Friday, July 3, 2020

આવી ગઈ સુશાંતસિંહ રાજપૂતની વિસરા રિપોર્ટ






 સુશાંત સિંહ રાજપુતની વિસરા રિપોર્ટ, થયો મોટો ખુલાસો, અભિનેતાનાં શરીરમાં ઝેર….
બોલિવૂડના યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ૧૪ જૂનના રોજ પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ થી તેઓ સતત ચર્ચામાં રહ્યા છે. તેમના મોતને લઈને દરરોજ કંઈક ને કંઈક નવા ખુલાસા થતા રહેતા હોય છે. હવે આ કડીમાં તેમની વિસરા રિપોર્ટ સામે આવી છે, જેમાં તેમના મૃત્યુ ની સાચી હકીકત સામે આવી ગઈ છે. વિસરા રિપોર્ટમાં તે કારણો વિશે જણાવવામાં આવ્યું છે, જેનાથી સુશાંત સિંહ રાજ….પૂતનું મૃત્યુ થયું હતું. તો ચાલો જાણીએ કે આખરે સમગ્ર મામલો શું છે.

૧૪ જૂનના રોજ બપોરે સુશાંત સિંહ રાજપૂતના નિધનના સમાચારે બધાને હેરાન કરી દીધા હતા. હકીકતમાં તેમની કારકિર્દી બિલકુલ ચરમ પર ચાલી રહી હતી અને તેમણે વિતેલા વર્ષોમાં ખૂબ જ સારી ફિલ્મો આપી હતી. તેવામાં તેમના દ્વારા આત્મહત્યા કરી લેવાની વાત કોઈને વિશ્વાસ આવી રહ્યો નથી. ફક્ત એટલું જ નહીં સોશિયલ મીડિયા પર તો સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાય પણ માંગવામાં આવી રહ્યો છે. જેના માટે કેન્દ્ર સરકાર પાસે સીબીઆઈ તપાસની પણ ડિમાન્ડ કરવામાં આવી રહી છે. વળી આ બધાની વચ્ચે હવે સુશાંત સિંહ રાજપૂતની વિસરા રિપોર્ટ સામે આવી ચુકી છે, જેમાં તેમનું મૃત્યુ શા માટે થયું તેના વિશે જણાવ્યું છે.

શું કહે છે સુશાંત સિંહ રાજપૂતની વિસરા રિપોર્ટ?

સુશાંત સિંહ રાજપૂત વિસરા રિપોર્ટ અનુસાર અભિનેતાના શરીરમાં કોઈપણ પ્રકારના શંકાસ્પદ રસાયણ અથવા ઝેર મળી આવ્યું નથી. મતલબ સ્પષ્ટ છે કે વિસરા રિપોર્ટ બધી સંભાવનાઓને પૂર્ણ કરી દે છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે આત્મહત્યા કરતા પહેલા તેઓને ખૂબ જ નશો કરવામાં આવ્યો હતો અથવા તેમને કોઈ નશો આપવામાં આવ્યો હતો. હકીકતમાં પોસ્ટમોર્ટમની ફાઇનલ રિપોર્ટ આવ્યા બાદ વિસરાને જેજે હોસ્પિટલમાં વિશ્લેષણ માટે મોકલી દેવામાં આવેલ હતી. જ્યાં તે સ્પષ્ટ થઈ ગયું કે સુશાંત સિંહ રાજપૂતે પોતે આત્મહત્યા કરી હતી.

વિસરા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુનું કારણ એસ્ફિક્સીયાં છે. સરળ ભાષામાં કહેવામાં આવે તો શરીરને પર્યાપ્ત ઓક્સિજન નહીં મળવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. જણાવી દઈએ કે પોસ્ટમોર્ટમ ની ફાઇનલ રિપોર્ટ આવ્યા બાદ ડોક્ટર સહિત તેમના ફેન્સને વિસરા રિપોર્ટની રાહ હતી, જે હવે સામે આવી ચુકી છે. જોકે સુશાંત સિંહ રાજપૂતની વિસરા રિપોર્ટ ભલે કંઈ પણ કહેતી હોય, પરંતુ તેમના નિધન પર છેડવામાં આવેલ વિવાદને ખતમ કરી શકતી નથી.

આત્મહત્યાની તપાસમાં જોડાયેલી છે પોલીસ

હાઈ પ્રોફાઈલ કેસ હોવાને કારણે પોલીસ દરેક એંગલથી લઈને તપાસ કરી રહી છે. એ સંદર્ભમાં પોલીસે સુશાંતસિંહ રાજપૂતના નજીકના વ્યક્તિઓની લાંબી પૂછપરછ પણ કરી હતી. જેમાં તેમની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતી સહિત ઘણા મોટા નામ સામેલ છે. જણાવી દઈએ કે સુશાંત ના મૃત્યુ બાદ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં નેપોટીજ્મને લઈને ચર્ચા છેડાઈ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈન્ડસ્ટ્રીમાં આઉટસાઈડર લોકોને ખૂબ જ પરેશાન કરવામાં આવે છે અને સુશાંતસિંહ રાજપૂતનાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈપણ ગોડફાધર હતા નહીં, જેના કારણે તેઓને પણ ખૂબ જ પરેશાન કરવામાં આવ્યા હતા.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત ની ફિલ્મ “દિલ બેચારા” ૨૪ જુલાઈના રોજ રીલિઝ થવાની છે. જેને લઇને તેમના પરિવારની એવી પણ માંગણી છે કે આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં ન આવે, પરંતુ જ્યારે થિએટર શરૂ થાય ત્યારે રિલીઝ કરવામાં આવે.

No comments:

Post a Comment

#બેઠા છો ને?

  #બેઠા છો ને? મથીને ટકોરા મારીને મેળવી છે જિંદગી  હતું શું ને તમે શુંયે ધારી બેઠા છો, ટેકનોના ઝાળા માં અટવાય છે પેઢી  પ્રકૃતિને તમે કચકડે મ...