Thursday, September 8, 2022

શિક્ષણ વિભાગમાં 5360 જગ્યાઓની ભરતીની જાહેરાત, ગુજરાત સરકારની કેબિનેટમાં મોટો નિર્ણય,શ્રી વાઘાણીએ આપી માહિતી

 શિક્ષણ વિભાગમાં 5360 જગ્યાઓની ભરતીની જાહેરાત, ગુજરાત સરકારની કેબિનેટમાં મોટો નિર્ણય,શ્રી વાઘાણીએ આપી માહિતી


સપ્ટેમ્બરના અંતમાં શિક્ષણ વિભાગમાં ખાલી જગ્યાઓની ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે: જીતુ વાઘાણી

@ શિક્ષણ વિભાગમાં 5360 જગ્યાઓની ભરતી કરાશે


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટબેઠક યોજાઇ હતી. જેમાં લેવાયેલા નિર્ણય અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરતાં કહ્યું કે આવનાર સમયમાં શિક્ષણ વિભાગમાં 5360 જગ્યાઓ ભરવામાં આવશે. ટુંક સમયમાં શિક્ષકોની ભરતી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે.આગામી સમયમાં પરીક્ષાનું આયોજન પણ કરી દેવામાં આવશે. જિલ્લાફેરનો નિર્ણય હાલ હાઈકોર્ટમાં છે નિર્ણય આવતા ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરી દેવામાં આવશે. સપ્ટેમ્બરના અંતમાં શિક્ષણ વિભાગની પેન્ડિંગ ભરતી પરીક્ષા માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.

TET પરીક્ષાને લઇને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું હતું કે 3 વર્ષથી TET પરીક્ષા નથી લેવાઇ, આગામી સમયમાં પરીક્ષાનું આયોજન કરીશું, સપ્ટેમ્બરના અંતમાં સમગ્ર પ્રક્રિયા શરૂ કરીશું.


મંત્રી જીતુ વાઘાણીની જાહેરાતના અંશો


મને સોંપેલા વિભાગમાં અનેક નિર્ણયો કર્યા છે

રાજ્યના 3300 ની ભરતી પણ રાજ્ય સરકારે કરી

શિક્ષક ભાઈઓ-બેનો અમારો પરિવાર 

5360 જગ્યાઓ ભરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો

ટૂંક સમયમાં શિક્ષકોની ભરતી માટેના ફોર્મ શરૂ કરીશુ

TETની પરીક્ષાને લઇ શિક્ષણમંત્રીનું મોટું નિવેદન

3 વર્ષથી TETની પરીક્ષા લેવાઇ નથી

જિલ્લા ફેર બદલી થયા બાદ ખાલી પડેલી જગ્યાઓ ભરીશું

સપ્ટેમ્બરના અંતમાં સમગ્ર પ્રક્રિયા ચાલુ કરીશું

આગામી સમયમાં પરીક્ષાનું આયોજન કરીશું

સપ્ટેમ્બરના અંતમાં શિક્ષણ વિભાગમાં ખાલી જગ્યાઓની ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે: જીતુ વાઘાણી

No comments:

Post a Comment

#બેઠા છો ને?

  #બેઠા છો ને? મથીને ટકોરા મારીને મેળવી છે જિંદગી  હતું શું ને તમે શુંયે ધારી બેઠા છો, ટેકનોના ઝાળા માં અટવાય છે પેઢી  પ્રકૃતિને તમે કચકડે મ...