કોની કરવામાં
        આવે છે ?

૨૦,કાવ્યમાં આવતા દ્વિરુક્ત શબ્દો લખો.

૨૧,લહેરખી અને લૂ એટલે શું સમજાવો.

૨૨, ટેરવા એટલે શું?

૨૩, નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો.
     મારગ -
     અભાગી -
     સદા -
     સ્મરણ -
     આંખ -
     દુઃખ -

૨૪,નીચેના શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો.
   હડસેલે,
    તરણા,
    પળભર,
    તીરથ,
    અભાગી.

 ૨૫,માતૃ મહિમા એટલે કે મા વિશેનો નિબંધ તમારા શબ્દોમાં તમારા અનુભવના આધારે લખો.

૨૬, માં વિશેની કોઈ પણ પાંચ પંક્તિ,કહેવત,સુવિચાર 
        અથવા સૂત્ર લખો.

૨૭, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો.
     અભાગી ×
     સ્મરણ ×
     લૂં ×
     દૂર ×

૨૮, કાવ્યમાં આપેલા પાના.નંબર.૧૬ પરના ચિત્ર 
   દોરીને સરસ મજાના રંગ પૂરો.

મનોદર્પણ કાર્યક્રમ નિહાળવા અંગે શિક્ષકોમાટે ગાંધીનગરથી પરિપત્ર

મનોદર્પણ કાર્યક્રમ નિહાળવા અંગે શિક્ષકોમાટે  ગાંધીનગરથી પરિપત્ર.
સમય. સવારે 11 વાગ્યે તારીખ.21 7.2020




Saturday, July 18, 2020

Wednesday, July 15, 2020

ધોરણ.૮,ભાષાસજ્જતા, સ્વર અને વ્યંજન,પાના નમ્બર-૫,૬ એકમકસોટી


ધોરણ.૮,ભાષાસજ્જતા, સ્વર અને વ્યંજન,
             પાના નમ્બર-૫,૬ એકમકસોટી.






 ૧,સ્વર અને વ્યંજન તરીકે આપણે કોને
     ઓળખાવીએ છીએ ?

૨,મુખપથ એટલે શું ?

૩,નાસિકાપથ એટલે શું ?

૪,આપણને સ્વર ક્યારે સંભળાય છે ?સ્વરના
   ઉદાહરણરૂપ અક્ષરો જણાવો.

૫, વ્યંજન આપણને ક્યારેય સંભળાય છે ?
     વ્યંજનના ઉદાહરણ અક્ષરો જણાવો.

૬,વ્યંજન એટલે શું?

૭, અઘોષ ધ્વનિ એટલે શું?

૮, ઘોષ ધ્વનિ એટલે શું?

૯,કંઠય અક્ષરો જણાવો.

૧૦, તાલવ્ય અક્ષરો જણાવો.

૧૧, મૂર્ધન્ય અક્ષરો જણાવો.

૧૨,   દંત્ય અક્ષરો જણાવો.

૧૩,ઓષ્ઠય અક્ષરો જણાવો.

૧૪,તાલવ્ય મહાપ્રાણમાં કયા અક્ષરો આવશે?

૧૫,દંત્ય મહાપ્રાણમાં કયા અક્ષરોનો સમાવેશ થશે?

૧૬, ઓષ્ઠય અલ્પપ્રાણ અક્ષરો જણાવો.

૧૭,તાલવ્ય અલ્પપ્રાણ અક્ષરો જણાવો.

૧૮, કંઠ્ય મહાપ્રાણ અક્ષરો જણાવો.

૧૮,ઘોષ-અઘોષ કઈ સ્થિતિ દર્શાવે છે?

૧૯, અલ્પપ્રાણ અને મહાપ્રાણ શું દર્શાવે છે?

૨૦, અનુનાસિક ધ્વનિ એટલે શું?

૨૧,આપણે અક્ષર કોને કહીએ છીએ?

૨૨, પ્રાંત,તણખો,ચિનગારી,દેશ,મહાનલ,સમુદાય
       પરમાત્મા, સળગી, લોક,આજતક, શાળા-
       આ શબ્દોના સ્વર અને વ્યંજન છૂટા પાડો.
 
         ઉદાહરણ તરીકે
         *કાલ-
           ક્+આ+લ્+અ =કાલ
                                         - પૂર્વી લુહાર

#justiceforSushantforumનો નવો વળાંક.


Why was Sushants body placed
 on this side of the bed? 
The Fan is on the opposite side to the Knot
#justiceforSushantforum  નામથી ચાલતું ટ્વીટર હેન્ડલ જણાવે છે કે સુશાંતનો મૃતદેહ જે સાઈડ પરથી મળ્યો તેના વિરુદ્ધ દિશામાં પંખો છે.આ બાબત કેટલીક તસ્વીરમાં એ લોકોએ સ્પષ્ટ પણ કરી છે જોઈએ.



Tuesday, July 14, 2020

કબર પર એમને ગમતા ડોલરના ફૂલ મૂકુ છું."દાદીમાંની યાદ"-પૂર્વીલુહાર.






દાદી
મારા બાળપણની રસથાળીના ખાટા, મીઠા,તૂરા, કડવા એક પછી એક એમ ઘણા રસમાની  મધ મીઠી ખીર......

મારા દૂધિયા દાંત જ્યારે દાળિયા ચાવવાને અસક્ષમ હતા ત્યારે ખલમાં દાળિયાનો ચૂરો કરીને મારા મોંમાં મુકનાર મૂકસેવક ......

મારી મસ્તીખોરીથી થતા હલ્દીઘાટીના શેરી યુધ્ધમાં
ભૂલ મારી હોયકે ન હોય મારો સ્વયંસેવક ચોકીદાર.....

મને નિશાળના પગથિયાં ચડાવીને વિશ્વ બતાવનાર....
હું થાકી જાવ છું દુનિયાદારીથી ત્યારે મને દાદીનો ખોળો ખુબ યાદ આવે છે......

આજે હું  કઈ કરી ન શકું એમના માટે અફસોસ !!!!
માત્ર કબર પર એમને ગમતા ડોલરના ફૂલ મૂકુ છું.
                                    - પૂર્વી લુહાર.


Monday, July 13, 2020

ધોરણ.૮ ગુજરાતી જુમો ભિસ્તી,એકમકસોટી-પૂર્વી લુહાર

ધોરણ.૮ ગુજરાતી જુમો ભિસ્તી,એકમકસોટી-પૂર્વી લુહાર


        એકમકસોટી
૧,જુમો ભિસ્તી પાઠના લેખકનું નામ શું છે?

૨,ધૂમકેતુનું પૂરું નામ જણાવો.

૩,ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું ઉપનામ જણાવો.

૪, ધૂમકેતુ નો જન્મ ક્યાં થયો હતો?

૫, ધૂમકેતુના વાર્તાસંગ્રહનું નામ શું છે?

૬, જુમો ભિસ્તી વાર્તામાં કેવા પ્રકારની ભાવનાનું
    નિરૂપણ થયું છે?

૭, જુમો ભિસ્તી માં કયા ગામની વાત છે?

૮,આ વાર્તામાં આવતા ત્રણ મકાનોનું વર્ણન કરો.

૯,જુમાનું બાળપણ કેવી રીતે વીત્યું હતું?

૧૦,પાઠમાં આવતા  પાત્રોના નામ લખો.

૧૧,બાળપણથી આજ સુધી કોની મૈત્રી અખંડ રહી હતી?

૧૨,જુમો અને વેણુ સવારથી સાંજ સુધી શું કરતા હતા?

 ૧૩,મશક એટલે શું?

૧૪, એક દિવસ વહેલી સવારે જુમો અને વેણુ કેટલા
         વાગ્યે ફરવા નીકળ્યા હતા?

૧૫, વેણુનો પગ રેલના પાટામાં કઈ રીતે ફસાઈ ગયો હતો?

૧૬,જુમાના પેટમાં ધ્રાસકો શા માટે પડ્યો?

૧૭,જુમાએ વેણુને બચાવવા માટે કોની-કોની પાસે
      મદદ માગી?

૧૮,કોઇની  મદદ ન મળતા જુમાએ અંતે શું વિચાર્યું?

૧૯, વેણુએ જુમાની જાન કેવી રીતે બચાવી ?

૨૦,વેણુ પર થઈને ટ્રેન ચાલી ગઈ એ પછી કેવુ દ્રશ્ય સર્જાયું?

૨૧, જુમો વેણુની યાદ માં હજુ એ રોજ  શું કરે છે?

૨૨, પાઠના આધારે જુમાનુ પાત્રા લેખન કરો.

૨૩, પાઠના આધારે વેણુનુ પાત્રાલેખન કરો.

૨૪,જુમો અને વેણુની મિત્રતાનું આલેખન કરો.

૨૫, તમને આ વાર્તા ગમી ? તમારા શબ્દોમાં ટૂંકમાં
       આ વાર્તા લખો.

૨૬,જુમાની જગ્યાએ તમે હો તો તમે વેણુને
       બચાવવા શું કરત?

૨૭,શું  તમે ક્યારેય કોઈ પશુ કે પક્ષી પાળ્યું છે ?
    તેનું ધ્યાન તમે કઈ રીતે રાખો છો?

૨૮, શ્રીમંત,દુર્ગંધ, કર્કશ ,આનંદ,ગદબ,હાંડલી=
       આ શબ્દોના સમાનાર્થી શબ્દો લખો.

૨૯, પાઠમાં આવતા રૂઢિપ્રયોગોનો અર્થ આપી
       વાક્યપ્રયોગ કરો.

૩૦,નીચે આપેલા એક શબ્દ માટે  શબ્દ સમૂહ લખો.
     * ગદબ -
     * મશક -.
     *હાંડલી-
                              - પૂર્વી લુહાર

Sunday, July 12, 2020

શ્રી નગીનદાસ સંઘવી -શ્રદ્ધાંજલિ










ગુજરાતી લેખન-પત્રકારત્વમાં જેમનું અસાધારણ પ્રદાન છે એવા શતાયુ પ્રાધ્યાપક- લેખક - કટારલેખક અને વિચારક આદરણીય નગીનદાસબાપા સંઘવી એ અંતિમ શ્વાસ લીધા. 
સો વર્ષ વટાવી દીધા હતા છતાં તન-મનથી સંપૂર્ણ સ્વસ્થ... એકદમ ટટ્ટાર કાયા.
પ્રબુદ્ધ લેખક-વિચારક નગીનદાસના વિચારો અને લખાણ સાથે આપણે ભલે સહમત ન થઇએ પણ તેમના લેખમાં જે માહિતી હોય એ તથ્યાત્મક હોય. એમના લેખનમાં ગપ્પાબાજી નહોતી. એમના લેખો અને પુસ્તકોમાં ઇતિહાસ અને તત્વજ્ઞાનની સમજ અને રાજકીય ઘટનાઓનું પૃથક્કરણ કરવાની ગજબની શક્તિ હતી. 
મને પણ ક્યારેક કોઇ દેશની રાજકીય ઘટનાની બહુ સમજ ન પડે તો એ વિશેનો એમનો લેખ વાંચું તો આખો ઘટનાક્રમ સમજાઇ જાય. દરેક વિષય પર એમણે વિપુલ લખ્યું. નગીનદાસ સંઘવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે એક પુસ્તક લખતા હતા, એ વખતે એમની ઇચ્છાથી નગીનદાસ સંઘવી સાથે ચાર કલાક બેઠો હતો, તે સમયે એમની આટલી ઉંમરે પણ તંદુરસ્તીનું રહસ્ય જાણવા મળ્યું. નિયમિત યોગ, ખાનપાનમાં સંયમ, સાદું-સંયમી અને શિસ્તબદ્ધ જીવનથી એ સદી વટાવી દીધી. એમની યાદ શક્તિ તીવ્ર હતી. એમના લખાણો વાંચીને તો લાગે જ નહીં કે આ સો વર્ષ વટાવી ચૂકેલો વ્યક્તિ લખે છે. 
સો વર્ષેય ટટ્ટાર ચાલે, મંચ પર ઊભા રહીને કલાક બોલી નાખે.
એમના લેખનમાં તાજગી રહેતી. વૈચારિક રીતે અમારે ઘણા મુદ્દે મતભેદ હતા, પણ મનભેદ નહોતા. જ્યારે મળ્યા ત્યારે ખૂબ પ્રેમ અને આત્મીયતાથી મળ્યા. અનેક વિષયો પર ફોન પર ચર્ચા થયા કરતી. કોઇ વિષયમાં કંઇક ખૂટતું કે માહિતી જોઇએ તો તરત ફોન કરે. 
ગુજરાતી વિદ્વાન સાહિત્યકાર દિનકર જોશી એ સાચું જ લખ્યું છે કે એ મહાભારત વિશે એક લેખ લખી રહયા હતા એમાં કશોક સંદર્ભ ખુટતો હતો. નગીનદાસ સંઘવીએ સુરતથી દિનકર જોશીને ફોન કર્યો, નકકી થયા પ્રમાણે નગીનદાસ સંઘવી સુરતથી જોગેશ્વરી અને ત્યાંથી દિનકર જોશીની ઓફિસ કાંદિવલી  આવ્યા.  પેલું પુસ્તક દુર્ભાગ્યે ઓફિસમાં નહોતું. ઘરે ગ્રંથાલયમાં પડયું હતું. 100 વરસના નગીનબાપા મુંબઈના ટ્રાફિકમાં સાંજ ઢળી ગઈ હોવાછતાં એકલા -એકલા  હરવા-ફરવામાં થાકયા નહોતા. દિનકર જોશીના ઘરે ગયા. પુસ્તક શોધ્યું  અને એમણે જરૂરી નોંધો કરી. એક લેખ લખવા માટે એક વાકયનો પણ સંદર્ભ ખુટતો હોય ત્યાં આવી સતર્કતા હવે કયાં જોવા મળશે?
કોઇ   વ્યક્તિના વિચારો સાથે આપણે સહમત હોઇએ  કે ન હોઇએ છતાં પણ એમની પાસેથી ઘણું શીખવા મળે, જાણવા મળે એવું અનોખું અને વિદ્વતાથી ભરપૂર વ્યક્તિત્વ નગીનબાપાનું  હતું. એમની સાથે કાયમ બહુ આત્મીય સંબંધ રહ્યો. એમના મૃત્યુથી દુ:ખની લાગણી અનુભવું છું...
અંતિમ પ્રણામ...-કે.મકવાણા.સાભાર

Saturday, July 11, 2020

બીગ.બી કોરોનાની ઝપેટમાં



હાલ મળતી માહિતી મુજબ અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છેઝ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ બીગ,બી ની તબીયત ઠીક છે .પ્રાર્થના કરીએ રોગથી બચવાના ઉપાયો બતાવતા મહાનાયક જલ્દી સાજા થઇ જાય.

ધોરણ.૬,ગુજરાતી,રવિશંકર મહારાજ,એકમકસોટી





@ધોરણ.૬,ગુજરાતી,રવિશંકર મહારાજ,એકમકસોટી.

૧,રવિશંકર મહારાજ પાઠનો સાહિત્ય પ્રકાર શું છે?

૨, રવિશંકર મહારાજ પાઠના લેખક નું પૂરું નામ જણાવો.

૩, ધીરુભાઈ પરીખનો જન્મ ક્યારે થયો હતો?

૪, ધીરુભાઈ પરીખ કયા-કયા સામયિકોના તંત્રી છે?

૫, ધીરુભાઈ પરીખના નોંધપાત્ર પ્રકાશનોના નામ આપો.

૬, મહારાજ એટલે કોણ?

૭,રવિશંકર વ્યાસ એટલે કોણ?

૮,રવિશંકર મહારાજને લોકોએ મહારાજનું બિરુદ
     ક્યારે આપ્યું?

૯,રવિશંકર મહારાજને લોકો કયા-કયા ઉપનામથી
    જાણતા હતા.

૧૦, રવિશંકર મહારાજ નો જન્મ ક્યારે થયો હતો?

૧૧, રવિશંકર મહારાજના માતા અને પિતાનું નામ જણાવો.

૧૨, બાળપણમાં માતા-પિતા પાસેથી રવિશંકર મહારાજ
     કેવું શિક્ષણ પામ્યા હતા.

૧૩, મહાત્મા ગાંધીએ રવિશંકર મહારાજ વિશે શું કહેલું હતુ?

૧૪,રવિશંકર મહારાજ નો જીવન મંત્ર શું હતો?

૧૫,જોગણ ગામમાં કેવી પરિસ્થિતિ હતી?

૧૬,જોગણ ગામની પરિસ્થિતિ દૂર કરવા માટે
     રવિશંકર મહારાજે શું કર્યું?

૧૭,કણભા ગામમાં કઈ ઘટના બની હતી?

૧૮, બનેજડા ગામનો પ્રસંગ જણાવો?

૧૯,રવિશંકર મહારાજે બહારવટિયાઓને
      સુધારવાની કઈ પ્રવૃત્તિ કરી?

૨૦, કોણે રવિશંકર મહારાજને માણસાઈના દીવા કહ્યા હતા?

૨૧, સુંદરણા ગામે કઈ ઘટના બની હતી?

૨૨, લોકો રવિશંકર મહારાજને શા માટે ભગવાનના
       અવતાર માનતા હતા?

૨૩,ઇ.સ. ૧૯૪૧માં કઇ ઘટના બની હતી?

૨૪, કઈ-કઇ કુદરતી આપત્તિઓમાં રવિશંકર મહારાજે
     લોકોની મદદ કરી હતી?

૨૫,ઇ.સ. ૧૯૪૧ અને ઇ.સ.૧૯૪૬માં અમદાવાદમાં
     કઈ મુસીબત આવી પડી હતી?

૨૬, મૂકસેવક એટલે શું?

૨૭, રવિશંકર મહારાજનું અવસાન કેટલા વર્ષે થયુ?

૨૮,રવિશંકર મહારાજ વિશે નિબંધ લખો.

૨૯,પાઠમાં આવતા રૂઢીપ્રયોગોનો અર્થ આપી વાક્યપ્રયોગ કરો.

30,કોતર, ગરનાળુ, છાતીસમાણું અને શાર-કામનો
     અર્થ આપો.

#આભાર

Goat bank, બકરી બેન્ક વિશે જાણો છો?? અહીં જાણો.

  https://www.instagram.com/reel/C4ZiEoJhXt3/?igsh=MzRlODBiNWFlZA== બકરી બેન્ક શુ છે??? જાણો છો એના વિશે...... તો અહી જાણો. /reel/C4ZiEoJhXt...