Thursday, August 8, 2024

ઓગસ્ટ 2024 રજા

 4.8.2024 રવિવાર

11.8.2024 રવિવાર

15.8.2024 સ્વાતંત્ર દિન

18.8.2024 રવિવાર

19.8.2024 રક્ષાબંધન

25.8.2024 રવિવાર

26.8.2024 જન્માષ્ટમી

27.8.2024 નન્દોત્સવ

Saturday, August 3, 2024

વડનગર ૧,રાજુલા એકમકસોટી 2024 ટાઇમટેબલ

 વડનગર ૧,રાજુલા એકમકસોટી 2024 ટાઇમટેબલ 

ધોરણ.6 to 8



ધોરણ 3 to 5


આભાર........

Wednesday, June 19, 2024

પર્યાવરણની આવશ્યકતા

પહેલાનાં સમયમાં વૃક્ષોને પવિત્ર ગણવામાં આવતાં અને તેની પૂજા પણ થતી. વૃક્ષોનો આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગ રહ્યો છે. વૃક્ષો આપણને પ્રાણવાયુ આપે છે, વરસાદ લાવે છે. રણ વિસ્તારને આગળ વધતો અટકાવે છે. ફળ-ફૂલ, ગુંદર, લાખ અને વિવિધ ઔષધિઓ આપે છે. આજે આપણે ઉદ્યોગીકરણ અને શહેરીકરણનાં મોહમાં પ્રકૃત્તિનાં મહત્ત્વનાં તત્વ અને આપણા પ્રથમ મિત્ર એવાં વૃક્ષોનું નિકંદન કાઢી નાંખ્યું છે. સુંદર રાચ-રચીલાં ફર્નિચરનાં મોહમાં જીવંત એવા વૃક્ષોને કાપી નાખતાં ખચકાતાં નથી. લોકો પ્લાસ્ટિકનો આડેધડ ઉપયોગ કરીને તેનો કચરો ગમે ત્યાં ફેંકી દે છે. તેનું પરિણામ એ આવે છે કે, આ કચરો જમીનમાં દટાઈ જાય છે અને તેટલી જમીન મૃત બની જાય છે. ત્યાં કોઈ પણ બીજ અંકુરિત થઈ શકતું નથી અને છોડ કે વૃક્ષ તરીકે વિકસી શકતું નથી.

કાયદા દ્વારા પ્લાસ્ટિકની બેગના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્લાસ્ટિકનો ઉપયોગ પર્યાવરણને ખુબ જ નુકશાન પહોંચાડે છે. વૃક્ષોની અછતને લઈને આજે વાતાવરણમાં તાપમાનનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહેલું જણાય છે. વૃક્ષો પશુ-પંખીઓને રહેઠાણ અને રક્ષણ પૂરૂં પાડે છે. આજે પશુ-પંખીઓની સંખ્યા બહુ જ ઘટી ગયેલી જોવા મળે છે. આજે આપણને પંખીઓનો કલરવ કે કોયલનું કૂંજન સાંભળવું દુર્લભ બની ગયું છે. આજે આપણે આપણા મૂક મિત્ર એવા પશુ- પંખીઓના રક્ષણ માટે અને તેના અસ્તિત્વ માટે જોઈએ તેટલાં જાગૃત બની શકાયા નથી. સમુદ્રો, નદીઓ, ઝરણાં અને તળાવો આપણાં જીવનમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

પ્રાચીન માનવ સંસ્કૃતિઓનો વિકાસ આ નદીઓ અને જળાશયોને લીદે જ થયેલો હતો. પાણી વિના જીવન સંભવી શકે નહીં. પાણી આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ ધરાવે છે. ખેતી માટે અને અન્ય જીવન જરૂરી કામોમાં પાણી ખૂબ જ ઉપયોગી છે. પાણી વિના આપણને અનાજ અને લીલાં શાકભાજી પ્રાપ્ત બની શકતાં નથી. ઉદ્યોગોમા પેદા થતા ગંદા કેમિકલયુક્ત કચરાનો નિકાલ નદીઓમાં કરવામાં આવે છે. પરિણામે નદી કે જેને માતા તરીકેનું સ્થાન આપવામાં આવેલું છે તે પણ અપવિત્ર બની ગઈ છે. આવાં કેમિકલયુક્ત પાણીમાં ઉત્પાદિત શાકભાજી અને અનાજ આપણને મળે છે જે આપણા આરોગ્યને નુકસાનકર્તા છે.

પ્રાણીઓ પણ પર્યાવરણનો જ એક ભાગ છે અને તે પણ આપણાં જીવનમાં ખૂબ જરૂરી છે. પાલતું પ્રાણીઓ જેવાં કે, ગાય, ભેંસ, બકરી વગેરે આપણને દૂધ આપે છે. બળદ, હાથી આપણને ભારે વજન લઈ જવા માટે ઉપયોગી બને છે. ઘોડા, ઉંટનો મુસાફરી માટે ઉપયોગ કરવામાં આવે છે. પાલતું પ્રાણીઓનાં મળ-મૂત્રનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પાલતું પ્રાણીઓનાં મળ-મૂત્રનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ગેટાંના ઉનનો ઉપયોગ ગરમ કપડાં બનાવવામાં થાય છે.

આ ઉપરાંત, વિવિધ ઔષધિઓ, સૌંદર્ય પ્રસાધનો, ખાદ્ય પદાર્થો બનાવવા માટે પણ પ્રાણીઓની ચરબીનો વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે છે. આમ, આપણી પાયાની જરૂરિયાતો હવા, પાણી અને ખોરાક એ ત્રણેયની પૂર્તિ પર્યાવરણ જ કરે છે. પર્યાવરણની અગત્યતા કે આવશ્યકતા તો ઉપરોક્ત ચર્ચા કરેલ છે તેના કરતાં અનેકગણી છે. તે માનવીના સમાજ જીવનાં અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે.

માણસ પર્યાવરણના આ બધા જ તત્વો-વસ્તુઓનો આજે અમર્યાદિત રીતે ઉપયોગ થઈ રહ્યો છે. પણ આજના સમયમાં તેના અમર્યાદિત ઉપયોગના લીધે પર્યાવરણના આ ચક્રમાં વિક્ષેપ પેદા થતા ગ્લોબલ વોર્મિંગ, ધરતીકંપ, સુનામી, ઓઝોન ઈફેક્ટ જેવી સમસ્યા પેદા થઈ છે. આજે આપણે આપણી આવશ્યકતાની મર્યાદિત પૂર્તિના બદલે અમર્યાદિત પૂર્તિ માટે જળ, જમીન, પેટ્રોલિયમ પદાર્થો- ખનીજ તેલ વગેરેનો વપરાશ જરૂર કરતાં વધારે કરતાં થયા છીએ. તેથી પર્યાવરણના તત્વો વચ્ચે સમતુલા ખોળવાઈ છે તેને લઈને આજે અનિયમિત ઓછો-વધુ વરસાદ, અનિયમિત તાપમાન, અનિયમિત વધુ- ઓછી ઠંડી, ધરતીકંપ, સુનામી, રણોનું વિસ્તરણ વગેરે જેવી કુદરતી આપત્તિઓ આવ્યા જ કરે છે. વળી, વાતાવરણમાંના ઓઝોનના સ્તરમાં ગાબડું પડી ગયું છે. આ બધું જ આપણા માટે ચિંતાનો વિષય છે. જે પર્યાવરણની અસમુતલાને પરિણામે જ થઈ રહ્યું છે.

 

વધુમાં જણાવીએ તો, પર્યાવરણની સમતુલા જોખમાવાથી માનવ-સમાજ જીવન પર પણ જોખમ તોળાઈ રહ્યું છે ત્યારે જો આપણે સમયસર નહિ ચેતી જઈએ અને પર્યાવરણની રક્ષા માટે જાગૃત નહિ થઈએ તો, “જે પોષતું તે મારતું એવો દીસે ક્રમ કુદરતી” એ ઉક્તિ મુજબ ઘણી કુદરતી આફતોનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.

કારણ કે, પર્યાવરણ એ કુદરતની ભેટ ચે અને કુદરત જ્યારે રૂઠે ત્યારે માનવ તેની સામે લાચાર છે તેથી જો આપણે પર્યાવરણનું જતન નહિ કરીએ તો તે માત્ર આપણા માટે જ નહિ પરંતુ આપણી આવનારી ભાવિ પેઢી માટે પણ ઘણું ખતરનાક નીવડી શકે છે. તેથી ટૂંકમાં જણાવીએ તો, પર્યાવરણ એ માનવ સમાજ તથા સમગ્ર જીવસૃષ્ટિ માટે ખૂબ જ ઉપયોગી છે. આમ, માનવ સમાજ અને પર્યાવરણની આવશ્યકતા વિશે પ્રસ્તુત લેખમાં કરેલ સમગ્ર ચર્ચાના અંતે એટલું જણાવી શકાય કે, સમગ્ર જીવસૃષ્ટિ માટે પર્યાવરણનું માતા જેટલું જ મહત્ત્વ છે. તેનો વિવેક પૂર્ણ ઉપયોગ કરીએ અને આપણે કુદરતના નિયમોને આધીન રહીએ તો પર્યાવરણમાં સમતુલા પેદા થશે અને તે આવનાર ભવિષશ્યની પેઢી માટે શાણપણનું ભાથું છે

Thursday, May 16, 2024

#બેઠા છો ને?

 






#બેઠા છો ને?

મથીને ટકોરા મારીને મેળવી છે જિંદગી 

હતું શું ને તમે શુંયે ધારી બેઠા છો,

ટેકનોના ઝાળા માં અટવાય છે પેઢી 

પ્રકૃતિને તમે કચકડે મઢી બેઠા છો, 

રોંઢે તાળી પડતી ને ભેળાં થતા ઝૂમખાં 

હાલ ટેરવે ભૂતાવળની જમાત લઈ બેઠા છો, 

શીળી શાતા રોટલો માખણ ને છાશમાં

પીઝા બર્ગર હોટડેણ લઈને બેઠા છો,

ધુળમાં માથું મારી હું છિકોટા નાખું છું

તમે તો ઑકિસજન ગીરવે લઈને બેઠા છો,

ને ક્યાં હવે કોઈને કઈ કહેવું છે પૂર્વી

અહિં કોઇ કોઇને કઈ ના કહે એ રાહે બેઠા છો.

                                   - પૂર્વી લુહાર

Friday, May 10, 2024

ફ્રી-શિપ કાર્ડ વિશે અગત્ય ની માહિતી.*





 *ગુજરાતના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓ માટે ફ્રી શિપ કાર્ડ યોજના ખુબ જ અગત્ય અને મહત્વપૂર્ણ માહિતી અને કઈ રીતે અને ક્યાંથી ફ્રી શિપ કાર્ડ કઢાવી શકાય તેની માહિતી આપેલ છે..*




*ફ્રી-શિપ કાર્ડ વિશે અગત્ય ની માહિતી.* 👍😊



ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 21/08/2013ના ઠરાવ થી અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ માં ફ્રી શિપ કાર્ડ આપવાની યોજના અમલ હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા કચેરીઓ પાસે મેળવેલ ફ્રી શિપ કાર્ડ સ્વનિર્ભર સંસ્થાઓ માં રજુ થયેલી સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ ફી લીધા શિવાય પ્રવેશ આપવામાં આવતો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓ જયારે શિષ્યવૃત્તિ નું ફોર્મ ભરે ત્યારે સંબધિત સંસ્થાને સરકાર દ્વારા શિક્ષણ ફી ચુકવવામાં આવતી હતી. જયારે નિભાવ ખર્ચ તથા અન્ય ફી વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવતી હતી.



આપ શ્રી જાણો છો કે ગુજરાતના દલિત અને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ અત્યંત દારુણ, ગરીબ પરિવારો માંથી આવતા હોય છે. આવા વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક ( ધોરણ 12 પછી નો અભ્યાસ ) કોર્સ માટે સરકારી સંસ્થાઓ માં ખુબજ અલ્પ પ્રમાણ માં બેઠકો ઉપલબ્ધ હોય છે અને આથી શિક્ષણ પ્રાપ્ત કરવા ખાનગી કોલેજ માં પ્રવેશ મેળવ્યા વગર શિક્ષણ પ્રાપ્ત કરી શકે તેમ નથી. પરંતુ ખાનગી કોલેજ / યુનિવર્સિટીઓ માં ખુબ જ ઊંચી ફી હોવાના કારણે તેઓ આવી સંસ્થાઓ માં પ્રવેશ મેળવી શકતા ન હતા. પરંતુ સરકારશ્રી ની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજનાના કારણે આવા ગરીબ અને કંચડાયેલા વર્ગના વિદ્યાર્થીઓ માટે ખાનગી કોલેજ/યુનિવર્સિટીઓ માં પ્રવેશ મેળવવાનું શકય બન્યું હતું.



*ભારત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ( S C. ) અને અનુસૂચિત જનજાતિ( ST ) વર્ગના વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓ માટે ભારત સરકાર પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના અમલમાં મુકવામાં આવેલી છે. જેમાં વિદ્યાર્થીઓ ફ્રી શીપ કાર્ડ નો ઉપયોગ કરી ને કોઈ પણ પ્રાઇવેટ કોલેજ માં મફત માં શિક્ષણ મેળવી શકે છે.*


તો ચાલો આ લેખ માં જાણીએ ફ્રી શીપ કાર્ડ શું છે ?, ફ્રી શીપ કાર્ડ કઢાવવા માટેના જરૂરી દસ્તાવેજો શું છે ? ફ્રી શીપ કાર્ડ ફોર્મ ક્યાંથી મેળવવું ? ફ્રી શીપ કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી ?


*ફ્રી - શીપ કાર્ડ શું છે ?*

 (Freeship Card Gujarat)


આ યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાં ( પ્રાઇવેટ કોલેજ કે યુનિવર્સિટીમાં ) પ્રવેશ મેળવવામાંગતા હોય અને જેમને પ્રવેશ મેળવેલ છે તેવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના વિદ્યાર્થીઓ “ફ્રી શીપ કાર્ડ” દ્વારા જે તે સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાં ફી ભર્યા વગર એડમિશન મેળવી શકે છે . આમ તેમા વિદ્યાર્થીઓએ પોતાના જિલ્લાના સમાજ કલ્યાણ

ખાતામાં જઈ ને  ફ્રી શીપ કાર્ડ માટે અરજી કરવાની રહેશે . 


ત્યારબાદ તે ફ્રી શીપ કાર્ડ મેળવી જે તે પ્રાઇવેટ કોલેજ કે યુનિવર્સિટીમાં એડમીશન મેળવી શકે છે . આમ તે વિદ્યાર્થીઓ ફ્રી શીપ કાર્ડ (Freeship Card) રજૂ કરી પોતાની જેટલી ફી ભરવાની હોઈ તે માફ કરાવી શકે છે.


*ફ્રી - શિપ કાર્ડ યોજના.*


પ્રાઇવેટ કોલેજો માં ફી વધારે હોવાથી આર્થિક રીતે ગરીબ વર્ગ ના વિદ્યાર્થીઓ એડમિશન મેળવી શકતા નથી. કારણકે આર્થિક પરિસ્થિથી એટલી સારી હોતી નથી કે તે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો માં એટલી વધારે ફી ભરી અભ્યાસ કરાવી શકે નહિ. પણ હવે તે સરકાર દ્વારા શક્ય બનાવામાં આવ્યું છે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના " અંતર્ગત " Freeship card ” ની યોજના અમલમાં મુકવામાં આવી છે. 


તેમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજો માં ભણવા માટે અનુસૂચિત જતી અને જનજાતિ ના બાળકો આસાની થી ફી ભર્યા વગર જ ફ્રી શિપ કાર્ડ યોજના નો લાભ લઇ ને એડમિશન મેળવી શકે છે અને સારી રીતે અભ્યાસ કરી શકે છે. ભારત સરકાર ની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના મુજબ ના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ફ્રી શીપ કાર્ડ નો લાભ લઇ શકે છે.ફ્રી શીપ કાર્ડ મેળવવા માટે વિદ્યાર્થીના પરીવારની વાર્ષિક આવક મર્યાદા રૂ.૨.૫૦ લાખ સુધીની હોવી જરૂરી છે.


*ફ્રી - શિપ કાર્ડ  માટે જરૂરી ડોક્યુમેન્ટ. આ પ્રમાણે.*



*નીચે પ્રમાણે જે ડોક્યુમેન્ટ આપેલ છે તે વિદ્યાર્થીએ જે જિલ્લા માં રહેતા હોય અને જે જિલ્લા ડોક્યુમેન્ટ હોય ત્યાંથી ફ્રી શિપ કાર્ડ નીકળશે..* 👍



*1.. ફ્રી શિપ કાર્ડ માટે એડમિશન લેટર ખુબ જ જરૂરિ છે તેની સાથે નીચે આપેલ વિદ્યાર્થીના ડોક્યુમેન્ટ આપવા જિલ્લા સમાજ કલ્યાણ માં..* 👍🙏


( 1 ) રેશનકાર્ડ / ચુંટણી કાર્ડ / આધાર કાર્ડ ની પ્રમાણિત નકલ 


( 2 ) બેંક ખાતાનંબર માટે પાસબુકના પ્રથમ પાનાની પ્રમાણિત નકલ 


( ૩ ) સ્કુલ લિવિંગ સર્ટીફિકેટની પ્રમાણિત નકલ } 


( 4 ) જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ 


( 5 ) એસ.એસ.સી. પાસ થયાની તથા પછીના શૈક્ષણિક વર્ષની માર્કશીટની પ્રપાણિત નકલ 


( 6 ) ગતવર્ષની વાર્ષિક આવકનો સક્ષમ અધિકારીશ્રીના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ 


( 7 ) વિદ્યાર્થીના માતા પિતા નોકરી કરતાં હોય તો કચેરી / સંસ્થાનો ગત વર્ષના વાર્ષિક આવકના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ 


( 8 ) SSC અને તે પછીના અભ્યાસક્રમોમાં તૂટ પડેલ હોય તો તે અંગેના કારણ અને શું પ્રવૃતિ કરેલી છે તે અંગેનો તથા તૂટનો સમય ૧ વર્ષ કરતાં વધુ હોય તો તે સમય દરમિયાન કોઇ પણ પ્રકારની અભ્યાસક્રમાં કરી શિષ્યવૃત્તિ મેળવેલ નથી તે કોઇપણ પ્રકારની નોકરી કરી નથી તે અંગેનું એકસર નામુ રજુ કરવાનું રહેશે . આમ સ્વનિર્ભર સંસ્થાઓમાં જેની ફી બહુ જ વધુ હોવાના કારણે SC - ST વર્ગના જે વિદ્યાર્થીઓ ફી ભરવા માટે સક્ષમ હોતા નથી અને એડમિશન મેળવી શકતા નથી પણ Freeship card રજુ કરી વિદ્યાર્થીઓ પોતાની ભરવા પાત્ર શિક્ષણ ફી માફ કરાવી એડમિશન મેળવી શકે છે

2026 sem. 2 time table

 2026 sem. 2 time table