Thursday, February 28, 2019

આજનો ઈતિહાસ


     
*_વિકલાંગતા પર વિજય :રવીન્દ્ર જૈન (1944-2015)_*
        🌹🌹🌹🌹
આજે ગીતકાર-સંગીતકાર રવીન્દ્ર જૈનનો
જન્મદિવસ અને ભારતના પહેલા
રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદની પુણ્યતિથિ
છે. ઉત્તરપ્રદેશના અલીગઢ ખાતે માતા-
પિતાનાં સાત સંતાનો પૈકી
ત્રીજા સંતાન તરીકે જન્મેલા
રવીન્દ્ર જન્મજાત નેત્રહીન
હતા, પણ શારીરિક
નબળાઈને પોતાના પર
હાવી થવા દીધી ન હતી.
નાનપણમાં જૈન સંતોના
સાંનિધ્યમાં ભજન ગાતાં
ગાતાં સંગીતનું બુનિયાદી શિક્ષણ પ્રાપ્ત
કર્યું. ફિલ્મ ક્ષેત્રે કારકિર્દી જમાવતા પહેલા
રવીન્દ્ર ભજનો ગાતા. ‘સૌદાગર’ ફિલ્મથી
ફિલ્મી સંગીત ક્ષેત્રે કારકિર્દી શરૂ કરી.
પછી તો નામ સાંભળવાથી જ આનંદ
થાય તેવા ‘ગીત ગાતાં ચલ ઓ સાથીગુનગુનાતા ચલ’, દિલ વાલે દુલ્હનિયા
લે જાયેંગે, ઠંડે ઠંડે પાની સે ન્હાના
ચાહીએ, એક રાધા એક મીરાં, અખિંયો
કે ઝરૂખે સે મૈને જો દેખા સાંવરે, શ્યામ
તેરી બંશી પુકારે રાધા નામ
અને સુન સાયબા સુન જેવાં
જેવા ગીતો માટે સંગીત
આપ્યું. રામ તેરી ગંગા
મૈલી ફિલ્મ માટે રવીન્દ્ર
જૈનને સંગીતનો ફિલ્મ ફેર
એવોર્ડ મળ્યો હતો. ફિલ્મ
ઉપરાંત રામાનંદ સાગરની
રામાયણ જેવી અનેક ધાર્મિક શ્રેણીઓ
અનેહિન્દી સિવાય તેઓએ હરિયાણવી,
ભોજપુરી, બંગાળી મલયાલમ અને તેલુગુ
ફિલ્મોમાં પણ સંગીત આપ્યું હતું. પદ્મશ્રી
રવીન્દ્ર જૈનનું 9 ઓકટોબર 2015ના રોજ
અવસાન થયું હતું

*_સૌજન્ય દિવ્ય ભાસ્કર_*

કરન્ટ અફેર્સ.28.2.2019

કરન્ટ અફેર્સ તા. ૨૮/૦૨/૨૦૧૯
દિન વિશેષ
28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
➡દર વર્ષે 28 ફેબ્રુઆરીના દિવસે ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઊજવવામાં આવે છે.
➡ 28 ફેબ્રુઆરી,1928ના રોજરામન ઇફેક્ટની શોધની જાહેરાત કરવામાં આવી હતી તેની યાદમાંદર વર્ષે ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઊજવવામાં આવે છે.
➡આ શોધ માટે તેમને વર્ષ 1930માં નોબૅલ પારિતોષિક આપવામાં આવ્યું હતું.
➡સી. વી. રામન દ્વારા રામન કિરણોની શોધ કરવામાં આવી હતી.
➡રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઊજવવાની શરૂઆત 1987માં કરવામાં આવી હતી.

ગુજરાત
અબુધાબી ખાતે દિવ્યાંગ ખેલાડીઓ માટે યોજાતી સ્પેશિયલ ઓલમ્પિક ગેઇમ્સ 2019માં ગુજરાતના 14 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી
➡આ 14 ખેલાડીઓને રમત-ગમત અને સાંસ્કૃતિકમંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે ગાંધીનગર ખાતે શુભેચ્છાઓ પાઠવી હતી.
➡આ દિવ્યાંગ રમતવીર સ્પર્ધા આગામી 14થી 22 માર્ચ દરમિયાન અબુધાબીમાં યોજાશે.
➡જેમાં 192 દેશોના 75 હજારથી વધુ એથ્લેટ્સ ભાગ લેનાર છે.
➡ 2015માં યોજાયેલ સ્પેશિયલ ઓલમ્પિક ગેઇમ્સમાં ગુજરાતે 25 મેડલ મેળવ્યા હતા.

ભારત
તાજેતરમાં એવિએશન કોન્ક્લેવ 2019નું આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું
➡ 'ફ્લાઇંગ ફોર ઓલ યોજના' અંતર્ગત એવિએશન કોન્ક્લેવ 2019ને લોન્ચ કરવામાં આવ્યું છે.
➡હાલના નાગરિક ઉડ્ડયનમંત્રી સુરેશ પ્રભુ છે.
➡ઉડ્ડયન રાજ્યમંત્રી જયંત સિંહા છે.
તાજેતરમાં સ્મૃતિ ઇરાનીએ તીતાનવાલા સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું
➡સ્મૃતિ ઇરાની કેન્દ્રીય કાપડ મંત્રી છે.
➡આ સંગ્રહાલય રાજસ્થાનના બંગરૂમાં આવેલું છે.
➡બંગરૂના 'છીપા' સમુદાયના લોકો હાથેથી છાપણી કામ કરે છે.તે લોકો માટે આ સંગ્રહાલય ખોલવામાં આવ્યું છે.
ડૉ.જીતેન્દ્ર સિંહે નવી દિલ્હી ખાતે 2019નાઇ-ગવર્નન્સ ઍવૉર્ડ એનાયત કર્યા
➡ઇ–ગવર્નન્સ માટે પ્રોત્સાહન અને યોગદાન આપનારને દર વર્ષે આ ઍવૉર્ડ આપવામાં આવે છે.
➡આ ઍવૉર્ડ દર વર્ષે જુદી-જુદી છ કૅટેગરીમાં આપવામાં આવે છે.
➡ઇ-ગવર્નન્સ ક્ષેત્રે વિશેષ પ્રયત્ન કરનાર તથા અમલીકર,ણ આયોજન, ડિઝાઇન તૈયાર કરનાર સંસ્થાઓને પણ આવરી લેવામાં આવી છે.
➡જેમાં સ્ટાર્ટ–અપ સંસ્થાઓ અને શૈક્ષણિક સંશોધન સંસ્થાઓને પણ સ્થાન મળ્યું છે.
મહેશ એલકુંચવારને META લાઇફટાઈમ એચીવમેન્ટ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે
➡જેઓ ભારતીય લેખક તરીકેની ભૂમિકા ભજવે છે.
➡તેમને આ પુરસ્કાર 12 માર્ચે મહેન્દ્રા થિયેટર ફેસ્ટિવલના દિવસે આપવામાં આવશે.
➡મહેશ એલકુંચવાર મરાઠી અને ભારતીય થિયેટરના ક્ષેત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
➡મહેશ એલકુંચવારે તેમના જીવન દરમિયાન 30 નાટકોની રચના કરી હતી.
➡આ પુરસ્કાર મહેન્દ્રા એક્સિલેન્સ ઇન થિયેટરના ક્ષેત્રમાં ઉત્તમ પ્રગતિ મેળવનારને આપવામાં આવે છે.

ખેલ જગત
સૌરભ ચૌધરી અને મનુભાકરને નિશાનબાજીમાં વિશ્વકપમાં સુવર્ણપદક મળ્યો છે
➡તેમણે દસ મીટર ઍર પિસ્તોલ સ્પર્ધામાં જીત મેળવી છે.
➡આ સ્પર્ધામાં ભારતનો ત્રીજો અને સૌરભચૌધરીનો બીજો સુવર્ણપદક છે.
➡ભારતને પહેલા દિવસે અપૂર્વ ચંદેલાએ સુવર્ણપદક અપાવ્યો હતો.
➡આ સ્પર્ધા નવી દિલ્હી ખાતે ડૉ. કરણસિંહ શૂટિંગ રેન્જમાં યોજાઈ છે.
મહેન્દ્રસિંહ ધોની 350 સિક્સર લગાવનાર પહેલો ભારતીય બન્યો
➡આ પ્રકારનો રેકૉર્ડ બનાવનાર મહેન્દ્રસિંહ ધોની પહેલો ભારતીય ખેલાડી બન્યો છે.
➡મહેન્દ્રસિંહ ધોનીએ ત્રણ ફોર્મેટમાં 526 સિક્સર લગાવી છે.
➡ભારત તરફથી રોહિત શર્માએ બીજા નંબર પર,322 મૅચમાં349 સિક્સર લગાવી છે.
➡દુનિયામાં સૌથી વધારે સિક્સર લગાવના રક્રિસ ગેલ પ્રથમ નંબરે છે જેણે 446 મૅચમાં 492 સિક્સર લગાવી છે.
➡ક્રિસ ગેલ વેસ્ટન્ડિઝનો ખેલાડી છે, જે 2019ના વર્ડકપ બાદ વનડે અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લેનાર છે.

Tuesday, February 26, 2019

આજનો ઇતિહાસ


.         🌹🌹🌹
*સાહિત્યિક પત્રકારત્વના ઐરાવત : બચુભાઈ રાવત (1898-1989)*
.          🌹🌹🌹
ગુજરાત ગૌરવ લઈ શકે તેવા સંપાદક અને
કળા વિવેચક બચુભાઈ રાવતનો આજે
જન્મદિન અને આઝાદીના જંગમાં બલિદાન
આપનાર ચંદ્રશેખર આઝાદની પુણ્યતિથિ
છે. અમદાવાદમાં જન્મેલા
બચુભાઈએ ગોંડલમાં
પ્રાથમિક અને માધ્યમિક
શિક્ષણ લીધું હતું. તે પછી
ચાર વર્ષ ગોંડલની શાળામાં
શિક્ષક તરીકે નોકરી કરી
અમદાવાદમાં સસ્તું સાહિત્ય
વર્ધક સંસ્થા સાથે જોડાયા.
1922-23માં નવજીવન પ્રકાશન મંદિર
અને 1924માં “કુમાર”સામયિક શરૂ થતા
કલાગુરુ રવિશંકર રાવળ સાથે સહતંત્રી
સાથે સંકળાયા.હતા.1943માં કુમારના
તંત્રી બન્યા અને સામયિકને ગુણવત્તાના
ઊંચા સ્તરે લઈ ગયા. આપણી ભાષામાં
કુમારમાં કવિતા છપાય એટલે કવિપદ
પ્રાપ્ત થતું તે સ્તરે કુમારમાં પ્રકાશન
માટે કવિતાઓનું ચયન થતું. ‘બુધસભા’
જેવી સંસ્થાઓ દ્વારા પણ તેમણે ગુજરાતી
કવિઓને ઉમદા મંચ પૂરું
પાડ્યું હતું. મુંબઈ રાજ્ય
લિપિ સુધારણા સમિતિ,
ગુજરાતી મુદ્રક સમિતિ
અને ગુજરાતી સાહિત્ય
પરિષદમાં પણ તેમનું
મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું
છે. ગાંધીયુગની સાહિત્યિક
રુચિને ઘડવામાં પ્રદાન કરનાર બચુભાઈએ
‘ગુજરાતી ગ્રંથસ્થ ચિત્રકલા’ અને
‘ગુજરાતી લિપિના નવા પરોઢનું નિર્માણ’
જેવા પુસ્તકો પણ લખ્યા છે. પદ્મશ્રી
બચુભાઈ રાવતનું 12 જુલાઈ 1980ના
રોજ અવસાન થયું હતું.
*સૌજન્ય:દિવ્યભાસ્કર*

સુખ


સુખમ્ એટલે શું..!????

👌ઘરમાં પગ મુકતા જ " આવી ગયો દીકરા" કહેતો માબાપનો અવાજ એટલે સુખમ્....

👌તકલીફના સમયે " આપણે સાથે છીયેને .. જોઇ લઇશુ.. " કહેતો પત્નીના વિશ્વાસનો રણકો એટલે સુખમ્....

👌કશું જ કહ્યાં વગર પણ સઘળું સમજી જતા સંતાનોમાં રોપાયેલ સંસ્કાર ના બીજ એટલે સુખમ્....

👌રોજ વેદી પાસે ઊભા રહી ભગવાન સામે માથું નમાવી કરાતી પ્રાર્થનાનું અજવાળું એટલે સુખમ્....

👌રોજ જમતી વખતે " આ ભગવાનની કરુંપાથી મળેલું છે," તેવો અહેસાસ થવો તે સુખમ્....

👌 " તમે " અને "આપ" સાંભળી સાંભળીને થાક્યા હોઇએ ત્યારે " તું " કહેનાર દોસ્તાર મળી જતી એ "પળ"એટલે સુખમ્....

👌દોસ્ત જેવા દીકરાની જોડે મોકળા મને થતી વાતમાં રહેલ સમજણની સુગંધ એટલે સુખમ્...

👌સાસરે જતી રહેલી દીકરી ની સંપૂર્ણપણે ખોટ પુરી પાડી દેતી પૂત્રવધુ એટલે સુખમ્....

👌મહામહેનતે કમાઇને પહેલીવાર પાસબુકમાં પડેલી પાંચ આંકડાની એન્ટ્રી એટલે સુખમ્....

અને અંતે.....

👌પથારીમાં પડતા વેંત કોઇ જ ચિંતા વગર ઉંઘ આવી જાય એનું નામ  સુખમ્....
🙏🙏🙏🙏🙏🙏

કરન્ટ અફેર્સ 26.2.2019

કરન્ટ અફેર્સ તા. ૨૬/૦૨/૨૦૧૯
દિન વિશેષ
26 ફેબ્રુઆરી વિનાયક દામોદર સાવરકરનો નિર્વાણદિવસ
➡ જન્મ: 28 મે, 1883ના રોજ નાસિક જિલ્લાના ભાગુર ગામમાં થયો હતો.
➡ ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રિમ હરોળના સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા.
➡ તેઓ એક એવા ઇતિહાસકાર પણ હતા કે જેમણે હિન્દુરાષ્ટ્રના વિજયના ઇતિહાસને પ્રામાણિકપણે શાબ્દિક રીતે કંડાર્યો હતો.
➡ તેમણે 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામના જીવંત અહેવાલરૂપી ઇતિહાસ 'ધ ઇન્ડિયન વૉર ઑફ ઇન્ડિપેન્ડન્સ' નામનું પુસ્તક લખ્યું હતું.
➡ વીર સાવરકરે ભારતીય ઇતિહાસનાં 'હિન્દુ પૌરાણિક કથાઓ', 'હિન્દુત્વ', 'ભારતીય સ્વતંત્રતા યુદ્ધ 1857' લખ્યાં હતાં.
➡ અવસાન : 26 ફેબ્રુઆરી, 1966 મુંબઈ.

ગુજરાત
ભારતીય વિમાન સત્તામંડળે 6 ઍરપૉર્ટનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લીધો છે
➡ જેમાં અમદાવાદ ઍરપૉર્ટને અદાણી ગ્રુપ સાંભળશે
➡ આ ઉપરાંત જયપુર, લખનૌ અને ત્રિવેન્દ્રમ ઍરપૉર્ટ પણ સંભાળશે.
➡ અદાણી ગ્રુપે અમદાવાદ ઍરપૉર્ટને 50 વર્ષ સુધી સંભાળવાનો કોન્ટ્રાક્ટ લીધો છે.

દેશની સૌ પ્રથમ આઠ માળની ડેન્ટલ કૉલેજ હૉસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું
➡ અમદાવાદ સિવિલ કૅમ્પસમાં અંદાજે 40 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
➡ ગવર્ન્મેન્ટ ડેન્ટલ કૉલેજના ડીન અને ઍડિશનલ ડાયરેક્ટર ડૉ. ગિરીશ પરમાર છે.
➡ આ હૉસ્પિટલમાં રોજના 550 દર્દી સારવાર લઈ શકશે.
➡ દર્દીની સુવિધાને ધ્યાનમાં રાખી આઠ માળની ડેન્ટલ હૉસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને આઠ માળ સુધી દાંતની વિવિધ સારવાર મુજબ અલગ અલગ ફ્લોર ફાળવ્યા છે.

ભારત
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક રાષ્ટ્રને અર્પણ કર્યું
➡ દેશને સમર્પિત આ સ્મારક 25 ફેબ્રુઆરી, 2019ના રોજ નવી દિલ્હી ખાતે ઇન્ડિયા ગેટ પાસે આવેલું છે.
➡ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક રાષ્ટ્રને સમર્પિત કરવા માટે એક અખંડ જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી છે.
➡ આ સ્મારક પર અખંડ જ્યોતિ સાથે ભારતીય સેના, નૌ સેના, વાયુ સેના દ્વારા લડવામાં આવેલા પ્રસિદ્ધ યુદ્ધોનાં ચિત્રો તથા પરમવીર ચક્રથી સન્માનિત 21 યોદ્ધાઓનાં શિલ્પો લગાડવામાં આવ્યાં છે.
➡ દેશની અખંડિતતા માટે બલિદાન આપનાર 25 હજારથી વધુ સૈનિકોનાં નામ અંકિત કરાયાં છે.

વિશ્વ
ઑસ્કાર પુરસ્કાર 2019ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી
➡ આ 91મો પુરસ્કાર સન્માન સમારોહ યોજાયો છે.
➡ ઑસ્કારનું આયોજન કોલ લોસ એન્જલ્સ માં ડૉલ્બી થિયેટરમાં કરવામાં આવ્યું છે.
➡ 'પિરિયડ એન્ડ ઑફ સેન્ટન્સ'ને સર્વશ્રેષ્ઠ ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે, જે ઉત્તરપ્રદેશના હાપુડ જિલ્લાના કાઠીખેરા ગામની 'સ્નેહા' પર આધારિત હતી અને જે 'સેનિટરી પેડ' બનાવતી હતી.
➡ સર્વ શ્રેષ્ઠ ફિલ્મ માટે ઑસ્કાર ઍવૉર્ડ 'ગ્રીન બુક'ને આપવામાં આવ્યો છે.
➡ ઑસ્કાર ઍવૉર્ડ 18 કેટેગરીમાં આપવામાં આવે છે.

ખેલ જગત
શૂટિંગ વર્લ્ડ કપ 10મી ઍર રાઇફલમાં સર્ગેઈ કામેનસકાઈએ ગોલ્ડ મેડલ જીત્યો
➡ સર્ગેઈ કામેનસકાઈ એ રશિયન ખેલાડી છે.
➡ સર્ગેઈ કામેનસકાઈએ 249.4 સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
➡ પહેલા દિવસે ભારતના અપૂર્વી અને સૌરભે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
➡ અન્ય ચીનના બે ખેલાડીઓએ પણ ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

T-20માં સુરેશ રેનાએ 8000 રન પૂરા કર્યા
➡ T-20માં સુરેશ રેના 8000 રન કરનાર ભારતનો પહેલો બેટ્સમેન બન્યો છે.
➡ આ સાથે સુરેશ રૈના 300 T-20 રમનારો બીજો ભારતીય ખેલાડી બન્યો છે.

AHF 2018 પ્લેયર ઑફ ધ યર તરીકેનો ઍવૉર્ડ મનપ્રીત સિંહને આપવામાં આવ્યો છે
➡ જે હાલમાં ભારતના હૉકી ટીમના કૅપ્ટન છે.
➡ AHF : Asian Hockey Federation

Monday, February 25, 2019

કરન્ટ અફેર્સ

કરન્ટ અફેર્સ તા. ૨૫/૦૨/૨૦૧૯
દિન વિશેષ
25 ફેબ્રુઆરી કવિ નર્મદનો નિર્વાણ દિવસ
➡ મૂળનામ : નર્મદશંકર લાલશંકર દવે
➡ જન્મ : 24 ઓગસ્ટ , 1833 સુરત, ગુજરાત, ભારત
➡ નર્મદના જન્મદિવસને 'વિશ્વ ગુજરાતી ભાષા દિવસ' તરીકે ઓળખાય છે
➡ નર્મદે 23 વર્ષની ઉંમરે જ સાહિત્યની શરૂઆત કરી હતી.
➡ નર્મદે ડાંડિયો નામનું પાક્ષિકની શરૂઆત કરી હતી.
➡ નર્મદે સૌપ્રથમ કવિ ચરિત્ર સાહિત્ય લખવાની શરૂઆત કરી હતી.
➡ જેમાં 'કવિ ચરિત્ર' ગુજરાતી ભાષાનું પ્રથમ ચરિત્ર સાહિત્ય ગણવામાં આવે છે.
➡ નર્મદની કવિતાઓનો મુખ્ય રસ વીર અને શૃંગાર જોવા મળે છે.
➡ નર્મદ 1851માં મુંબઇ ખાતે બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી.
➡ 1856માં તત્વ શોધક સભા ની સ્થાપના કરી હતી.
➡ કનૈયાલાલ મુનશીએ નર્મદને 'અર્વાચીનોમાં આદ્ય કવિ' કહ્યા છે.
➡ જ્યારે ત્રિભુવનદાસ લુહાર નર્મદને 'પૂર્વજ' કહ્યા છે.
➡ ઉમાશંકર જોશીએ નર્મદની કવિતાને 'નવા યુગની નાદ સંભળાય છે' એવું કહ્યું છે.
➡ 'મંડળી મળવાથી થતા લાભ' ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ છે.
➡મારી હકીકત ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા છે.
➡ નર્મદ સાહિત્ય સભા સુરતમાં આવેલી છે.
➡ ઉત્તમ સાહિત્ય માટે 1939માં નર્મદ સુવર્ણચંદ્રક આપવાની શરૂઆત થઇ હતી.
➡ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત માં આવેલી છે.
➡ 'કલમ ના ખોળે માથુ મુકું છું' એવું કહેનાર નર્મદ હતા.
➡ મહા કાવ્ય રચવા માટે વીરવૃત છંદની શોધ નર્મદા કરી હતી.
➡ અવસાન : 25 ફેબ્રુઆરી 1886

ભારત
તાજેતરમાં અરણાચલ પ્રદેશે એરી ફાર્મિંગ યોજનાની શરૂઆત કરી છે
➡એરી ફાર્મિંગ એ એક પ્રકારનો રેશમ છે જેનું ઉત્પાદન કરવામાં આવે છે.
➡ આ યોજના રેશમ ઉત્પાદન કરતા ખેડૂતો માટે બનાવવામાં આવી છે.
➡ અરુણાચલ પ્રદેશ ભારતના ૨૯મું રાજ્ય છે.
➡ તેનું પાટનગર ઇટાનગર છે.
➡ હાઇ કોર્ટ : ગૌહાટી હાઇ કોર્ટ - ઇટાનગર શાખા છે.
➡ ગવર્નર : પદ્મનાભ આચાર્ય
➡ મુખ્યમંત્રી : પેમા ખાંડુ

તામિલનાડુ બે કોસ્ટ ગાર્ડ જીલ્લાના મુખ્ય મથકવાળા દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
➡ તામિલનાડુનું પાટનગર ચેન્નઈ છે.
➡ ગવર્નર : બનાવરીલાલ પુરોહિત
➡ મુખ્ય પ્રધાન : એડપ્પાડી કે પાલનિસ્વામી
➡ તે વસ્તી ની દ્રષ્ટિએ છઠ્ઠા નંબરનું સૌથી મોટું રાજ્ય છે.

તાજેતરમાં અસમ રાજ્યમાં બે સીલ્કપરી યોજના શરૂ કરવામાં આવી છે
➡ આ યોજનાની શરૂઆત વસ્ત્ર મંત્રાલયે કરી છે.
➡સોલિડ ટુ સિલ્ક અને બીજી એરી ઇન પેન્સિવ આ બે યોજના શરૂ કરવામાં આવી છે.
➡ હાલના કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની છે.
➡ રાજધાની : દિસપુર
➡ સૌથી મોટું શહેર : ગૌહાટી
➡ ગવર્નર : જગદીશ મુખી
➡ મુખ્ય મંત્રી : સર્વનંદ સોનોવાલ
➡ આસામમાં કાઝીરંગા રાષ્ટ્રીય અભ્યારણ આવેલું છે.
➡ કાઝીરંગા રાષ્ટ્રીય અભ્યારણ એકશિંગી ગેંડા માટે જાણીતું છે.
➡ એકશિંગી ગેંડા ભારતના આસામ અને પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે.

તાજેતરમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી યુવા સ્વાભિમાન યોજના શરૂ કરી છે.
➡ આ યોજનામાં શહેરી વિસ્તારના યુવાનોને 100 દિવસની રોજગારી આપવામાં આવશે.
➡ જેમાં એક મહિનાના ચાર હજાર રૂપિયા રોજગારી આપવામાં આવશે.
➡ આ યોજનાની શરૂઆત કમલનાથે કરી છે.
➡કમલનાથ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી છે.
➡ મધ્યપ્રદેશના પાટનગર ભોપાલ છે.
➡ રાજ્યપાલ : આનંદીબેન પટેલ

ક્ષેત્રીય સમુદ્ર સુરક્ષા સંમેલન મુંબઈ ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું
➡ સમુદ્રી તટની સુરક્ષા અને તેના વ્યાપાર નું સંવર્ધન થાય તે તેનું મુખ્ય કાર્ય છે.
➡ જેનું આયોજન નેશનલ મેરિટાઇમ ફાઉંડેશન, વિદેશ મંત્રાલય અને સીપ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે.

વિશ્વ
ISSF શૂટિંગ વિશ્વ કપમાં સૌરભ ચૌધરીએ સુવર્ણ પદક જીત્યો છે
➡ જેમની ઉંમર ૧૬ વર્ષની છે.
➡ તેણે એશિયન ગેમ્સ અને યુથ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
➡ ISSF : International Shooting Sport Federation
➡ આ વર્લ્ડકપ નવી દિલ્હી ખાતે યોજાય છે.

Monday, February 18, 2019

બલિદાન

કેવી એ ગોઝારી ઘટના જાણે કાળ રાત્રી હતી
જેદી માડીજાયાની આંખ મિચાણી હતી.

ગુલાબ ફૂલ ને  કેડબરીમાં વ્યસ્ત સૌ પ્રજા હતી.
તેદી લોહીના ગુલદસ્તાએ આ ભોમ સજી હતી.

ખ્વાબ હસરત આશ ને લાગણી સહુ કોઈને હતી.
શું ક્યાંય આ સાડાસાતી ની એંધાણી  હતી??

અચાનક સહસા હલબલાવી દિધી આ ભોમને
સળગતા બલિદાનોની એ પીગળતી મીણબત્તી હતી.

દુઃખ ગમગીની અફસોસ ને બદલાની ભાવના હતી
પણ મળશે ન કદી  એ  માથડા કમનશીબી હતી.
                                        -પૂર્વી લુહાર

2026 sem. 2 time table

 2026 sem. 2 time table